________________
સ્વપ્ન શિલ્પીઓ
Oિ O0
જીવદયા અને સાધર્મિક ભક્તિ વડે યશસ્વી એવું જે કાંઈ પુણ્યદાન કર્યું છે તેમને યથાયોગ્ય રીતે બિરદાવવા જ જોઈએ. એ પરિચયોથી અન્ય ભાગ્યવંતોને પણ નવી નવી પ્રેરણા મળે એવા સદાશયથી આ ગ્રંથ સમાજના કરકમલમાં સાદર કરવાનો અભિગમ છે.
બહુમુખી પ્રતિભાઓ [u IF
પ્રતિભા શબ્દ ઘણો ઊંચો છે. વ્યક્તિત્વ તો સૌમાં અલગ અલગ સારાં-નરસાં હોય થીelu||
જ. પણ નવાંનવાં ઉન્મેષો પ્રગટાવવાની પ્રજ્ઞા અને ચેતના તે જ આ પ્રતિભા... FM U|F
ચરમ તીર્થકર ક્ષમાશ્રમણ ભગવાન મહાવીર દેવે માત્ર સાધુ-સાધ્વીના કલ્યાણને
માટે અપૂર્વ તપ કરી કેવળજ્ઞાન નહોતું મેળવ્યું તેમાં ભગવાનના ધ્યાનમાં સંસારના પકીલ દુર્ગધ મારતા વિષયોનાં ખાબોચિયામાં પડેલાં ગૃહસ્થ સ્ત્રી-પુરુષોના પરમ કલ્યાણની પણ ભાવના હતી.....માટે તો ભગવાન મહાવીરે ચતુર્વિધ સંઘ નીમી તેનાં બંધારણો આચારાંગાદિ આગમો વડે સુસ્થિર કર્યા. આ ચતુર્વિધ સંઘમાં ટોચમાં ઉપર ભલે પંચ પરમેષ્ઠીઓ રહ્યાં, પણ લાખો-કરોડો શ્રાવક-શ્રાવિકાઓ એના ભૂગર્ભમાં છે. આમાંની કેટલીક નામી-અનામી પ્રતિભાઓ છેક તીર્થકર સુધીમાં આ પવિત્ર દેશમાં અને વિદેશમાં વિચરતી રહી. તેમનાં પુણ્યપાવક સંસ્મરણો આ ગ્રંથમાં અલિખિત છે.
શાસનપ્રેમી મહાનુભાવો જૈન શાસનમાં એવા અસંખ્ય શાસનહિતચિંતકો જોવા મળશે. પણ તેમણે આંજી નાખનારા ક્ષણિક પ્રકાશમાં આવવાનું અને પ્રસિદ્ધિના પરદે ઝૂલવાનું ટાળ્યું છે. એક માત્ર તેમણે શાસનદેવનો જ વિજય લક્ષમાં રાખ્યો છે. તેમણે જૈન શાસનના ઉત્કર્ષમાં જ પોતાનું શક્ય હોય તે ન્યોછાવર કરી મીન અતીતમાં જ ગૂપચૂપ સરી જવાનું વધારે પસંદ કર્યું છે.
ધમોંઉત્થાનમાં શાશ્વત ફાળો આવા જૈન દીપ શિરોમણિઓને આજના મૂલ્યહીન બનતા જતા સંસ્કારોના દુષ્કાળમાં અર્થપૂર્ણ રીતે આગળ ધરવા આ ગ્રંથમાં વિચાર્યું છે. જેથી તેમાં ખુશામતની બિલકુલ દુર્ગધ ન આવે, આત્મશ્લાધાનો લગીરે આડંબર ન લાગે. જેમણે સાતેય ક્ષેત્રમાં
સંપત્તિનો ઉપયોગ કરી પુણ્ય પાથેય બાંધ્યું હોય, જેમના જીવનમાં સાધુ-સાધ્વીજીઓનાં દર્શન, ઉપદેશ, શ્રવણે જીવનયાત્રામાં ક્રાંતિ આવી હોય, મહામંત્રી ઉદયન મહેતા કે આંબડ મહેતા જેમ અમારિની ઘોષણા વિસ્તારવા, સ્વોપાર્જિત દ્રવ્યમાંથી કે પરંપરાગત દ્રવ્યમાંથી દેરાસરો અને પૌષધશાળાઓ બનાવી હોય, આગમોના ભંડારો અને પાઠશાળાઓ સ્થાપી હોય, વિદેશોમાં તદ્દન અજાણી ધરતી ઉપર નવો વસવાટ બનાવી ત્યાં દૂધમાં સાકર જેમ ભળીને ત્યાં શાકાહાર ટકાવી રાખ્યો હોય, પરદેશમાં દેરાસરો અને ઉપાશ્રયો બનાવવાનાં આયોજન હાથ ઉપર લીધાં હોય, નેત્રયજ્ઞો, ચિકિત્સાયજ્ઞો દ્વારા માનવસેવાની ધૂણી ધખાવી હોય, સાધર્મિક ભક્તિ દ્વારા મૂંગી સેવા કરી હોય, એવી વિવિધ ક્ષેત્રની જૈન પ્રતિભાઓને શબ્દોના ટાંકણે આ ગ્રંથમાં મૂર્તિમંત કરી છે. એમના જીવનની સંક્ષિપ્ત રૂપરેખા દર્શાવી છે. આ ગ્રંથ મોંઘા મૂલનો ઐતિહાસિક વારસો બની રહેશે એવી અમારા અંતરમાં પ્રતીતિ છે.”
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org