SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ 3o સ્વપ્ન શિલ્પીઓ સ્વાતંત્ર્યસેનાની છોટે સરદાર ચંદુલાલ દેસાઈ, ડુંગરના કલ્યાણજી મહેતા, જેમને લોકોએ ચાંદીથી તોળ્યા. એ રકમનો માનવરાહત ફંડમાં ઉપયોગ થયો. રાજુલાના કનુભાઈ લહેરી, મહુવાના જશવંત મહેતા વગેરેની સેવા નોંધપાત્ર છે. કચ્છના જસ્ટિસ મહમદઅલી ચાગલા, પહેલા વિમાનચાલક બુદ્ધભટ્ટી, જાણીતા અર્થશાસ્ત્રી કે.ટી. શાહ, વનસ્પતિ શાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજી, મેયર રવજી ગણાત્રા. વહાણવટાક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર સુમતિ મોરારજી, સોનગઢના કલ્યાણચંદ્રજીબાપા તથા પૂ. કાનજીસ્વામીએ સિહોર પાસે સોનગઢને સોળેકળાએ શણગાર્યું. આ સૌએ કચ્છના સંસ્કાર સંસ્કૃતિને ખરેખર દિપાવ્યાં છે. સંસ્કૃતિના સંવાહક શ્રી ગુણવંત શાહ, જેમની તેજસ્વી કલમે અખબારી કટારોમાં ક્રાંતિકારી વિચારધારાનાં દર્શન થાય છે. ગઝલમહેફિલનું રંગીન નજરાણું અમૃત “ઘાયલ', તેજસ્વી અધ્યાપક અને સાંસદ પુરુષોત્તમ માવલંકર, પાટીદારરત્ન સમર્થ એન્જિનિયર હરિભાઈ સિદ્ધપુરા આ સૌની જીવનયાત્રાએ જ ઘણાંને સત્ત્વશીલ બળ પૂરું પાડ્યું છે. વિશ્વપ્રવાસી કાળુભાઈ બસિયા, ચલાલાના નાગરદાસ દોશી, પંદરમી શતાબ્દી અને તે પછીના કાળમાં મલ્હાર રાગ ગાનાર વડનગરની નાગર બહેનો તાના અને રિરિ, જામનગરના પંડિત આદિત્યરામ વ્યાસ, અજોડ ધ્રુપદ ગાયકીના ઉત્તમ કલાકાર સોળમી શતાબ્દીમાં બૈજુ નામના મહાન સંગીતકારને ગુજરાતના રાજગાયક તરીકેનું સન્માન મળેલું. સંગીતશાસ્ત્રી ડાયાલાલ શિવરામ નાયક ઉત્તમ ગાયક અને શ્રીમતી ચંદ્રપ્રભા એક ઉત્તમ ગાયિકા તરીકે સારું માનપાન પામ્યાં. સંગીત માર્તડ પંડિત ઓમકારનાથજી, યશવંત પુરોહિત, જગદીપ વિરાણી, રસિકભાઈ અને બાબુભાઈ અંધારિયા, દયારામ ઠાકોર, વિષ્ણુ દિગંબર અને નારાયણ ખરે આપણા ગૌરવવંતા સંગીતરત્નો હતાં. સંસ્કૃતિનું નંદનવન આ તપોભૂમિનો ધર્મવૈભવ પણ આપણને લાંબી સ્મૃતિયાત્રામાં લઈ જાય છે. બગદાણા, વીરપુર કે સતાધાર જેવી ઘણી જગ્યાના આદ્યસ્થાપકો લોકહૈયામાં અમર બની ગયા છે. આ ગ્રંથના સંપાદકના ઘરઆંગણે વારંવાર પાવન પગલાં કરનારા ભાવનગરના રામમંત્ર મંદિરના પ્રેરણાદાતા પૂ. મુનિ મહારાજ, ચિત્રાના તપસ્વી સંતરત્ન મસ્તરામ બાપા, સાદા નિર્મોહી બજરંગદાસ બાપુ, દુઃખીશ્યામ બાપા, ભાવનગર ગોળીબાર હનુમાનની જગ્યાને મોટું તીર્થ બનાવી દેનાર અને દુષ્કાળમાં હજારો ગાયોને પાળનાર મદનમોહનદાસ બાપાનો ભક્તગણ ગુજરાતમાં ઠેર ઠેર પથરાયેલો છે. રોમાંચક જીવનધારાના આવા સંતોની સાથે ગુજરાતમાં ગંગાસતી જેવી સતીઓ પણ ઘણી થઈ. ચારણજ્ઞાતિનાં આઈ નાગબાઈ, ગીરનાં આઈ સોનલબાઈ, ચલાળાનાં મૂળીબાઈ, પોરબંદર બોખીરાનાં વિરલબાઈ, બરડાનાં સંત લીરીબાઈ, ખંભાળિયાનાં સંત લોયણ, સતી તોરલ, જેમણે જેસલ જાડેજાને સતનો માર્ગ બતાવ્યો. ગુજરાતના સંસ્કાર વારસામાં સંસ્કૃતિની સુગંધ વારંવાર પ્રતીત થતી રહી છે. ભગવાન શ્રીકૃષ્ણ સમર્થ મહાયોગેશ્વર તરીકે પ્રસિદ્ધિ પામ્યા, ગિરનારમાં ગુરુ દત્તાત્રેયનાં બેસણાં, નર્મદાકિનારે નારેશ્વરના સંત બ્રહ્મલીન રંગ અવધૂતજી, આધ્યાત્મિક સિદ્ધિઓ મેળવનાર મુક્તાત્મા પૂ. મોટા, જૂનાગઢ પાસે બિલખામાં શ્રીમન્નથુરામ શર્માજી ૧૦૦થી વધુ ગ્રંથો ગુજરાતનું ઘરેણું બની રહ્યા. શ્રેય સાધક વર્ગના સ્થાપક પૂ. નૃસિંહપ્રસાદજી મહારાજે સાધકોનો એક ઉન્નતગામી વર્ગ તૈયાર કર્યો. સંત યોગેશ્વરજી, જેમણે સંસ્કૃતિના પ્રસારનું યજ્ઞકાર્ય જીવનના અંત સુધી કર્યું. આપણને સસ્તું સાહિત્ય સુલભ કરી આપનાર ભિક્ષુ અખંડાનંદજીનું Fકિo). Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy