________________
૪૧૪
આ જાતિ નાનામોટા ગુનામાં સામેલ ગણાતી હતી. શિક્ષણ નહીંવત્. વળી મિયાણા–સ્રીઓની બૂરી હાલત હતી.
શ્રી દવે કંપનીએ (શ્રી દેવી પ્રસાદ અને એમનાં પત્ની શ્રીમતી રુદ્રાબહેન) માળિયામાં થાણું નાખી સંસ્કાર-શિક્ષણ મિયાણાઓમાં વધે તેવા જોરદાર પ્રયત્નો કર્યા. આ કોમ પર ત્યાંના ભૂતપૂર્વ રાજવીનું ખૂબ વર્ચસ્વ એટલે રાજવીનાં પત્નીરાણીસાહેબાનો સહકાર મેળવીને સમાજસુધારણાનું કાર્ય લગભગ ૧૦ વર્ષ સુધી માળિયામાં રહીને કર્યું. ગુનેગાર ગણાતી મિયાણા કોમમાં સંસ્કાર-શિક્ષણથી ગજબનું પરિવર્તન થયું.
છેલ્લે કેન્દ્ર સરકારના સમાજકલ્યાણ બોર્ડ (જેનાં અધ્યક્ષ શ્રી પુષ્પાબહેન મહેતા હતાં) દવે દંપતીને ખંભાતના પછાત વિસ્તારમાં સુધારણાનું વિશેષ કરીને મહિલા-બાળ સુધારણાનું કામ સોંપ્યું અને ત્યાં પ્રોજેક્ટ શરૂ કરાવ્યો, તો શ્રી દેવીપ્રસાદે ત્યાં પણ સમાજસુધારણાનું પાયાનું કામ કર્યું. ખંભાતના દરિયાકિનારાનાં ગામડાં ખૂબ પછાત એટલે ત્યાં સંસ્કાર કેન્દ્રો, બાલવાડીઓ શરૂ કરાવી. ખંભાત શહેરમાં વિકાસગૃહની જેમ ‘નારી સંરક્ષણ કેન્દ્ર’ શરૂ થવાથી સમાજસુધારણાના કામને ખૂબ વેગ મળ્યો છે.
આમ શ્રી દવે દંપતીએ શ્રી પુષ્પાબહેન મહેતાની પ્રેરણા અને સમાજસુધારણાના કાર્યક્રમ મુજબ ગીરના જંગલમાં, માળિયાની ગુનેગાર ગણાતી કોમ મિયાણામાં તેમ જ પછાત પ્રદેશ ખંભાતના દરિયાકાંઠાનાં વિસ્તારના ગ્રામ પ્રદેશમાંશિક્ષણ અને સંસ્કારની પ્રવૃતિઓ મારફત વ્યાપક ફલક પર પાયાનું સમાજસુધારણાનું કામ જિંદગીભર એટલે વર્ષો સુધી કર્યું અને એ કામમાં ઈશ્વરનાં દર્શન કર્યાં છે.
જાહેર કાર્યો અંગે લાખોનાં દાન મેળવ્યાં પરંતુ પોતે ભાડુતી બસમાં ગિર્દી વચ્ચે ફર્યા!
