SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ હોળીના બીજા દિવસે વડોદરા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ‘ચૂલમેળો' ભરાય છે. આ મેળામાં ૧૦-૧૨ ફૂટ લાંબો અને ૭૮ ફૂટ પહોળો ખાડો ગાળી એમાં બાવળના મોટા લાકડા નાખી સળગાવીને ધગધગતા અંગારા પાડવામાં આવે. એ અંગારા પર આદિવાસીઓ હાથમાં નાળિયેર અને પાણીનો લોટો લઈને સાતસાત વાર ઉઘાડે પગે ચાલે છતાં એમના પગ પર કોઈ ઈજા વતી નધી! આદિવાસીઓમાં જેમ અગ્નિ પર ચાલવાનું કાર્ય ધાર્મિક મનાય છે તેમ મુસ્લિમોમાં પણ ધાર્મિક મનાય છે. આ કોઈ જાદુ, મંત્ર નથી પણ ધાર્મિક વિધિ સાથે જોડાયેલ ચમત્કાર છે. તાવડામાં ઊકળતા તેલમાં ઘઉંના લોટનો પાપડ નાખીને હાથ વડે કાઢવાનું કામ હિન્દુ સમાજમાં ભૂવા ભરાડી માતાના માંડવા વખતે કરે છે પણ આત્મવિશ્વાસથી સાધ્ય કરી શકાય છે. એવા ચમકારસાધકનો અહીં પરિચય કરાવવાનો છે. મેળાવડા અને ધાર્મિક પ્રસંગો પર જોવા મળતી આ ભારતીય લોકવિદ્યાઓ અને કળાને રંગમંચ પર લાવીને એને ગૌરવ આપનાર કલાકારનું નામ છે રાજેન્દ્ર જૈન. અશોકનગર મધ્યપ્રદેશમાં જન્મેલા ૫૫ વર્ષના તરવરિયા લોકકલાકારને ગળથૂથીમાં જ લોકનૃત્ય અને લોકસંગીતનો વારસો મળ્યો છે. અગ્નિ, પવન અને પાણીને કોઈ માઈનો પુત્ર નાથી નથી શક્યો પણ આ કલાકાર અગ્નિથી જરાય ડર્યા વગર પગે ઘૂઘરા બાંધીને સળગતા અંગારા પર લોકનૃત્ય કરે છે. ઘડા, બેડાં, દેગડા, ધોણિયાં, બઘોણાં અને મટકી દ્વારા થતા ગરબા અને નૃત્યો આપણે જોઈએ છીએ પણ એમાં નવીનતા ન લાવે તો રાજેન્દ્ર જૈન શાના? રંગીન વેશભૂષામાં સજ્જ થઈ પગે બાંધેલા ઘૂઘરાના તાલે જૈન રંગમંચ પર આવે એટલે મધુર સંગીત લહેરાવા લાગે. જૈન ૨૦–૨૨ લિટર પાણીનો ઘડો વગર ઇંઢોણીએ માથે મૂકે છે. લોકસંગીતની વિવિધ ધૂનો સાથે નૃત્ય કરે છે. ત્યારે તેની સાધના જોઈ લોકો વાહવાહના પોકારો કરે છે. “હવે કલાકાર અગ્નિજ્વાળા પર નૃત્ય આરંભે છે.’” આ સાંભળતાં જ સન્નાટો છવાઈ જાય છે. સાજિંદાઓ, સંગીતની સુરાવલિઓ છેડે જાય છે. રંગમંચ પર પાથરેલી રેતી પર પાંચેક લિટર પેટ્રોલ છાંટવામાં આવે છે. દીવાસળી ચાંપતાં ભફ દેતાં અવાજ સાથે રંગમંચ પર ત્રણ ત્રણ ચાર ચાર ફૂટની અગ્નિજ્વાળા લબકા લેવા માંડે છે. રાજેન્દ્ર આ જ્વાળા વચ્ચે Jain Education International સ્વપ્ન શિલ્પીઓ જઈ ઊભા રહે છે. અગ્નિદેવ અને પ્રેક્ષકોને પ્રણામ કરી તે સંપકત જ્વાળાઓ વચ્ચે અદ્દભુત નૃત્ય કરે છે. જ્યાં અગ્નિજ્વાળા શાંત થઈ જાય ત્યાં પેટ્રોલ છાંટીને પ્રગટાવવામાં આવે છે. પ્રેક્ષકોના શ્વાસ ઊંચે ચડી જાય છે, પણ અગ્નિદેવ તેને કાંઈ ઈજા કરતા નથી! અગ્નિનો સ્વભાવ બાળવાનો હોવા છતાં પણ આ ક્લાકારને રમર પણ ઈજા થતી નથી! જ્વાળાઓ બુઝાઈ જતાં કલાકાર પળવારમાં અગ્નિવિદ્યાનું બીજું આશ્ચર્ય રજૂ કરવા તૈયાર થાય છે. પ્રાયમસ ઉપર મૂકેલા તાવડામાં તેલ ઊકળે છે. તેમાંધી નરાળો નીકળે છે. પ્રેક્ષકોની હાજરીમાં આ કલાકાર સાબુથી હાથ ધોઈ નાખે છે જેથી કોઈને શંકા ન થાય કે હાથ પર લેપ લગાવ્યો હશે. પ્રેક્ષકોના શ્વાસ સાથે લોકવાદ્યોની ધુન તેજીલી બને છે. આગમાં નૃત્ય કરીને કલાકારના હજુ પગના તળિયા ઠર્યા નથી ત્યાં તેલની કડાઈ ફરતા તેના પગ નૃત્ય કરવા માંડે છે અને ક્લાકારે ઊકળતા તેલમાં હાથ ઝબોળી દીધા! કલાકાર ઝૂમી ઊડ્યા. આ નૃત્યયોગ રજૂ કર્યા પછી જાહેરાત થાય છે. હવે અગ્નિનર્તક જૈન ભડભડતા અંગારા ઉપર દિલ હલાવી નાખનાર અદ્ભુત નૃત્યયોગ રજૂ કરશે. રંગમંચ પર ખુલ્લા મેદાનમાં ૨૦-૩૦ મણ લાકડાની હોળી પ્રગટાવવામાં આવી. લાકડા બળી જતાં તેમાંથી જે અંગારા પડ્યા તેનાં તગારાં ભરી રંગમંચ પર લાવ્યા. અગ્નિપાટ તૈયાર કરવામાં આવી. થોડા ચામડીના નિષ્ણાત ડોક્ટર પાસે પરીક્ષા કરાવવામાં આવી. ચેતનાની જાણે ચિનગારી પ્રગટી. સંગીતની ધૂને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. કલાકારના પગના ઘૂઘરા મધુરવ કરવા લાગ્યા અને કલાકારે સ્વસ્થપણે અંગારા પર નૃત્ય કરતાં પ્રવેશ કર્યો! પ્રેક્ષકોના માનસપટ પર અગ્નિનૃત્યનું આકર્ષણ ન ઓસરે ત્યાં કલાકાર ભવાઈ નૃત્ય સાથે ઉપસ્થિત થાય છે અને તલવારની ધાર ઉપર કલાકાર ઉઘાડે પગે નૃત્ય કરે છે. પછી આરતી નૃત્યનો આરંભ થાય છે. માથે પ્યાલો અને પ્યાલા ઉપર માટલું અને માટલા ઉપર દીવો મૂકી, માટલા ઉપર ઊભા રહી નૃત્ય કરે છે. શ્રોતાઓ નાચી ઊઠે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy