SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ કેન્સર હોઈ, સારવારની સલાહ માટે તેમને મળવાનું અવારનવાર બનતું. બહુ નમ્ર, વિવેકી, ઉદાર અને ભલાં માયાળુ સ્વભાવનાં. જીવનનાં અંત સુધી પોતાના ગુરુ સંતબાલજીએ પ્રબોધેલા સિદ્ધાંતો મુજબ લોકસેવાની વિશેષ કરીને મહિલા ઉત્થાનની પ્રવૃત્તિઓ કરતાં રહ્યાં. તેમની આત્મશક્તિ ખૂબ બળવત્તર હતી. ગત ૮મી જુલાઈ (૨૦૦૬)એ તેઓએ પોતાની આ ફાની દુનિયામાંથી કાયમી વિદાય લીધી. જીવનના અંત સુધી એમણે ઊભી કરેલ માતૃસમાજ–માતૃસેવાની વિશિષ્ટ પ્રવૃત્તિઓ કર્યા કરી. તેઓએ અનેક સંસ્થાઓને નાણાંકીય સહાય આપી. તેઓ દિલના બહુ ઉદાર હતાં, મહાજનોને આમંત્રીને શાલ ઓઢાડી સ્વાગત કરતાં હતાં. બે હજારની મેદની બોલી ઊઠી, વાણિયાનો બેટો ચારણ ગઢવીને ભૂ પાઈ ગયો..... શ્રી ઝવેરચંદ મેઘાણી રાજકોટમાં ઘણાં વરસ પહેલાં અખિલ હિંદ ચારણ સંમેલન મળ્યું. તેમાં કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, સિંધ, થરાદ, માળવા, મેવાડ, મારવાડ અને મધ્ય પ્રદેશના ચારણ કવિઓ અને વાર્તાકાર આવેલા. એક ચારણ બેઠો હોય તો પણ વાત કરવાનો અન્ય માણસને સંકોચ થાય એને બદલે બે હજાર ચારણ ગઢવીઓનું મિલન, એમાં ઘણા તો ચારણ કવિરાજો હતા. એ બધાની વચ્ચે બધાના આગ્રહથી ખૂણામાં એક બાજુએ બેઠેલ શ્રી મેઘાણીભાઈ ઊભા થયા. એમણે મેદની પર નજર નાખી પછી લાંબા હલકારે ઘૂંટેલા ગળામાંથી ચારણી ગતો, દૂહા, છંદ, પિંગળ આદિ ગાવા માંડ્યું. મેદનીમાં બેઠેલા બે હજાર ચારણ મેઘાણીભાઈને સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. પોણા બે કલાક સુધી મેઘાણીભાઈને સાંભળ્યા. એ સમયે લીંબડીના રાજકવિ શ્રી શંકરદાનજી ઊભા થઈને દોટ મૂકી મેઘાણીભાઈને ભેટી પડ્યા અને બોલ્યા, “વાણિયાનો બેટો ચારણગઢવીને ભૂ પાઈ ગયો. કળજુગ આવ્યો છે—એ સિવાય કાંઈ વાણિયો ગાય અને બે હજાર ચારણો ચૂપચાપ ઘેટાંની જેમ સાંભળે એ બને ખરું?” આવા હતા શ્રી મેઘાણીભાઈ. બેઠી દડીના પણ એની આંખો કસુંબલ હતી. થોડી થોડી મૂછો રાખતા. માથે સફેદ ફેંટો અને ઝબ્બો, ઝબ્બા ઉપર જાકીટદેશી જોડા, ચૂડીદાર સુરવાલ (ચોરણી) ચાલ ધીરગંભીર. બોલે ત્યારે ભાઈ, ભાઈ શબ્દ વાપરે. કરુણાભર્યું હૃદય, કોઈ Jain Education International "" સ્વપ્ન શિલ્પીઓ એવો કરુણ બનાવ વાંચે કે જાણે ત્યારે આંખોમાંથી ડબડબ આંસુની ધારા વહે. કોઈ શૌર્યવંતો બનાવ બને ત્યારે ઝાલ્યા ન રહે ભાગ લેવા દોડી જાય! શ્રી મેઘાણીભાઈના તંત્રીપણા નીચે સાડાત્રણ વર્ષ સુધી ‘ફૂલછાબ’ કાર્યાલયમાં કામ કરવાનો આ લેખક (વૈદ્ય વજુભાઈ વ્યાસ)ને મોકો મળેલ જે માટે સદ્ભાગી છીએ. ‘ફૂલછાબ’ના તંત્રી તરીકે બહારવટિયાના એમના ઉપર કાગળ આવતા, પરંતુ ભેટો થયો નહીં. એક વાર રાણપુરની બાજુમાં નાગનેસ ગામની સીમમાં ધાડ પડી ત્યાં બહારવટિયા રાત રહેલા એટલે સવારે પોલીસના ઘેરામાં ઘેરાઈ ગયા. ઉપરાઉપરી ગોળીબાર થયા. એની ખબર ‘ફૂલછાબ’ કાર્યાલયમાં રહેલા શ્રી મેઘાણીભાઈને પડી એટલે મેઘાણીભાઈ તો બહારવિટયાને મોરચે જવા થનગની રહ્યા. ‘સોરઠી બહારવટિયા'ની સત્યકથાઓ એમણે આલેખેલી એટલે એમને થયું કે બહારવિટયા સાથેનું ધીંગાણું નજરે જોવાનો મોકો મળ્યો છે, પરંતુ ત્યાં જવાનું હિતાવહ ન હોવાથી એમને જતાં રોકી રાખવા પડ્યા. એવો જ પ્રસંગ તુલશીશ્યામ પાસે ગીરના જંગલમાં બન્યો. એ સમયે ભાવનગરના લોકકવિ શ્રી દુલાભાયા કાગ એમની સંગાથે હતા. શ્રી મેઘાણીભાઈ અને શ્રી દુલાભાયા કાગ બંને તુલસીશ્યામ પાસેના ખજૂરીના નેસડે ચારણને મળવા ગયા. ત્યાં રીડ થઈ, સાવઝ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. સાંજ વેળા હોઈ ખાડું ધણ નેસડે પરત આવતું હતું. એની સાથે હીરબાઈ નામની ચારણકન્યા પાછળ પાછળ આવતી હતી. તેમાં સાવઝે એક વોડકીનું ગળું ઝાલ્યું એટલે ચારણકન્યા હીરબાઈ હાથમાં સોટો લઈને સિંહ સામે જઈને સિંહને સબોડવા માંડી અને સિંહના ગળામાંથી વોડકીને છોડાવી. એ વખતે જ નેસમાં રહેલા મેઘાણીભાઈને જાણે શૂર ચડ્યું હોય એમ સાવઝ તરફ દોડવા લાગ્યા, પરંતુ કવિ શ્રી કાગે એમને ઝાલીને માંડ માંડ રોક્યા. મેઘાણીભાઈએ ત્યારે અને ત્યારે ‘ચારણ કન્યા’ નામનું ગીત લખી નાખ્યું. આમ આવા પ્રસંગોએ મેઘાણીભાઈને શૂર ચડતું અને સ્થાન પર દોડી જવાનું મન થતું. શ્રી મેઘાણીભાઈ પોતાને પહાડનું બાળક માનતા. એમનું વતન બગસરા. એમના પિતા પોલીસ જમાદાર. એમની બદલી ચોટીલા થાણે થઈ. ત્યાં શ્રી ધોળીમાની કૂખે ચોટીલામાં એમનો જન્મ થયો. શ્રી ધોળીમા બહુ ગોરાં, દેખાવડાં એટલે એમનાં રૂપરંગ મેઘાણીભાઈમાં ઊતર્યાં. જન્મ ૧૮૯૭ની ૧૭મી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy