________________
સ્વપ્ન શિલ્પીઓ
પ્રદાન કર્યું. જામસાહેબના વિચારોમાં પરિવર્તન થયું. લૂંટારો વાલિયો ભીલનું જેમ વાલ્મીકિ ઋષિમાં પરિવર્તન-રૂપાંતર થયું તેમ જામસાહેબનું સૌરાષ્ટ્ર રાજ્યના રાજપ્રમુખપદથી એમના પદનું રૂપાંતર થયું. રાજપ્રમુખ થવાથી તેઓ સરદાર પટેલ પરત્વે ખુશ થયા.
ઓછામાં પૂરું એ સમયે ભારતના વડાપ્રધાન પંડિત નહેરુનાં જોબનવંતા રૂપાળાં, ઊંચાં પડછંદ બહેન શ્રી વિજ્યાલક્ષ્મી પંડિત યુનોમાં ભારતના ખાસ પ્રતિનિધિ તરીકે નિમાયાં તો પંડિત વિજ્યાલક્ષ્મીજીએ યુનો એટલે યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કમિટી-સલામતી સમિતિના અધ્યક્ષ તરીકે જામસાહેબની પસંદગી કરી એથી જામસાહેબ ઔર ખુશમિજાજમાં રહ્યા અને કહેતા હતા કે “શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિત તો મારાં બહેન છે. She is my beloved sister. અને હું (જામસાહેબ) તેણીનો મોટોભાઈ બન્યો છું.” આમ જામનગરના રાજવી શ્રી દિગ્વિજયસિંહજી (જામસાહેબ) નહેરુ કુટુંબના વડીલબંધુ બન્યા. શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિતનું સાસરું સૌરાષ્ટ્ર એટલે રાજકોટમાં હતું. રણજિત પંડિત રાજકોટ રહેતા હતા. એમનું મકાન નિવાસસ્થાન રાજકોટમાં પરાવિસ્તારમાં હાલના ‘ફૂલછાબ’ દૈનિક અખબારના કાર્યાલયની બાજુમાં જ હતું. સુંદર નિવાસસ્થાન હતું અને એથી જ શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિત અવારનવાર કહેતાં કે તેઓ તો ગુજરાતની વહુ છે. (જેમ શ્રીમતી ઇંદિરા ગાંધી કહેતાં કે તેઓ ગુજરાતની વહુ છે. શ્રીમાન ફીરોજ ગાંધી મૂળ ગુજરાતના હતા.) સૌરાષ્ટ્ર પ્રધાનમંડળના સભ્યો જામસાહેબનું ખૂબ માન સાચવતા. વિશેષ કરીને મુખ્યમંત્રી શ્રી ઉ. ન. ઢેબરને રાજપ્રમુખ શ્રી જામસાહેબ સાથે સારું એવું બનતું. એકબાજુથી જમીન– સુધારણા, જેમાં ગરાસદારોને, દરબારોને જમીન છોડવાની સ્થિતિ, કારણ ખેડે તેની જમીન-એ સિદ્ધાંત સૌરાષ્ટ્ર સરકારે સ્વીકાર્યો. બીજી બાજુ ભૂપત બહારવટિયો અને એમના સાથી ડાકૂઓ ખેડૂતોનાં ઉપરાઉપરી ખૂન કરવા માંડ્યા અને આ ખૂનામરકીમાં કેટલાક રાજવંશીઓનો સીધો કે આડકતરો સાથ હોવાનું સાબિત થયું, જેમાં ધ્રોળ ઠાકોર ઉપરાંત જામનગરનાં મહારાણી શ્રી ગુલાબકુંવરબાનું (જામસાહેબનાં રાણીનું) નામ સંડોવાયું–એવા કપરા સંજોગોમાં પણ સૌરાષ્ટ્ર રાજ્યના મંત્રી– મંડળના છેવટ સુધી રાજપ્રમુખ જામસાહેબ સાથે સુખદ અને હર્યાભર્યા સંબંધો છેવટની ઘડી સુધી રહ્યા હતા એનું શ્રેય જાય છે શ્રી ઢેબરભાઈને.
