________________
સ્વપ્ન શિલ્પીઓ
સ
સંસ્કૃતિના ઘડવૈયાઓ ઃ વિવિધક્ષેત્રનાં પ્રતિભાવંતો
:
આ
ચૌદમી સદીમાં દાનવીર જગડુશા કચ્છમાં થયા. દુષ્કાળમાં ઠેર-ઠેર અન્નક્ષેત્રો ખોલાવ્યાં. હિન્દુ-મુસ્લિમોને મંદિરો અને મસ્જિદો બંધાવી આપ્યાં. અમદાવાદના શેઠ હઠીસિંગ અને તેમનાં ધર્મપત્ની હરકુંવર શેઠાણી-આ ધર્મપ્રેમી દંપતીએ ધર્મકાર્યોમાં ઠેર ઠેર અઢળક નાણું વાપર્યું. મંદિરોના નિર્માણકાર્યમાં અખૂટ ધનરાશિ વાપરવામાં ધોળકાના ઉદા શેઠે ભારે મોટી નામના મેળવી. એક સમયે ગુજરાતના મહાતીર્થ સોમનાથ ઉપર વિધર્મીઓનું આક્રમણ થયું ત્યારે ક્ષત્રિય યુવાન, લાઠી રાજઘરાનાના ગોહિલશિરોમણિ હમીરજીની શહાદત સંસ્કૃતિનું સીમાચિહ્ન બની ગઈ. ભાવનગરના જયેશ શાહ કે હીરાબજારના એક કરોડપતિ અતુલ શાહ દીક્ષાર્થી બને છે ત્યારે દુનિયા દંગ થઈ જાય છે. વીરનગરમાં સ્થિરતા કરી આંખના ડોક્ટર શિવાનંદ અધ્વર્યુએ હજારો રોગીઓનાં મોતિયાનાં ઓપરેશનો કેવળ સેવાભાવથી કર્યાં. સર્વધર્મ સમભાવમાં માનનારા એચ. એમ. પટેલે ૧૯૭૯માં ભારતના ગૃહપ્રધાન તરીકે યશસ્વી કારકિર્દીનાં દર્શન કરાવ્યાં. જીવદયાપ્રેમી ભરત કોઠારી અને ગીતાબહેન રાંભિયા આપણી વંદનાનાં કાયમી અધિકારી બન્યાં. સમાજસેવા માટે જીવનભર ઝઝૂમનાર દુર્ગારામ મહેતાજી, મહીપતરામ નીલકંઠ અને નવા યુગનો શંખ ફૂંકનાર કરસનદાસ મૂળજી, ‘ચરોતરરત્ન’ના એવોર્ડના વિજેતા શ્રી છોટુભાઈ પટેલ, ઉપરાંત કસ્તુરભાઈ લાલભાઈ અને નાનજી કાળીદાસ જેવા સંસ્કારી ધનિકો અને આગેવાન ઉદ્યોગપતિઓ સમાજ માટે કાંઈક કરી છૂટ્યાં છે. મોહનદાસ કરમચંદ ગાંધી રાષ્ટ્રના રાષ્ટ્રપિતા બન્યા તો મહર્ષિ દયાનંદને ભારતના પિતામહ ગણીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. ભારતભરમાં નગરવિધાન માટે પ્રખ્યાત બનેલા વીરેન્દ્રરાય મહેતા, શિલ્પસ્થાપત્ય માટે પ્રભાશંકર સોમપુરા, પુરાતત્ત્વના જીવંત કોશ મણિલાલ વોરા, પ્રકૃતિપ્રેમી પ્રદ્યુમ્ન દેસાઈ, દિનકર વૈદ્ય, હરિનારાયણ આચાર્ય, વિજયગુપ્ત મૌર્ય વગેરેના અદ્ભુત ગ્રંથો જોઈને તે તે પ્રતિભાઓની ભવ્યતાનો ખ્યાલ આવે છે. ગુજરાતની ગરિમાનું રખોપું કરનારાઓમાં સરદાર વલ્લભભાઈ પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ, ભારતની પાર્લામેન્ટના પ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકર, રણછોડ છોટાલાલ જેવા ઉદ્યોગપતિ, દાદાભાઈ નવરોજજી અને ફીરોજશાહ મહેતાએ રાજકીય જાગૃતિ લાવવાનું કામ કર્યું. ગોહિલવાડના વીર મોખડાજી, અક્ષયકીર્તિ મેળવી જનારા સરદારસિંહજી રાણા, અમદાવાદનાં કોમી તોફાનોમાં કોમી એકતા માટે શહીદી વહોરી લેનાર વસંતરાવ હેગિસ્ટે અને રજબઅલી લાખાણીને સો સો સલામ. શોષિતોના સાચા સાથી રવિશંકર મહારાજ, ઠક્કરબાપા, ભાઈલાલભાઈ પટેલની લોકપ્રિયતા અજોડ અનન્ય ગણાતી.
સ્વાતંત્ર્યપૂર્વે રાજરત્નનું અને સ્વાતંત્ર્ય પછી પદ્મશ્રી મેળવનાર પ્રતાપરાય ગિરધરલાલ મહેતા ભારતભરમાં સૌપ્રથમ અમરેલીનાં બાલસંગ્રહાલયની સ્થાપના કરવાનું માન મેળવી ગયા. દેશભરમાં પંચાયત પ્રવૃત્તિના પ્રણેતા બળવંતરાય મહેતા. થિઓસોફિકલ પ્રવૃત્તિના પ્રણેતા હડાળાના દરબાર વાજસુર વાળા, વિશ્વકલાજગતના ફલક ઉપર નામના મેળવનાર પ્રથમ પાયલોટ કચ્છનો કર્મવીર પુરુષોત્તમ કબાલી વગેરેએ ગુજરાતના વિકાસને નવી દિશા આપી. સુરખાબના સાંનિધ્યમાં લઈ જનાર કચ્છના એમ. એલ. પોમલ, તેજસ્વી વૈજ્ઞાનિક જે. જે. રાવળ, પ્રજ્ઞાચક્ષુ ડૉ. રાજેન્દ્ર વ્યાસ, સેવાનો ગુલમ્હોર ગણાતા વડનગરના ડૉ. વસંતભાઈ પરીખ, વિશ્વ–તત્ત્વજ્ઞાનના પુરસ્કર્તા રાજકોટના શશિકાંત મહેતા, જેમણે નવકારમંત્ર ઉપર આપણને સૌને ઘેલું લગાડ્યું છે કલાપ્રિય ઉદ્યોગપતિ દામુભાઈ ઝવેરી વગેરે આપણા ગૌરવશાળીઓ મહાનુભાવો છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
૨૯
www.jainelibrary.org