________________
સ્વપ્ન શિલ્પીઓ
શ્રી ભાનુબહેન પારેખ લાંબુ જીવ્યાં નહીં. અતિ પરિશ્રમ અને મહિલા–બાળસેવાની વિસ્તૃત પ્રવૃત્તિઓને કારણે, ટૂંકી માંદગીમાં હૃદયરોગના હુમલાથી નિધન પામ્યાં. એમણે જે જે પ્રવૃત્તિઓ શરૂ કરેલી તે બધી એમના નિધન બાદ અન્ય અનુભવી બહેનો તરફથી ચાલી રહી છે અને શ્રી ભાનુબહેન પારેખનું નામસ્મરણ જીવંત જોવા મળે છે. હજુયે જીવંત છે. જિંદગીભર સ્ત્રીઓ, બાળકો અને વનવાસીઓની સેવા કરી..... દેવીપ્રસાદ દવે
સૌરાષ્ટ્રના ગીર જંગલમાં ચારણ, રબારી અને ભરવાડ, જે માલધારીઓ તરીકે પંકાય, એ બધાં ભેંસો રાખે અને ભેંસોનાં દૂધ વેચવાની ભારે હરકત, દૂર દૂર શહેરમાં અથવા ગામડે જવું પડે. જે માલધારીઓને પોસાય નહીં. બૈરાંઓ દૂધ-ઘી વેચવા નીકળે નહીં. પુરુષો માલઢોર પાછળ વનમાં ઢોર ચારવા સવારથી સાંજ સુધી નીકળી પડે. પરિણામે ભેંસના દૂધમાંથી બનાવેલું ઘી નેસડે નેસડે વેપારી આવી ફરીને પાણીના મૂલે લઈ જાય. જોખમાં પણ ગરબડ થાય. શેર ઘીને બદલે સવાશેર ઘી ઓછા મૂલે લઈ જાય. વળી વેપારી રોકડાં નાણાં ન આપે. કહે કે દુકાને આવીને ચીજવસ્તુઓ લઈ જજો. કપડાં, ચા, ખાંડ, અનાજ, ચારોલું, કપાસિયા લઈ જજો અને માલધારીને ચોપડામાં રાખે એટલે કે રોકડ ઉછીનાં નાણાં આપે તો મુદ્દલ રકમ કરતાં વ્યાજ વધી જાય એવું કરે. વરસો સુધી માલધારીનું નામું ચોપડે રહ્યા કરે. ગીરનાં માલધારીઓનું વેપારીઓ દ્વારા ભયંકર શોષણ થતું, હદબહાર થતું અને વાત સાંભળીએ તો કાળજાં કંપી જાય એવું શોષણ થતું હતું.
ગીરના જંગલની જેમ પોરબંદર-જામનગર વચ્ચે આલેચ–બરડાના જંગલમાં વસતાં રબારી, ચારણ, ભરવાડ માલધારીઓનું વેપારી દ્વારા ભયંકર શોષણ થતું. ખંભાળિયાનું ઘી વખણાતું–એ માલધારીઓનાં ઢોર-ભેંસોનું ઘી. સાસણમાં પણ વેપારીઓ, વિસાવદરના વેપારીઓ, તલાળાના ગીરના વેપારીઓમાંના મોટા ભાગના વેપારીઓ દ્વારા માલધારીઓનું ખૂબ શોષણ થતું. વ્યાજખોર વેપારીઓ અભણ માલધારીઓનું શોષણ કરતા હતા.
