SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ રહેતી, પોતે જે જે સારવાર પોતાના કેન્સર રોગમાં કરેલી તે બધી જ સારવાર એમના કેન્સરના દવાખાનામાં કરતા રહ્યા. ડૉ. નરેન્દ્રભાઈએ પોતાના અભ્યાસ અને અનુભવોના નિચોડરૂપ સૌ પ્રથમ એવું પુસ્તક લખ્યું અને પોતે જ પ્રગટ કરાવ્યું. એ પુસ્તકનું નામ છે “કેન્સર સમજીએ” (કારણો અને ઉપચાર). સાવ મામૂલી કિંમતે કેન્સરના દર્દીઓને એ પુસ્તક મળતું થયું. | ડૉ. પટેલે એ પુસ્તકમાં પાયાની વિચારણામાં રોગ મટાડવામાં કઈ શક્તિ કામ કરે છે, તેનું બયાન આપ્યું છે. | તેઓએ વર્ણવ્યું છે કે, કેન્સરની સારવારમાં શરીરને પૂરતો પ્રાણવાયુ મળવો જોઈએ અને શરીરને વિષહીન કરવું જોઈએ. આ બે બાબત પર ધ્યાન આપવામાં આવે (આજના તબીબો ધ્યાન આપે તો) તો કેન્સર સામેનું અર્ધ યુદ્ધ જીતી ગયા છીએ તેમ માનવું. કોઈ પણ સારવાર આ બે બાબતોને નજર સમક્ષ રાખીને કરવામાં આવે તો સફળતાની પૂરી આશા છે. આજે જે સારવાર અપાય છે તેમાં સફળતાની તક ઓછી રહેલી છે. તેથી આપણે તિચાર છે. તે પાની એ ખબરોનો એિપેશિ૮ 2 આયુર્વેદિક પદ્ધતિ અથવા તો શસ્ત્રક્રિયા, વિકિરણ (રેઇઝ લેવા) કે રાસાયણિક ચિકિત્સા (કેમોથેરપી) જવાબ આપી શકે એમ છે ખરાં? આટલાં વર્ષોના પ્રયત્નો પછી પણ મૃત્યુનું પ્રમાણ અને કેન્સર રોગ વધવાનું પ્રમાણ બંને વધી રહ્યાં છે. આ બે બાબતો માટે યકૃત (લીવર) અને સ્વાદુપિંડ (પેન્ક્રિયાસ)નું મહત્ત્વ સ્વીકારવું પડશે. જે અંગો શરીરના વિષને દૂર કરવાનું કામ કરે છે.....લીલાં શાકભાજીનો અભાવ, ખાદ્ય પદાર્થોને વધુ ગરમ કરવાની પ્રથા, ન લેવા જેવા આહારનો વધુ પડતો ઉપયોગ, પ્રોટીન અને પ્રાણીજ પ્રોટીનનો વધુ પડતો ઉપયોગ વગેરે કારણોથી શરીરને મળવા જોઈતાં પ્રજીવકો મળતાં નથી અને એની ઊણપ દૂર કરવા પૂરતા ઉપાયો લેવા જોઈએ.” | ડૉ. નરેન્દ્રભાઈ પટેલે કેન્સર મટાડવામાં આહારની ગુણવત્તા પર વધુ ભાર મૂકેલ છે. ડૉ. પટેલે કેન્સર જેવા રોગમાં પણ યોગક્રિયા-પ્રાણાયામ કરવા પર ભાર મૂકેલ છે, કારણ કે પ્રાણાયામથી શરીરને પૂરતો પ્રાણવાયુ મળે છે, જેથી કેન્સરના જીવકોષોનો ઉગાવો, ફેલાવો થતો અટકે છે. (આ જ વાત હાલ ભારતમાં યોગચિકિત્સાનો પ્રસાર કરી રહેલા ૪૧૧ યોગચિકિત્સક સ્વામી રામદેવજી મહારાજ લોકોને તેમ જ તબીબોને પણ સમજાવી રહ્યા છે.). કેન્સરના દર્દીઓના શરીરમાં રહેલા કેન્સરયુક્ત જીવકોષો (કેન્સર બોડીસેલ્સ) પ્રાણવાયુ નહીં મળવાથી વિકસે છે. પ્રાણવાયુ પૂરતા પ્રમાણમાં મળે તો કેન્સર કોષોનો ઉગાવો ઘટે છે. અમેરિકામાં વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે કેન્સરગ્રસ્ત માનવીને પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ (ઓક્સિજન) મળે તો રોગ અટકે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે. ડૉ. નરેન્દ્રભાઈ પટેલે જીવનભર પૂ. રવિશંકર મહારાજના સૂત્ર “ઘસાઈને ઊજળાં થવું' એ મુજબ જીવ્યા. તેઓ માનવતાને વરેલા હતા. એમણે કેન્સર પોતાનું મટાડવા અથાક પ્રયત્નો, પ્રયોગો કર્યા. પરિણામે તેઓ લાંબુ ન જીવ્યા. છેવટે આ દારૂણ રોગે એમનો ભોગ લીધો. હાલ કેન્સર તજ્ઞ મા શ્રી મા અનંતાનંદ સ્વામી કેન્સર રોગ અંગે પાયાનું સંશોધન કરી અસંખ્ય કેન્સરના દર્દીઓનાં દર્દ મટાડ્યાં છે. તેમણે તેમના વહેલાલ (અમદાવાદ જિલ્લો) ખાતેના આશ્રમમાં કેન્સર રોગ સામે ઝુંબેશ–પાયાની સારવાર શરૂ કરી ત્યારે ડૉ. નરેન્દ્રભાઈ પટેલને ખાસ વહેલાલ તેડાવ્યા. ડૉ. નરેન્દ્રભાઈ હાલ ચિરવિદાય પામ્યા છે પરંતુ તેમણે તેમનું જીવન કેન્સરની પાયાની સારવારના સંશોધનમાં તેમ જ માનવના કાર્યમાં વિતાવ્યું હતું. એમના જીવનનું વ્રત હતું : ઘસાઈને ઊજળાં થવાનું ને ઊજળાં થયાં ભાનુબહેન પારેખ બેઠી દડીનાં, શરીરે જરાક સ્થળ પરંતુ કોઈ પણ કામમાં, સાહસમાં આગળ વધવામાં અતિ ફૂર્તિલાં, એનર્જેટીક. પોતે જ શક્તિનો ભંડાર. એમને ખબર પડે કે કોઈ વિધવા સધવા, ત્યક્તા કે ત્યજાયેલ બાળક દુઃખી છે, દરિદ્ર છે, પીડિત છે, પાંગળું છે કે નિરાધાર છે તો તેઓ દોડી જાય અથવા તત્કાળ ઇલાજ શોધે અને નાણાંકીય સહિત તમામ સહાય પહોંચાડે. સ્વભાવે ઉતાવળાં કંઈક કરી છૂટવાની વૃત્તિ ધરાવનાર. પોતે વૈધવ્ય ધારણ કરેલ એટલે જ વિધવાના દુઃખોથી પૂરા પરિચિત. કરુણાની દેવી પણ ખરાં, કરુણાથી ભરપૂર એવાં હતાં મૂળ ધંધુકાનાં વતની પરંતુ લાંબા સમયથી વિધવા બન્યાં પણ એમનાં કાકા શ્રી વેણીભાઈ પારેખના ઘરે જ ભાવનગર રહ્યાં. એમનું નામ : ભાનુબહેન મણીલાલ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy