SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ વેલકમ કંપનીનો સંપર્ક સાધ્યો અને કંપનીએ આ વિશ્વમાં ભાગ્યે જ જોવા મળતી આંખની અંધાપાની સ્થિતિ જાણી નિઃશુલ્ક દવા શ્રી ભાનુભાઈ જીવે ત્યાં સુધી મોકલ્યા કરી. એ દવાને ડિસ્ટિલ વોટરમાં નાખીને દસ-દસ મિનિટે ટ્યૂબ મારફત આંખોમાં કૃત્રિમ આંસુ નાખવાનું રહ્યું અને તો જ તેઓ દેખી શકે. એટલે જીવનભર ખિસ્સામાં આંખોની દવાની પ્રવાહીની શીશી રાખી, તેઓ દસ દસ મિનિટે આંખોમાં કૃત્રિમ આંસુઓ નાખતા રહ્યા. તેમનું નિધન જ્યારે ઉચ્ચસ્થાને હતા ત્યારે થયું. તેમણે રાષ્ટ્રીય લડતમાં ભાગ લીધો. તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા અને લોકસેવાનાં કાર્યો કર્યાં. અચ્છા લોક સાહિત્યના અભ્યાસી, ગળું પણ લોકગાયકનું, પ્રતિષ્ઠિત નેતા બન્યા. નેધરલેન્ડની સરકારે ભાલની ખારી જમીનને મીઠી ફળદ્રુપ કરવાનો કાર્યક્રમ યોજ્યો. એ સમયના વડાપ્રધાન પં. નહેરુ એ કાર્યક્રમના અમલના શ્રીગણેશ કરવા આવેલા ત્યારે વળાદરબારના રાજમહેલમાં વળા દરબાર શ્રી ગંભીરસિંહજીના કહેવાથી શ્રી નહેરુજી સમક્ષ શ્રી ભાનુભાઈએ ચારણકન્યાનું શ્રી મેઘાણી લિખિત લોકગીત ગાયેલું : “ભણતી હું કાનજી કાળા, મીઠી રૂડી મોરલીવાળા....... કૃષ્ણ ભગવાન પાસે ચારણકન્યા આ ગીતમાં ભગરી ભેંસો માગે છે, જેથી બાળકોને તેમ જ પડોશીને તાજાં દૂધ આપી શકાય. વળી આ ચારણકન્યા વહુવારુ (પુત્રવધૂઓ) માગે છે કે જેઓ ઘમ્મર વલોણાની છાશ કરી પડોશીને, નેસનાં લોકોને આપી શકાય. વળી તે કોઠી ભરીને અનાજ માગે છે કે જેથી મહેમાનોને રોટલા પીરસી શકાય અને છેલ્લે એવી ભેંસ માગે છે કે જે સિંહનો સામનો કરી શકે. ચારણકન્યા ગીરમાં વસેલી છે. આ ગીત સાંભળીને પં. નહેરુ ખૂબ ખુશ થયેલા, કારણ કે તેઓ આ પ્રસંગ પછી સાસણ સિંહ-દર્શને જનાર હતા. શ્રી નહેરુ વન્ય પ્રાણીઓના અભ્યાસી હતા અને તેમણે પોતાને ત્યાં વડાપ્રધાન બન્યા પહેલાં કીડીખાંઉં સાળવું (અં. પેંગોલિન) પાળી રાખેલું. શ્રી ભાનુભાઈએ વલ્લભીના પુરાતની અવશેષોનું ખોદકામ કરાવવા ૨સ લીધેલો. ખોદકામ દરમ્યાન એક ફૂટ પહોળી અને દોઢ ફૂટ લાંબી પુરાતની ઈંટો મળેલી. ઉપરાંત શીલાદિત્ય કાળનાં તામ્રપત્રો પણ મળેલાં. વલ્લભીપુર પુરાતની Jain Education International ૪૦૩ શહેરનો વિનાશ ત્યાં પહેલાં દરિયાનો ભાગ હતો, તેથી સુનામીથી તેમ જ જ્વાળામુખીના લાવારસથી થયેલો એમ હાલના અવશેષો પરથી માલૂમ પડે છે, કારણ નજીકમાં જે ડુંગરમાળ છે તે ગ્રેનાઈટ પથ્થરની એટલે લાવારસમાંથી બનેલા પથ્થરની માલૂમ પડી છે. મહાપ્રજ્ઞાવાન કિડનીતજ્જ્ઞ તબીબના આગમનને ખુદ તબીબોએ જ અટકાવવા પ્રયત્નો કર્યા! ડૉ. એચ. એલ. ત્રિવેદી પોતાની ધીકતી પ્રેક્ટિસ અમેરિકામાં હતી ત્યાં નવાં નવાં સંશોધનોને પૂરો અવકાશ હતો, ત્યાં સાથી કિડની-તજ્ઞ તબીબોનો સહકાર હતો પરંતુ હળવદી બ્રાહ્મણને થયું કે હું જે ભણ્યો છું, શીખ્યો છું, સંશોધનો કર્યાં છે, તેનો મારા દેશવાસીઓને, ગુજરાતીઓને લાભ આપું, તબીબીસેવા દેશવતનભક્તિ સાથે માનવસેવા કરી શકાય એથી આ બ્રાહ્મણ તબીબ ગાંસડીપોટલાં બાંધીને કેલિફોર્નિયા (અમેરિકા)થી રાષ્ટ્રપ્રેમથી પ્રેરાઈને અમદાવાદ આવ્યા, પરંતુ આવ્યા પછી એમનું ધ્યેય પાર પાડવામાં લોઢાના ચણા ચાવવા જેવું થયું. ન કોઈના સાથ-સહકાર મળ્યા; ન સહાનુભૂતિ મળી પરંતુ ખુદ દ્વેષઅહભૂખ્યા કેટલાક તબીબોએ જ એમના આ નવપ્રયાણનો સોય ઝાટકીને વિરોધ કર્યો, પરંતુ પુરુષાર્થ, ધૈર્ય, હિંમત અને સાહસિક પ્રેમાળ એવા આ કિડની તબીબે છેવટે ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં અનોખું વિશ્વસનીય પોતાના વ્યવસાયમાં મહામૂલું સ્થળ અને માન પેદા કર્યું છે, કરી રહ્યા છે. એ કિડનીતજ્જ્ઞ તબીબ શ્રી એચ. એલ. ત્રિવેદીને નામે જાણીતા બન્યા છે. તે શ્રી ડૉ. હરગોવિંદભાઈ લક્ષ્મીશંકર ત્રિવેદી, જેઓ ૧૯૩૨માં સૌરાષ્ટ્રના હળવદને અડીને આવેલા નાના એવા ગામ ચરાડવામાં જન્મેલા છે. એમના પિતા શ્રી લક્ષ્મીશંકર ત્રિવેદી ત્યાં શિક્ષક હતા. (શ્રી મનુભાઈ પંચોળીના પિતા પણ એમની સાથે જ ચરાડવામાં નિશાળમાં શિક્ષક રહેલા) શ્રી લક્ષ્મીશંકર અને શ્રી રાજારામ બંને સોબતી રહેલ, સાથે કામ કરતા. શ્રી ઈ.સી.એફ.એમ.જીની પરીક્ષા અમેરિકાના ક્લિવબેડમાં ૧૦૦માંથી ૯૬ ગુણ મેળવીને પાસ કરી, એ પહેલાં ગુજરાતમાં પણ તેમણે અમેરિકા જવાની લગનીમાં ઊંચા ગુણ મેળવી પરીક્ષા પાસ કરેલી. અમેરિકામાં ત્યાંના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy