________________
૪૩૨
વડે શ્રોતાઓને રીઝવે છે. તેઓ રચિયતા પણ છે. હરિવંશપુરાણ, શિવપુરાણ, શ્રીમદ્ ભગવદ્ અને ગોવિંદ ગુણસાગર જેવી રચનાઓ ઉપરાંત અનેક ભક્તિપદો અને ધૂનોનું સર્જન કર્યું છે.
આકાશવાણી અમદાવાદ, વડોદરામાં હિરવંશપુરાણ અને શિવપુરાણનું ધ્વનિમુદ્રણ પણ કરવામાં આવ્યું છે. દૂરદર્શને તેમના કાર્યક્રમો રજૂ કર્યા છે.
ધાર્મિકલાલ પંડ્યા માત્ર ગુજરાતીમાં જ આખ્યાનો કરે છે તેવું નથી તેઓ હિન્દી, અંગ્રેજી પણ આખ્યાનો આપે છે. મહારાષ્ટ્ર, આંધ્ર, ગુજરાત ઉપરાંત સને ૧૯૭૯માં યુ.કે.માં, સને ૧૯૮૨માં ઝિમ્બાબ્વે, ઝામ્બિયા, કેનેડા અને અમેરિકામાં આખ્યાન અને ભજનના કાર્યક્રમો રજૂ કરી ગુજરાતની કીર્તિને વધુ ઉજ્વળ બનાવી.
થોડાં વરસ પહેલાં બેંગલોરમાં મળેલ સાર્કના સાત દેશોના વડાઓની શિખર પરિષદમાં પણ માણભટ્ટની કલા રજૂ કરવાનું ગૌરવ તેમણે પ્રાપ્ત કર્યું.
સંગીત નાટક અકાદમી નવી દિલ્હી, ગુજરાત સંગીત નાટક અકાદમી, ગુજરાત લોકકલા કેન્દ્ર, અમદાવાદ અમૃત વિચાર ટ્રસ્ટ અને વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન તરફથી તેમનું સમ્માન કરી ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
હવે આ માણભટ્ટની પરંપરા તૂટી રહી છે. આપણી પાસે ફક્ત એક ધાર્મિકલાલ પંડ્યા રહ્યા છે.
હાસ્યકલાકાર
ધીરુભાઈ સરવૈયા
ધીરુભાઈ સરવૈયાનો જન્મ ખાંટ
જ્ઞાતિની સરવૈયા શાખામાં ખરસરા (રણમલજી) ગામે તા. ૧૭-૫૧૯૬૫ના રોજ થયો. તેમના પિતાનું નામ હિરભાઈ અને માતાનું નામ કુંવરબહેન. પરિવારમાં ચાર ભાઈઓ છે. તેમના પિતાનો વ્યવસાય ખેતી છે.
ધીરુભાઈ કહે છે મને જે સિદ્ધિ મળી તે મારા પિતાજીની પ્રેરણાથી. તેમના પિતા રાસ, ગરબા વગેરે ગવરાવતા ને સારા ગાયક હતા તેમની પ્રેરણાથી ધીરુભાઈમાં લોકવાર્તા, દુહા, છંદનો શોખ કેળવાયો. તેઓનો અભ્યાસ માત્ર ચાર ધોરણનો
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ છે, પણ ભણતર અને કળાને શો સંબંધ? કળા એ તો કોઠાસૂઝ છે. તેઓ બચપણથી શાળામાં પણ પ્રોગ્રામ આપતા. તેમના મોટાભાઈ મનાભાઈ પણ સારા ભનિક છે.
આ બધી કળા ધીરુભાઈને વારસામાં મળી છે. એક નાના ખીરસરા જેવા ગામમાં જન્મી દેશવિદેશમાં ખ્યાતિ મેળવી છે.
તેઓએ પ્રથમ પ્રોગ્રામ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી પ્રસારિત કર્યો. તેના ત્રણ વિષય હતા. લોકવાર્તા, દુહા, છંદ, લોકસાહિત્ય અને હાસ્યરસ.
તેઓના પ્રોગ્રામ આકાશવાણી દૂરદર્શન, રાજકોટઅમદાવાદ, ઈ.ટી.વી., જી.ટી.વી. અને અન્ય ચેનલો પરથી પ્રસારિત થતા રહે છે. ભાગ્યે જ કોઈ દિવસ એવો હશે કે જે દિ કોઈ ચેનલ ઉપરથી ધીરુભાઈનો પ્રોગ્રામ પ્રસારિત થયો ન હોય! હાલમાં તેઓના ૨૪ આલ્બમ પ્રસારિત થયાં છે.
તેઓએ પ્રોગ્રામ અર્થે સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, મેંગલોર, બેંગલોર, હૈદરાબાદ, મદ્રાસ, કોલ્હાપુર અને વિદેશોમાં પરિભ્રમણ કરેલ છે, તેમજ અમેરિકા, ઇંગ્લેન્ડ, દુબઈ અને સિંગાપુર વગેરે શહેરોમાં હાસ્યરસના પ્રોગ્રામો આપેલા છે.
આ ઉપરાંત તેઓ ગુજરાતના બાવન જેટલા નામાંકિત કલાકારોના પરિચયમાં આવેલ છે એટલે બહોળો અનુભવ છે.
આ ઉપરાંત તેમની અનેક સીડી-કેસેટો પણ થઈ છે.
ધીરુભાઈ એક ઉદારદિલ કલાકાર છે. કવિ અને કલાકાર ભાગ્યે જ ઉદાર હોય, જે વર્ગ સમાજ પાસેથી લઈ શકે છે તે આપી શકતા નથી. આજે ઘણા કલાકારો પાસે સગવડ છે પણ લાયક માણસની કદર કરી શકે એવા નથી. મારો અનુભવ કહું તો એક પ્રોગ્રામમાં અમે મળ્યા-બેઠા હતા. તો મેં કહ્યું ધીરુભાઈ! મારા પુસ્તકવિમોચન સમારોહમાં તમને બોલાવવાનું મન થાય પણ પુરસ્કાર આપી શકું નહીં એટલે નથી બોલાવતો.
તો ધીરુભાઈ અને ગુલાબદાને કહ્યું “અમે ક્યારે પુરસ્કાર માંગ્યો? અમે તો તમને સામો પુરસ્કાર આપીશું.” આવું ધીરુભાઈ અને ગુલાબદાન જ કહી શકે.
મેં જ્યારે ધીરુભાઈનો ફોટો અને પરિચય મંગાવ્યા ત્યારે તેમણે સાથે ૩૦૦૦ રૂપિયા પણ મોકલ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org