________________
સ્વપ્ન શિલ્પીઓ
શ્રી અમૂલખભાઈનો જન્મ ૧૯૧૬માં ભાવનગર જિલ્લાના ઉમરાળામાં, મૂળ રહીશ કુંડલાના પરંતુ તેમના પિતા શીતળાદાક્તર એટલે ઉમરાળામાં જન્મ્યા. પિતાની નિવૃત્તિકાળમાં કુંડલા ધજડી ગામમાં રહ્યા. ભણ્યા કુંડલામાં, નાપાસ થયા મેટ્રિકમાં. પછી ભણવામાંથી મન ઊઠી ગયું, તો પછી શું કરવું તેની ગડમથલ ચાલી અને મન વૈરાગ્ય તરફ ઢળ્યું. એક સવારે ઈશ્વરની શોધમાં ગૃહત્યાગ, બચકું લઈને ખૂબ ફર્યા, પણ મન સ્થિર ન થયું. વૈરાગ્યભાવ કોળ્યો નહીં અને મિત્રોના સહકાર, પ્રેમથી માતાપિતાના ઘરે પાછા ફર્યા.
કુંડલામાં ગાંધીભક્ત શ્રી લલ્લુભાઈ શેઠ જેવા તરવરિયા, પ્રેમાળ માનવીનો એમને સાથ મળ્યો. કુંડલામાં ‘જવાહર ભંડાર’ ખાદી ગ્રામોદ્યોગની ચીજો વેચવી શરૂ કરી બાદ કુંડલામાં ખાદી ગ્રામોદ્યોગની બનાવટો તૈયાર કરવા વિશાળ પાયા પર કામગીરી શરૂ કરી. પોતે મૂળ જૈન એટલે મુનિ સંતબાલજીની પ્રવૃત્તિઓ, પ્રવચનોમાં ખૂબ રસ લીધો. સક્રિય રહ્યા. દરમ્યાન કુંડલાના કુદરતી આરોગ્ય કેન્દ્રના ડૉ. અગમપ્રસાદજીના કાકા શ્રી શરણપ્રસાદજી વૈરાગ્યને પરિણામે હિમાલયની યાત્રાએ ગયા તે પાછા ફર્યા અને તેમના ગુરુના સાથીભાઈ સ્વામી નિર્મળાનંદજી મૌન તપસ્યા માટે કુંડલા આવ્યા ત્યાંથી તેઓ ખડસલી એકાંતવાસમાં રહ્યા.
૧૯૩૫માં પૂ. રવિશંકર મહારાજ અવારનવાર તરવડા શ્રી રતુભાઈ અદાણી પાસે આવતા, તેઓ કુંડલા થઈને તરવડા જતા, તો શ્રી અમૂલખભાઈ પૂ. રવિશંકર મહારાજના નિકટના સંપર્કમાં આવ્યા અને રવિશંકર મહારાજના કામના કાર્યકર બની ગયા. એ સમયે બિહારમાં કારમો દુકાળ તો લગભગ પાંચસો (૫૦૦) સ્થળોએ રસોડાં શરૂ કર્યાં તેમ જ કરાવ્યાં. દર રસોડે ૫૦૦ થી ૨૦૦૦ માનવીઓ જમતાં. શ્રી જયપ્રકાશ નારાયણના સંપર્કમાં અમૂલખભાઈ રહ્યા. આ અરસામાં શ્રી ઢેબરભાઈ રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ હતા એટલે સૌરાષ્ટ્રના કાર્યકરોના કામની ત્યાં બહુ મોટી કદર થઈ. તૈયાર ખાવાનું મળે એટલે લોકોની આળસ પોષાય એટલે પૂ. રવિશંકર મહારાજની સૂચનાથી બિહારના દુષ્કાળ પીડિતો માટે રેશનકાર્ડ વહેંચીને દરેકને કાર્ડ મુજબ અનાજ નિઃશુલ્ક વહેંચવાની ગોઠવણ થઈ. તે પછી કિસાનો માટે ખેતીના કૂવા ગળાવવામાં સહાય તેમ જ સામગ્રી વહેંચવાનું ઠર્યું, તો એ વિસ્તારમાં માત્ર બે મહિનામાં ૮૦૦ કૂવા ગાળવામાં આવ્યા. આવાં બધાં કામોમાં શ્રી અમૂલખભાઈએ પોતાના સૌરાષ્ટ્ર
Jain Education International
૪૦૭
વિસ્તારના કાર્યકર-સાથીઓની સહાયથી આ બધાં અઘરાં કાર્યો પૂરાં કર્યાં અને બિહારવાસીઓનો દુષ્કાળ પાર ઉતરાવ્યો. અજાણ્યો પ્રદેશ, અજાણ્યાં માનવીઓ, ભાષાની મુશ્કેલી વગે૨ે કઠણાઈની વચ્ચે શ્રી અમૂલખભાઈએ રાતદિવસ ઉજાગરા સેવીને સર્વોદય કાર્યકર બની અઘરું કામ પાર પાડી સૌને યશ અપાવ્યો. વણથાક્યા કામ કર્યું. ભૂદાન પ્રવૃત્તિઓમાં પૂ. વિનોબાની યાત્રામાં સાથે રહીને ફરીને ઊડિયા તેમ જ હિરજનો વગેરેને ભૂદાનની જમીનો અપાવવાનું કાર્ય લાંબા સમય સુધી કર્યું. એટલા માટે તેઓ વર્ધા–વિનોબા આશ્રમમાં રહી આવ્યા.
શ્રી વિમલાતાઈની સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે જે શિબિરો થઈ, તેની ગોઠવણ, વ્યવસ્થાનું સઘળું કાર્ય કર્યું. વચ્ચેના સમયમાં શ્રી દેવીબહેન પટ્ટણી સાથે શ્રી મા આનંદમયીના હરદ્વાર-કનખલ આશ્રમમાં જઈ આવ્યા. વિનોબાજીના પ્રતિનિધિ તરીકે વિનોબા આશ્રમનાં શ્રી દેવીબહેન સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભૂદાનયજ્ઞનો પ્રચાર કરવા ફર્યાં તો તેમના પ્રવાસની બધી ગોઠવણો શ્રી અમૂલખભાઈએ કરી. તેઓ ધારાસભામાં બેવાર ચૂંટાયા. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના મંત્રી બન્યા. સર્વોદય મંડળના પ્રમુખ બન્યા. એમ એમણે અનેક લોકસેવાની જવાબદારીઓ ઉપાડી અને જીવનને સદાય સક્ષમ અને કાર્યરત રાખ્યું. તેઓ સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ તે પછીના વચગાળાના સમયમાં જિલ્લા પંચાયત અધિકારી નિમાયા, એ પછી તેઓ કુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા. સૌરાષ્ટ્રમાં જ્યારે જ્યારે દુષ્કાળ કે હોનારતો થઈ તેમાં તેઓએ નિષ્ઠાવાન, પ્રામાણિક કાર્યકર બની સાથીઓ સાથે રહી સેવાકાર્ય કર્યું.
ગાંધીજીએ પ્રબોધેલી બધી રાષ્ટ્રીય લડતોમાં કામ કર્યું. તેઓએ રાજકારણ કરતાંય રચનાત્મક કામોમાં, પ્રજાજીવનનાં ઉત્થાનકાર્યોમાં વધુ કામ કર્યું અને જીવનને સાર્થક કર્યું. સૌથી મોટું અને કાયમી કામ તે શ્રી લલ્લુભાઈ શેઠ, શ્રી કેશુભાઈ ભાવસાર અને પોતે એમ ત્રિપુટી બનીને કુંડલા તાલુકાના ઉત્થાનમાં સક્રિય યોગદાન આપ્યું અને પ્રજાને જાગૃત બળવાન બનાવી, જે પ્રવૃત્તિઓ હજુય એમણે કંડારેલ કેડા મુજબ ચાલી રહી છે અને વિકસી રહી છે. આ ત્રિપુટીએ સૌરાષ્ટ્રગુજરાતમાં કુંડલા તાલુકાને પ્રાણવાન બનાવી નામ રોશન કરાવ્યું.
જીવનનાં છેલ્લાં વરસોમાં એમણે શ્રી વિમલાતાઈ અને
For Private & Personal Use Only
www.jainelibrary.org