________________
સ્વપ્ન શિલ્પીઓ
રહીને ચૂંટાઈ આવતા લોકસેવાનું કાર્ય કરતા.
શરીરે મજબૂત બાંધાના, ખાદીધારી, ઝબ્બો, ધોતિયું અને માથે ખાદી–ટોપી. ઝબ્બો અને ટોપી ભગવા રંગનાં, ભગવો રંગ એમને ખૂબ પ્રિય કારણ નાનપણમાં એમના ઉપર સ્વામી વિવેકાનંદની અસર, પતંજલિના અષ્ટાંગ યોગનું વાચન, અવારનવાર પ્રાણાયામ અને ધ્યાનસાધના કરતા રહ્યા.
વરસોથી તેઓ જીવ્યા ત્યાં સુધી જૂનાગઢનો વૃદ્ધઆશ્રમ સંભાળતા રહ્યા, તેને માટે દાન પણ મેળવતા અને દિવસનો મોટો ભાગ વૃદ્ધાશ્રમની સેવામાં આપતા. તેમ જ એમનું કાયમી રહેવાનું સ્થળ પણ વૃદ્ધાશ્રમ જ રહ્યું. વૃદ્ધ સ્ત્રીપુરુષોને કથા, વાર્તા, રામાયણ-મહાભારતના પ્રસંગો, ગીતા તેમ જ રાષ્ટ્રીય પ્રસંગો બનાવો અવારનવાર સંભળાવતા રહ્યા. વૃદ્ધોને ચોખ્ખું દૂધ મળે એટલે વૃદ્ધાશ્રમમાં ગાયો રાખેલી. વૃદ્ધોના સ્નાન માટે ઊનું પાણી ક૨વા સૂર્યકૂકર વસાવેલા. વૃદ્ધોને પૌષ્ટિક આહાર મળે એટલે ખૂબ કાળજી લેતા. વૃદ્ધ માંદા પડે તો જાતે દવા આપી સેવા કરતા. વૃદ્ધોની સેવા કરવી એ જ એમણે જીવનનું ધ્યેય રાખ્યું. તહેવારોની ઉજવણી કરતા. બહારથી સંત-સાધુ- પુરુષોને તેડાવી આશ્રમનું વાતાવરણ હર્યુંભર્યું રખાવતા. અમો જૂનાગઢ જિલ્લામાં સરકાર તરફથી સમાજકલ્યાણની પ્રવૃત્તિઓ કરતા ત્યારે અને ત્યારપછી પણ આ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવાનું અવારનવાર બનતું, ઉપરાંત વૈદ્ય તરીકે શ્રી વિનુભાઈ સાથે મળી ચર્ચાવિચારોની આપલે કરતા. આ આશ્રમમાં જ સ્વામી આનંદ મુલાકાતે આવ્યા ત્યારે સ્વામીજીને મળવાનું બન્યું. દેશમાં કટોકટી સમયે હું આશ્રમમાં શ્રી વિનુભાઈના નિવાસસ્થાને હતો. મધરાત્રે પોલીસ વાહન લઈને શ્રી વિનુભાઈ રાણાને પકડવા આવી. અમને મધરાતે ઊંધમાંથી ઉઠાડ્યા. વિનુભાઈએ એમની પાસે રહેલી આશ્રમની મૂડી, અગત્યના કાગળો અને ચાવી મને સોંપીને તેઓ પોલીસવાનમાં જેલ ભેગા થયા. મને એટલે વૈદ્ય વજુભાઈ વ્યાસને. સવારે અમોએ શ્રી વિનુભાઈ રાણાના સાથી શ્રી કનુભાઈ દેસાઈ (પત્રકાર)ને બધી વસ્તુઓ સોંપી દીધી. જીવ્યા ત્યાં સુધી એક રંગે રહ્યા. નિસ્વાર્થ જીવન, સાદાઈ, સરળતાને વરેલા, દુ:ખી ગરીબો માટે અપાર કરુણા લાગણી, સતત વાચન કરે, જ્ઞાનવિજ્ઞાનમાં અપાર શ્રદ્ધા, બીજાને ઉપયોગી થવાની અતૂટ ભાવના. વૃદ્ધજનો માટે અપાર લાગણી અને જીવ્યા ત્યાં સુધી વૃદ્ધાશ્રમમાં રહેલાં કે બહાર રહેલાં વૃદ્ધ સ્ત્રીપુરુષોની એમણે હૃદયપૂર્વક દિલ દઈને
Jain Education International
૩૯૧
સેવા કરી. દેશકાળના નિમ્ન કોટીના વાતાવરણને કારણે એને પાછલી જિંદગીમાં આકરું થઈ પડ્યું અને નાની ઉંમરે આ ફાની દુનિયામાંથી એમણે હસતા મુખે વિદાય લીધી હરિ: ૐના રટણ સાથે.
નાનપણમાં મળેલા વૈધવ્યનું સ્થિતપ્રજ્ઞતામાં રૂપાંતર કરી જીવન બાળસેવાને અર્પણ હરિઇચ્છાબહેન વૈધ
કદમાં જરા નીચાં, શ્યામ રંગ અને વિધવા બન્યા પછી જીવનભર સફેદ ખાદીનાં વસ્ત્રો ધારણ કરેલ, પ્રસિદ્ધિથી દૂર રહેલ એ હતાં–છે શ્રીમતી હરિઇચ્છાબહેન વૈદ્ય. પ્રસિદ્ધ સિદ્ધપુર—પાટણમાં બ્રાહ્મણકુળમાં જન્મ-કુટુંબ વૈદ્ય તરીકે જાણીતું એટલે શાખે વૈદ્ય બન્યાં. શ્રીમતી હરિઇચ્છાબહેન–ત્રણ બહેનો—મોટાં કંચનબહેન, વચલાં ખુશમનબહેન અને સૌથી નાનાં બહેન પણ વિધવા. આ ત્રણેય બહેનોને પૂ. શ્રી પુષ્પાબહેન મહેતાએ અમદાવાદ બોલાવી લીધી અને અમદાવાદ વિકાસગૃહમાં રાખી સેવાની તાલીમ આપવા માંડી. પુષ્પાબહેને પોતાના મહિલા–સેવાના અભિયાનમાં ત્રણેયને જોડી બાદ મોટીબહેન કંચનબહેનને અમદાવાદ વિકાસગૃહમાં ગૃહમાતા તરીકેનું પદ મળ્યું. શ્રી ખુશમનબહેનને જૂનાગઢના શ્રી પુષ્પાબહેન સ્થાપિત શિશુમંગળ એટલે માબાપ વિનાનાં બાળકોના ગૃહની સેવાનું કામ સોંપ્યું અને સૌથી નાનાં બહેન શ્રીમતી હરિઇચ્છાને વઢવાણ વિકાસવિદ્યાલયમાં સ્થાપકસંચાલક શ્રીમતી અરુણાબહેન દેસાઈની મદદમાં રહેવાનું કામ સોંપ્યું. આમ શ્રીમતી હરઇચ્છા વઢવાણ આવી વિકાસ વિદ્યાલયની શૈક્ષણિક, સંસ્કારિત તેમ જ માનવસેવાની પ્રવૃત્તિઓમાં જોડાયાં.
શ્રીમતી હરિઇચ્છાબહેન વઢવાણ વિકાસ વિદ્યાલયમાં કાયમી સ્થાયી બની રહ્યાં અને ત્યાં પણ ગૃહમાતા તરીકે સરેરાશ ૨૫૦થી વધુ બાળકો, બાળાઓ, ત્યક્તાઓ, વિધવાઓ તેમ જ સમાજ કે સંસારથી તરછોડાયેલાં માનવીઓનાં પુનર્વસવાટમાં વિરાટ સેવાકાર્યમાં વર્ષોથી સેવા આપી રહેલ છે. આ વિકાસવિદ્યાલયે સુરેન્દ્રનગર જિલ્લામાં કોલેજ શિક્ષણથી માંડીને તે બાળવાડી સુધીની અનેકવિધ શિક્ષણસંસ્થાઓ સ્થાપી વિકસાવી છે અને નાના એવા વડના છોડમાંથી મોટું વટવૃક્ષ વિકસાવ્યું છે. શ્રી હરિઇચ્છાબહેનનું એ સર્વ સેવાકાર્યમાં શ્રી અરુણાબહેન દેસાઈની સાથે ખભેખભા
For Private & Personal Use Only
www.jainelibrary.org