________________
સ્વપ્ન શિલ્પીઓ
ઓગષ્ટે. ૫૦ વર્ષનું આયુષ્ય ભોગવી ૧૯૪૭ની ૯મી માર્ચે કાયમી વિદાય લીધી. એમની ચિરવિદાય વખતે અમો ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાં જોડાયેલા હતા. બહુ ઓછા સમયની માંદગીમાં તેઓ વિદાય પામ્યા. વિદાય પામ્યા પછી એમનાં બાળપણનાં સ્મરણોની માહિતી લેવા ‘ફૂલછાબ'વતી વિડયા ગયેલો અને મેઘાણીભાઈના બાળપણના મિત્ર સાથી દ. શ્રી વાજસુરવાળા તેમ જ શ્રી ગિરધરભાઈ દેસાઈને વડિયા તેમ જ બગસરા ખાતે મળેલ.
એમને નાનપણમાં ‘વિલાપી’ કવિ કહેતા. અમરેલીમાં મેટ્રિક પછી ભાવનગર શામળદાસ કોલેજમાં ગ્રેજ્યુએટ. સનાતન હાઇસ્કૂલમાં શિક્ષક, ત્યાંના ઔદીચ્ય છાત્રાલયના ગૃહપતિ. એમ.એ. થયા પછી કલકત્તા શ્રી જીવણલાલ લિમિટેડમાં જોડાયા. ત્રણ મહિના કંપનીના કામે લંડન ગયા. કલકત્તામાં બંગાળી શીખ્યા. ૧૯૨૧માં શ્રી અમૃતલાલ શેઠે રાણપુરથી ‘સૌરાષ્ટ્ર' અખબાર શરૂ કર્યું. તેમાં જોડાયા. પહેલો લેખ ‘મોતીની ઢગલીઓ' લખ્યો. જેતપુરનાં શ્રી દમયંતીબહેનને પરણ્યા. ૧૯૨૮માં એમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો અને સાહિત્યજગતે બહુમાન કર્યું. ૧૯૩૦માં મીઠાસત્યાગ્રહ વખતે ‘જોધાણી'ને બદલે પોલીસ સમજી મેઘાણી અને એમની ધરપકડ કરી. બે વર્ષ જેલની સજા થઈ. સજાની જાહેરાત વખતે જ એમણે કોર્ટમાં સ્વરચિત ગીત ગાયું :
હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી ભય કથાઓ.....’
એ ગીત સાંભળીને સજા કરનાર ન્યાયાધીશ રડી પડેલા.
હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ..... કલેજા ચીરતી, કંપાવતી અમ ભય કથાઓ મરેલાનાં રુધિર ને જીવતાનાં આંસુડાંઓ સમર્પણ એ સહુ તારે કદમ, પ્યારા પ્રભુ ઓ...."
૧૯૩૧માં પૂ. ગાંધીજી આમંત્રણથી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગયા ત્યારે સ્ટીમર પર એમને સ્વરચિત ગીત : ‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ.....' ગાંધીજીને પહોંચાડ્યું. ગાંધીજીએ એ સમયે ગીત વાંચીને શ્રી ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું. તેઓ ‘સૌરાષ્ટ્ર' બંધ થયું તે પછી શાંતિનિકેતન કવિવર ટાગોરને મળવા ગયેલા. ૧૯૩૨માં ‘સૌરાષ્ટ્ર'ને બદલે ‘ફૂલછાબ’
Jain Education International
ЗСЧ
સાપ્તાહિક શરૂ થયું. તે પછી તેઓ મુંબઈ જન્મભૂમિ’માં જોડાયા અને કલકિતાબનું પાનું એમણે શરૂ કર્યું. ૧૯૩૬માં આગલાં પત્નીના અવસાન બાદ નેપાલી મહિલા શ્રીમતી ચિત્રાદેવી સાથે પુનઃ પરણ્યા અને મુંબઈ છોડી બોટાદ રહેવા આવ્યા. ૧૯૩૨માં રાણપુર ખાતેના ‘ફૂલછાબ' કાર્યાલયને સીલ કરવામાં આવ્યું. અમો એટલે શ્રી જયમલ પરમાર, શ્રી નિરંજન વર્મા અને શ્રી વજુભાઈ વ્યાસ '૪૨ની લડતમાં જોડાવા માટે ‘ફૂલછાબ'ની સેવામાંથી મુક્ત થયા. જોકે શ્રી મેઘાણીભાઈનો આગ્રહ હતો કે ‘ફૂલછાબ’માં રહીને પણ દેશની સેવા કરી શકાશે.
૧૯૪૫માં તબિયતને કારણે તેઓ ‘ફૂલછાબ'ના તંત્રી તરીકે નિવૃત્ત થયા અને અગાઉ વર્ણવ્યું તેમ ૧૯૪૭ની માર્ચની તા. ૯મીએ બોટાદ ખાતેના એમના નિવાસસ્થાને નિધન થયું. તા. ૨-૧૦-૧૯૫૦થી ‘ફૂલછાબ' દૈનિક અખબાર તરીકે રાજકોટથી પ્રસિદ્ધ થવા પામ્યું છે. સ્વ. ઝવેરચંદ મેઘાણીના નિધન પર એમના પરમમિત્ર અને સંગાથી ચારણ લોકકવિ શ્રી દુલાભાયા કાગે નીચેના દૂહા રચી, ગાઈને એમને અંજલિ આપી :
‘લેખક સઘળા લોકની ટાંકુ તોળાણી, એમાં વધી તોલે વાણિયા તારી લેખણ મેઘાણી; વેધુ ચારણ વર્ણની, ક્યાંય બીજે ન બંધાણી, પણ વેંધ્યું કાળજ વાણિયા તારી મરમે મેઘાણી; તારી ગંગા તણું જેણે પીધેલ છે પાણી, એને લાખું સરોવર લાગિયાં, મોળાં મેઘાણી; સૂતા જઈ સ્મશાનમાં, એની તેં સોડ્યું તાણી, વધુ જિવાડ્યા વાણિયા, તે કંઈક મડદાં મેઘાણી; મન મળવા તલખે ઘણું પણ પરા અનપાણી, ઈશ્વર આધીન આપણે, પાછા મળશું મેઘાણી....... અમેરિકાની ધીકતી પ્રેક્ટિસ છોડી વતનમાં ‘હૃદયરોગ નિર્મૂળ’નું અભિયાન આદર્યું.
ડૉ. રમેશભાઈ કાપડિયા
અમેરિકાની યાત્રા દરમ્યાન જ્યાં જ્યાં જવાનું થયું ત્યાં ત્યાં હૃદયરોગ તજ્જ્ઞ કાર્ડિયોલોજિસ્ટ ફિઝિશ્યન ડૉ. રમેશભાઈ કાપડિયાનું નામ અને કામ સાંભળવા મળ્યું. આમ તો તેઓ પૂરા ગુજરાતી, વલસાડના મૂળ રહીશ પરંતુ હૃદયરોગના તબીબ તરીકે તેઓ અમેરિકાના ફિલાડેલ્ફિયામાં
For Private & Personal Use Only
www.jainelibrary.org