________________
૩૮૮
| ગુજરાતમાં એક મોટા ગજાના ધ્યાનયોગી થઈ ગયા. એમનું નામ જ મધુસૂદનદાસજી ધ્યાનયોગી મહારાજ. તેઓએ આબુના પહાડોમાં રહી ધ્યાનયોગની સાધના કરી અને પછી ગુજરાતમાં અસંખ્ય સાધકોને ધ્યાનની દીક્ષા આપી. આજે શ્રી ધ્યાનયોગી મહારાજ જીવિત નથી, પરંતુ એમના મુખ્ય સાધક-ઉપાસક અને વર્ષો સુધી શ્રી ધ્યાનયોગી મહારાજ પાસેથી યોગનું જ્ઞાન મેળવેલ, વિશેષ કરીને ધ્યાનમાં ઉચ્ચત્તર સાધના મેળવેલ મા શ્રી કુંદનબા હાલ અમદાવાદના પ્રગતિનગર વસેલાં છે. એમણે વર્ષો સુધી ધ્યાનની સાધના કરી છે. તેઓ ધ્યાનમાં બેસે ત્યારે અનેક બાબતો દશ્યમાન થાય છે અને જે કોઈ પ્રશ્નો પૂછવામાં આવે તેના સાચા જવાબ મળે છે. તેઓ સોની જ્ઞાતિનાં છે. તેમના પતિનું નામ છે શ્રી ઠાકોરભાઈ પારેખ. ગાંધીજીએ સ્થાપેલ નવજીવન સંસ્થામાં શ્રી ઠાકોરભાઈ પારેખ સેવા આપતા. હાલ નિવૃત્ત છે. અમદાવાદના પ્રગતિનગરના છેડા પર નિર્ણયનગરના બ્લોક નં. પાંચમાં તેઓ રહે છે. તેઓ સાધકને શક્તિપાત કરે છે. એમના ગુરુ ધ્યાનયોગી શ્રી મધુસૂદનદાસજીએ માં શ્રી કંદનમાને શક્તિપાતના વિધિવિધાનનું જ્ઞાન આપીને સાધકને શક્તિપાત કરવાની અનુમતિ આપી છે.
તેઓ એમનું પારદર્શક અને પવિત્ર જીવન ધ્યાનસાધનામાં વિતાવે છે. લાંબા લગ્નજીવન પછી સંતાન ન થતી સ્ત્રીઓને તેઓ ધ્યાન કરીને મંત્ર આપે છે, જે સફળ થાય છે. તેઓ સુખી ઘરનાં છે. નિઃશુલ્ક કલ્યાણકારી સલાહ અને માર્ગદર્શન આપે છે. સમાજમાં, સંસારમાં એમની ધ્યાનયોગી તરીકેની પિછાણ છે.
એક સાધક શ્રી માં કુંદનમાને મળવા બહાર ગામથી આવેલ. તેમની પાસે મા કુંદનમાનું સરનામું લખેલું કાગળ ખિસ્સામાં હતું, પરંતુ રેલવે સ્ટેશનેથી ઊતરતાં સરનામાનો કાગળ પડી ગયો, તો હવે શું કરવું? ક્યાં જવું? આગંતુકે મનમાં પ્રાર્થના કરી અને આગળ ચાલવા માંડ્યું. અમદાવાદના આશ્રમરોડ ઉપર આવતાં સાધકે ગૂજરાત વિદ્યાપીઠ પાસે કુંદનમાનું યાદ રહેલું નામ આપીને પૂછપરછ કરી પરંતુ કોઈએ કુંદનમાનું ઠેકાણું આપ્યું નહીં, તેથી આંગતુક ગુજરાત વિદ્યાપીઠની ગલીમાં ગયા અને ત્યાં નવજીવન કાર્યાલમાં પૂછપરછ કરી તો મા કુંદનમાંનું ઠેકાણું ત્યાંથી મળ્યું. આવા બનાવમાં ધ્યાન દ્વારા મા કુંદનમાએ સાધકને માર્ગદર્શન કર્યું. ધ્યાનથી આવા બનાવમાં કુદરત જ માનવીને
સ્વપ્ન શિલ્પીઓ આગળનો માર્ગ બતાવે છે.