આ સ્થિતિની વચ્ચે માલધારીઓના ‘આઈ' ગણાતાં શ્રી પુષ્પાબહેન મહેતાએ કચ્છભૂજના રહીશ વર્ષો સુધી હરિજન અને પછાતવર્ગોની વચ્ચે રહી સેવાકાર્ય કરનાર, યુવાન શ્રી
Jain Education Intemational
૪૧૩
દેવીપ્રસાદ જગન્નાથ દવેને ગીરના જંગલમાં શોષણ પામતાં માલધારીઓનું શોષણ પાયામાંથી અટકાવવાનું કાર્ય સોંપ્યું અને ભૂજથી તેડાવી સાસણ મોકલેલ. ખાદીધારી ગાંધીભક્ત શ્રી દેવીપ્રસાદે સાસણમાં થાણું નાખી નેસડે–નેસડે ફરી માલધારીઓને સમજણ આપવા તેમ જ શોષણ અટકાવવાનું ભગીરથ કાર્ય બે પાંચ વર્ષ નહીં પરંતુ ૨૫ વર્ષ સુધી સાસણ રહીને શોષણને ધરમૂળથી અટકાવવા અનેક મુસીબતો વચ્ચે પુરુષાર્થ કર્યો. તેઓ માલધારીઓમાં ‘દવેભાઈ' તરીકે જાણીતા રહ્યા. શ્રી દેવીપ્રસાદને સમજાયું અનુભવોને આધારે કે માલધારીઓનું શોષણ અટકાવવું હોય તો શિક્ષણ-સંસ્કારનો પાયામાંથી પ્રચાર કરવો રહ્યો, તો એ માટે સાસણમાં માલધારીઓની ઘરશાળા પૂ. શ્રી પુષ્પાબહેન મહેતા મારફત શરૂ કરાવી. માલધારી યુવાનોને તેડાવી સંસ્કારો આપવા માંડ્યા. માલધારીઓ તરસ લાગે તો પાણી નદી–વહેળામાં મો ડુબાડીને પીવે, તેને બદલે ગાળેલું પાણી ડોયાથી પીવાનું. માલધારીઓ નહાવાનાં આળસું પરિણામે ચામડીના રોગ વધુ એટલે નહાવાનો મહિમા સમજાવ્યો. દોરી બાંધીને કપડાં સૂકવવાં, ડાસિયો રાખી ખાદ્યપદાર્થો રાખવા, ઢોરનો વાડો રહેઠાણથી જરાક દૂર રાખવો, ધૂપેડો આપવાનો રિવાજ, માંદગીમાં દવા લેવી, દવાખાને જવું, બાધા આખડી કે દાણા જોવરાવવાની જરૂર નથી. વારતહેવારે ખોટા ખર્ચા ન કરવા વગેરે નેસડે–નેસડે ફરી, માલધારીઓને ભેગાં કરી સમજણ આપી. બીજી બાજુ માલધારી શાળા, માલધારી સંસ્કાર કેન્દ્રો, માલધારી બાલવાડીઓ શરૂ કરાવી.
વળી માલધારીઓને વનવાસીઓ (શેક્યુઅલ ટ્રાઇબ) તરીકે સ્ટેટસ–માન્યતા મળે એ માટે પૂ. પુષ્પાબહેન મહેતા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી શકે એ માટે વાતાવરણ તૈયાર કર્યું અને છેવટે કેન્દ્ર સરકારે ગીર, આલેચ, બરડામાં નેસડા બાંધી રહેતાં માલધારીઓને શેડ્યુઅલ ટ્રાઇબ તરીકે– અનુસૂચિત જનજાતિ તરીકે જાહેર કરવા પડ્યાં અને એથી માલધારીઓને ઉત્કર્ષ માટે ભારત સરકારની યોજનાઓનો, શિક્ષણનો, નોકરીઓનો લાભ મળ્યો.
આ ભગીરથ કાર્યનું સફળ પરિણામ જોઈને શ્રી દેવીપ્રસાદ દવેને–દવે દંપતીને મોરબી પાસેના માળિયા– મિયાણા મુસ્લિમોમાં સુધારાનું કામ કરવા માળિયા મોકલ્યા. આ મિયાણા એક વખત ગુનેગાર જાતિ ગણાતી. કેટલાક મિયાણાને રોજ હાજરી પુરાવવા પોલીસચોકીએ જવું પડતું.
For Private & Personal Use Only
www.jainelibrary.org