Jain Education International
અષ્ટાંગ યોગનું સાતમું પગથિયું ધ્યાનસાધના એમણે સિદ્ધ કર્યું. શ્રી મા કુંદનમા
૩૮૭
માનવીના સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રાચીનકાળથી મુનિશ્રી પતંજલિએ માનવજાતને યોગનું શાસ્ત્રપ્રદાન કર્યું છે, એમાં મુખ્યત્વે છે અષ્ટાંગ યોગ. યોગનાં આઠ અંગો જેવાં કે (૧) યમ (૨) નિયમ (૩) આસન (૪) પ્રાણાયામ (૫) પ્રત્યાહાર (૬) ધારણા (૭) ધ્યાન અને (૮) સમાધિ. એ સ્વસ્થ જીવન માટેનાં ઉતરોત્તર પગથિયાં છે, જેમ કે સીડી પર ઊંચે ચડવા એક પછી એક પગથિયું ચડવું જોઈએ, એક સામટો ઠેકડો મારીને ઊંચે ન ચડાય, તેવું અષ્ટાંગ યોગનું છે. અષ્ટાંગ યોગની વિસ્તૃત સમજણ નીચે મુજબ છેઃ
અષ્ટાંગ યોગનાં આઠ અંગોમાંથી પ્રથમ પાંચ અંગો યમ, નિયમ, આસન અને પ્રાણાયામ, પ્રત્યાહાર એને બહિરંગ કહે છે, જ્યારે બાકીનાં ત્રણ અંગો ધારણા, ધ્યાન અને સમાધિને અંતરંગ કહે છે. બહિરંગની સાધના મુખ્યત્વે આરોગ્યમય, સ્વસ્થ જીવન માટે છે. જ્યારે આગળ વધીને અધ્યાત્મજીવન માટે ધારણા, ધ્યાન અને સમાધિ છે. બહિર્ડંગમાં મુખ્યત્વે આસન અને પ્રાણાયામ છે. શરીર જો સ્વસ્થ હોય તો જ ધારણા, ધ્યાન અને સમાધિ તરફ આગળ વધવાનું અનુકૂળ ગણાય.
આજકાલ આસન ઉપર વધુ ધ્યાન અપાય છે, એ જરૂરી ગણાય, પરંતુ એથીય વધુ જરૂરી છે પ્રાણાયામ, કારણ શ્વાસ એ જ જીવન છે. શ્વાસ બંધ તો માનવીનું જીવન સમાપ્ત થાય છે. વળી શ્વાસમાં પણ ઈશ્વરનો વાસ છે.
પ્રાણાયામના ઘણા પ્રકારો છે તેમાં મુખ્યત્વે (૧) ભસ્તિકા, (૨) કપાલભાતિ, (૩) બાહ્યકપાલભાતિ-૨, (૪) અનુલોમ–વિલોમ, (૫) ભ્રારિ, (૬) ઉજ્જાઈ, (૭) ઉગ્રંથ અને ૐ પ્રાણાયામ.
For Private & Personal Use Only
આધ્યાત્મિક જીવન માટે છે ધારણા એટલે મનને, ચિત્તને સ્થિર કરવું. ચિત્તને ધીમે ધીમે સૂક્ષ્મ તરફ લઈ જવું. શ્વાસ અને ચિત્તને (મનને) પરસ્પર સંબંધ છે. ચિત્તને સ્થિર કરવા પ્રાણાયામ સાધના કરવી રહી. ચિત્ત સ્થિર થાય પછી આવે છે ધ્યાન. સીધા ધ્યાન પર જવાનું સહેલું નથી. મન ભટકતું હોય તો ધ્યાન ન લાગે. ધ્યાનમાં ચિત્તની એકાગ્રતાની ખૂબ જરૂર છે.
www.jainelibrary.org