લલ્લુભાઈ શેઠ
દાનમાં લાખો રૂ. મેળવ્યા અને માનવ-દુઃખદર્દો દૂર કરવા એ દાનની રકમમાંથી પાઈએ પાઈ ખર્ચીને મહાન કાર્યો કર્યાં પરંતુ સાદાઈભર્યું જીવન જીવવા પોતે ભાડૂતીબસમાં ગિર્દાગિર્દી વચ્ચે ફર્યા. ન ટેલિફોન વસાવ્યો, ન મોટર વસાવી. વસાવ્યો એક માત્ર રેંટિયો. ગાંધીનું ગાન ગાઈને રોજ નિયમિત કાંત્યું. એ હતા સાવરકુંડલાના શ્રી લલ્લુભાઈ શેઠ. ખ્યાતનામ
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ ડૉ. જીવરાજ મહેતાના ભત્રીજીવર. કુંડલા, મહુવા, રાજુલા વિસ્તારના કપોળ મહાજનો શ્રીમંત ગણાય છે. શેઠિયા ગણાય છે. મોમાં રૂપેરી ચમચો લઈને જન્મે છે. મુંબઈમાં વસી મોટા ઉદ્યોગ-ધંધા કરે છે. એ જ કપોળ જ્ઞાતિમાં જન્મેલ શ્રી લલ્લુભાઈ શેઠે ગાંધીજીવન સ્વીકાર્યું અને જીવનના અંત સુધી અનેક ગાંધીચીંધ્યાં સેવાકાર્યો, રચનાત્મક કાર્યો કર્યાં. શ્રી લલ્લુભાઈ, શ્રી અમુલખભાઈ અને શ્રી કેશુભાઈ ભાવસાર એ ત્રણેયની ત્રિપુટીએ નાના એવા કુંડલાનો નગરમાં વિકાસ કર્યો અને પ્રજાજોગ કલ્યાણ કાર્યો કર્યાં. તેઓનું સૌથી મોટું કાર્ય કુંડલા ગ્રામસેવા મંડળ દ્વારા સમગ્ર કુંડલા પંથકના અસંખ્ય ગામોનો વિકાસ. કુંડલા તાલુકાના એકેએક ગામનું નાનું બાળક પણ શ્રી લલ્લુભાઈને ઓળખે, કારણ જીવ્યા ત્યાં સુધી તેઓ તાલુકાનાં એકેએક ગામમાં પ્રજાનાં, ખેડૂતોનાં, સ્ત્રીઓ અને બાળકોનાં સુખદુઃખ જાણવા હર્યાફર્યા. તેઓ જીવ્યા ત્યાં સુધી દરેક ગામમાં વારાફરતી રવિવારી બેઠક રાખતા. રવિવારી બેઠક એટલે નિયત દિવસે, સમયે ગામના ચોરા પર અથવા ગામના ધર્મસ્થાનમાં રાત્રિ બેઠક, જેમાં કુંડલા ગ્રામસેવા મંડળના આગેવાનો, શ્રી લલ્લુભાઈ પણ અચૂક હાજર રહે અને ગામનાં દુઃખદર્દો સાંભળે, નોંધે, ઉકેલે બતાવે તેમ જ ઉકેલવા માટે સરકારમાં લખાણ કરે. મામલતદાર, મહાલકારી અથવા બીજા તાલુકાના અધિકારીઓનો સંપર્ક સાધી જે તે પ્રશ્નોનો ઉકેલ લાવે. જિલ્લા કે રાજ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો ખુદ લલ્લુભાઈ જઈને ઉકેલ લાવે. કુંડલા ગ્રામસેવા મંડળનું મુખપત્ર. તેમાં પણ બધા પ્રશ્નો અને ઉકેલોનો સાર છપાય.
કુંડલામાં સ્થાનિક તેમ જ ગ્રામપ્રદેશમાં દાન મેળવીને અનેકવિધ કલ્યાણનાં કાર્યો કર્યાં. શાળાઓ સ્થાપી, કોલેજ, કુદરતી ઉપચાર કેન્દ્ર, હરિજન છાત્રાલય, સંસ્કારકેન્દ્રો, બાલવાડીઓ, બાલમંદિર, અખાડો (આ અખાડામાં તેઓ રોજ કસરત કરવા જતા) ગાંધી ધર્મશાળા, આશ્રમશાળા, આંખનું દવાખાનું, પાણી માટે બંધ, સહકારી ધોરણે વાહનવહેવાર (જે પાછળથી બંધ રહ્યો) પથિકાશ્રમ, પુસ્તકાલય, મહિલાવિદ્યાલય, મહિલાછાત્રાલય, ખાદી કાર્યાલય, ખાદીવણાટશાળા, ખાદી ગ્રામોદ્યોગ સાબુ (માથું ધોવામાં કુંડલાના સાબુ ખાસ વખણાય છે) ગાંધી ધર્મશાળામાં સસ્તું ભોજનગૃહ, ગ્રામરક્ષક દળની પ્રવૃત્તિ વગેરે.
એમનું મુખ્યકામ ખાદી ગ્રામોદ્યોગનું. ઊની ધાબળા ધાબળી વણાય (જૈન સાધુઓની ઊની ધાબળી કુંડલામાં જ
For Private & Personal Use Only
www.jainelibrary.org