________________
૩૯૨
મિલાવીને યોગદાન રહેલું છે. શ્રી હરિઇચ્છાએ તેમની આખીય જિંદગી વિકાસવિદ્યાલયને અર્પણ કરેલ છે.
શ્રીમતી હરિઇચ્છાનાં વચલાં બહેન એટલે ખુશમનબહેને પણ એમનું આખું જીવન જૂનાગઢના શ્રી પુષ્પાબહેન મહેતા સ્થાપિત શિશુમંગળના સેવાકાર્યમાં વિકસાવ્યું છે. આ શિશુમંગળ સંસ્થાના આશ્રયે વેરાવળ પાસે સોમનાથ મંદિરના દર્શને આવતાં યાત્રાળુઓ માટે ભોજનગૃહ સ્થાપેલ અને ત્યાં આગળ ખાદીમંદિર, બાલવાડી, હિરજન સંસ્કારકેન્દ્ર પણ સ્થાપેલ. ઉપરાંત સોમનાથ નજીક બહેનો માટે બી.એડ્. કોલેજ પણ સ્થાપેલ. પૂ. પુષ્પાબહેનનાં પ્રેરણા અને માર્ગદર્શન મુજબ આ બધી પ્રવૃત્તિઓ સ્થાપેલ, જેમાં શિશુમંગળના મંત્રી શ્રી વિક્રમ કિશોર બુચનો પણ ફાળો રહેલ. આમ તો શ્રી શિશુમંગળના આશ્રયે ગીરના જંગલમાં, પોરબંદર પાસેના આલેચ–બરડાના જંગલમાં માલધારી શાળાઓ, માલધારી સંસ્કાર અને શિક્ષણ કેન્દ્રો વગેરે દ્વારા માલધારીઓના શિક્ષણનું કાર્ય વિશાળ પાયા પર રચવામાં આવ્યું, જેમાં સાસણ ગીરની આશ્રમશાળાની તે સમયના ભારતના વડાપ્રધાન પં. નહેરુએ પણ મુલાકાત લીધેલી.
આ ત્રણેય વૈદ્ય બહેનોમાં શ્રી કંચનબહેન અને શ્રી ખુશમનબહેન હાલ હયાત નથી. ખુશમનબહેનનો ભોગ ડાયાબીટીસ રોગે લીધો. એમનાં બે બાળકો આજે સુખરૂપ પોતાના સંસારમાં મશગૂલ છે. શ્રી હરિઇચ્છાબહેનની સેવાની જનતાએ કદર કરી છે. ગુજરાતની અને દેશની મહિલા સંસ્થાઓ તરફથી એમનું સમ્માન કરવામાં આવ્યું છે. આમ તો તેઓ મૂક સેવિકા જ રહ્યાં છે. પ્રસિદ્ધિથી દૂર રહ્યાં છે. આમ છતાં વિકાસ વિદ્યાલયમાં રહી, ભણી, મોટાં થયેલાં યુવકયુવતીઓ હજુએ શ્રી હરિઇચ્છાબહેનને પ્રેમપૂર્વક ચાહી રહ્યાં છે. કપરા કાળમાં ઘસાઈને ઊજળા થવાનું પૂ. રવિશંકર મહારાજનું સૂત્ર એમણે જીવી બતાવ્યું
શ્રી બિપિનભાઈ દેસાઈ
એમનું નામ બિપિનભાઈ ધીરુભાઈ દેસાઈ, સુરત જલ્લાના કાલિયાવાડીમાં ૧૯૨૫ની ૨૦મી નવેમ્બરમાં જન્મેલા અનાવિલ બ્રહ્મક્ષત્રિય ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈની નાતના તેમ જ તેમનાં કુટુંબીજન. બાળપણમાં પિતૃછાયા ગુમાવી વિધવા માતાને માથે જીવનઘડતરનું માથે પડ્યું. એમના બાળપણના ગોઠિયા શ્રી
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ ગુણવંતભાઈ દેસાઈનાં માતાપિતાની હૂંફ મળી. તેઓ ખેડૂતપુત્ર. ઘરની મોટી જમીન એટલે માત્ર ખેતીની આવક નિર્ભર.
'૪૨નો ‘કરેંગે યા મરેંગે’નો સ્વાતંત્ર્યસંગ્રામ દેશભરમાં ફરી વળ્યો ત્યારે એમણે ભણવાનું છોડી દીધું અને મિત્ર સાથી શ્રી ગુણવંતભાઈની સાથે લડતમાં ભાગ લીધો. ૧૯૪૭માં લડતનાં વળતાં પાણી થયાં ત્યારે તેમણે પુનઃ અભ્યાસ શરૂ કર્યો અને પૂનાની કૃષિ મહાવિદ્યાલયમાં કૃષિક્ષેત્રે ગ્રેજ્યુએટ થયા. તેઓ તથા મિત્ર ગુણવંતભાઈએ ખેતી ઉપર જીવનનિર્ભર કરવાનો સંકલ્પ કર્યો અને ભટાર ગામ (જિ. સુરત)માં શ્રી ગુણવંતભાઈના પરિવારની ખેતીની જમીન ઉપર ખેતીવાડી શરૂ કરી.
સુરત જિલ્લો નદીઓથી ભરપૂર, ઉપર ખેતી માટેની તક એટલે તેમણે તેમ જ તેમના મિત્ર શ્રી ગુણવંતભાઈએ સાથે મળીને ખેતીવાડીમાં અનેક પ્રયોગો ર્યાં. આદર્શ ખેડૂત બન્યા. દરમ્યાન ૧૯૬૪માં ચલથાણા ગ્રૂપ ગ્રામપંચાયતના તેઓ સરપંચ ચૂંટાયા. આમ તો તેમના પર બાળપણથી જ ગાંધીજીની અસર, પૂરા ગાંધીભક્ત અને એમાંય સ્વાવલંબી ખેડૂત તરીકેનું જીવન જીવવાના કોડ એટલે ચલથાણા વિસ્તારમાં બુનિયાદી શાળા, વિદ્યાલય, બાલવાડી વગેરે શિક્ષણની પ્રવૃત્તિઓ શરૂ કરી અને સર્વોદય ટ્રસ્ટની સ્થાપના દ્વારા વિદ્યાસંકુલ ઊભું કર્યું. તેઓ અને તેમના સાથીદારોને લાગ્યું કે કેળવણી જો સાચી અને પાયાની મળે તો જીવનમાં સંસ્કાર અને રાષ્ટ્રભક્તિ ખીલી ઊઠે. તેમણે સાથીમિત્રોની મદદથી સહકારી ખેતીમંડળી સ્થાપી અને એના વિકાસમાં જીવંત રસ લીધો. ખેતીક્ષેત્રે નવા નવા પ્રયોગો કર્યા અને કૃષિવિજ્ઞાન દ્વારા કૃષિક્ષેત્રે અસાધારણ પ્રગતિ સાધી.
તેઓએ અમેરિકા, જાપાન વગેરે દેશોની યાત્રા કરી. ખેતીક્ષેત્રના જે તે દેશોના વિકાસનો જાતઅનુભવ મેળવ્યો અને ભારત પાછા ફરીને રાજ્યના તેમ જ કેન્દ્ર સરકારના કૃષિક્ષેત્રમાં આનુસંગિક સુધારાવધારા કરાવ્યા.
તેઓ ગુજરાત યુનિવર્સિટી તેમ જ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટમાં બે વર્ષ સુધી સભ્યપદે રહ્યા. બિનરાજકીય ખેડૂતસંગઠનમાં સક્રિય ભાગ લીધો.
આમ તો એમનું જીવન સૈદ્ધાંતિક પરંતુ સંઘર્ષમય રહ્યું, પરંતુ જોગાનુજોગ એમને નિજી જમીન સંપત્તિના વેચાણમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org