કોઈ ચીજવસ્તુ ગુમ થઈ ગઈ હોય, પડી ગઈ હોય કે ચોરાઈ ગઈ હોય તો સાધકો મા કંદનમાને પૂછે છે. એ પછી માં ધ્યાન લગાવે તો ચીજવસ્તુ ક્યાં પડી છે તેનું સ્થળ કે પ્રતીતિ તેમને થાય છે.
શ્રી મા કુંદનમા શરીરે ભારે છે, બેઠી દડીનાં છે, ગોરાં છે અને સ્વભાવે હસમુખાં છે. એમને કોઈ જાતિભેદ કે ઊંચનીચનો ભેદ નથી. એમનું જીવન સરળ બાળક જેવું નિર્દોષ રહેલું છે. તેઓ બાળકો, કુટુંબ સાથે રહે છે. આખો દિવસ નિયત સમયે ધ્યાનની સાધના કરે છે. સાધકોનાં ઓળખીતાઓનાં સુખદુઃખમાં ભાગ લે છે. તેમને બે પુત્રો અને બે પુત્રીઓ છે, બધાં સુખી સ્વસ્થ છે.
૨૦૦૬ના વરસમાં એમના પુત્રાદિ કુટુંબનાં સભ્યોએ પોતાનાં માતાપિતા એટલે મા કુંદનમાં અને પિતા શ્રી ઠાકોરભાઈનું પૂજાવિધિ સાથે સમ્માન કર્યું હતું. તે પ્રસંગે બધાં ઓળખીતાં તેમ જ સગાંવહાલાં, સ્વજનો વગેરેને તેડાવી ઉત્સવ કર્યો હતો, તેમ જ સમૂહભોજન કર્યું હતું. મુંબઈ, સુરત, નવસારી, વલસાડ તેમ જ બીજા સ્થળેથી આ ઉત્સવમાં ભાગ લેવા મહેમાનો અને આમંત્રિતો મોટી સંખ્યામાં આવ્યાં હતાં. એ પહેલાં ૨૦૦૫માં પોતાના લંડનના સાધકોના આમંત્રણથી તેઓ એક મહિના માટે લંડન ગયાં હતાં. ત્યાં તેમણે ધ્યાન એટલે કે જીવનમાં શાંતિ, સુખ, સુમેળ સ્થાપવા માટેની યોગક્રિયા પ્રત્યક્ષ સમજાવીને બતાવી હતી.
મા શ્રી કુંદનમાના પતિ નવજીવન સંસ્થામાં કામ કરતા હતા ત્યારે એમના ગુરુ ધ્યાનયોગી શ્રી મધુસૂદનદાસ મહારાજ એમના અન્ય ભક્તોના આમંત્રણ છતાં મા શ્રી કુંદનમાને ત્યાં જ ઉતારો રાખતા. સંકડાશ હોય તો પણ ભક્તનો ભાવ જોઈને ત્યાં જ ઊતરવાનું પસંદ કરતા.
શ્રી ઠાકોરભાઈ પારેખ એટલે મા શ્રી કુંદનમાના પતિ પણ ધ્યાન ધરવામાં પારંગત છે. હાલ તેઓ નિવૃત્ત થઈને મોટા પુત્ર શ્રી વિજયકુમાર પારેખની સાથે રહે છે. તેઓ શિવામ્બ ઉપચાર પદ્ધતિના પ્રખર હિમાયતી છે અને રોજ પોતાના સ્વાથ્ય માટે અચૂક શિવામ્બનું પાન, માલીશ, નસ્ય આદિ ક્રિયામાં ઉપયોગ કરે છે. આ માટે તેઓ એમના નિવાસ નજીકના પ્રગતિનગર બાગમાં અચૂક શિવામ્બુ માલીશ કરવા ખુલ્લી જગ્યા અને તડકામાં આવી બેસી સૌ જુએ એમ માલીશ
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org