SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ રાજકોટની લડતમાં તેમનો ફાળો રહ્યો હતો. તેમણે રાજકોટની લડત પર એક પુસ્તિકા પણ લખી હતી. આમ તો તેઓ ગાંધીયુગની જૂની કોંગ્રેસના કોંગ્રેસી પણ વિશેષ ગાંધીજીએ પ્રબોધેલ રચનાત્મક દૃષ્ટિ અને કાર્યના પુરસ્કર્તા રહ્યા. અષ્ટાંગ યોગ પરત્વે તેમનું ચિંતન છેલ્લી અવસ્થા સુધી રહ્યું. ધ્યાન, પ્રાણાયામ, આસન આદિ વિષયોનું તેઓ સમ્યક જ્ઞાન ધરાવતા હતા. એથી શ્રી વિમલાતાઈની યોગશિબિરમાં તેઓ અવશ્ય જોડાય. વિચારોમાં સર્વોદય, કર્મમાં રચનાત્મક, આયુર્વેદમાં શુદ્ધ આયુર્વેદ, યોગિક ક્રિયાઓના પુરસ્કર્તા એમ વિવિધક્ષેત્રે એમણે જીવનવિકાસ સાધ્યો અને લાંબું તંદુરસ્ત જીવીને તેઓ ચિરવિદાય પામ્યા. લૂંટારો વાલિયો ભીલ વાલ્મિકી ઋષિ બન્યો તેમ ખૂંખાર દિગ્વિજયસિંહ નહેરુ કુટુંબના વડીલબંધ બન્યા ! જામસાહેબ "" “લે લે બોન, માથું ખુલ્લું કર્યું, તો હવે મારા માથામાં નાળિયેર ફોડ......” એમ એક વખતના ખૂંખાર મનાતા અને પાછળથી સૌરાષ્ટ્ર રાજ્યના રાજપ્રમુખ બનેલા જામનગર રાજ્યના ભૂતપૂર્વ રાજવી જામસાહેબે તેમના રાજમહેલના ચોગાનમાં આવી, માથા પરથી હેટ ઉતારી સામે ઊભેલી મહિલાને સંબોધીને કહ્યું. એમણે ફરીથી નમ્ર ભાષામાં આહ્વાન કર્યું કે, “.......સામે શું જોઈ રહી છે બોન! મારા માથાપર નાળિયેર ફોડ અને માનતા પૂરી કર.....' સામે ઊભેલી પેલી બહેન તો ડઘાઈ ગઈ, સ્તબ્ધ બની ગઈ, ઝાડની જેમ ઊભી, ન હાલે કે ચાલે! એ મહિલા બહેનની ભારે મૂંઝવણ ઊભી થઈ. વાત એમ બની હતી કે જામનગરની એક રાજપૂત બહેને એવી પ્રતિજ્ઞા લીધી, હરસિદ્ધિ માતાના મંદિરે જઈને કે દીકરો સાજો થાય તો “હે માતા ! હું જામસાહેબના માથામાં નાળિયેર વધેરીને, ઘીનો દીવો કરી તારી પૂજા કરીશ......’ જામનગરના ભૂતપૂર્વ રાજવી જામસાહેબ આ બનાવ બન્યો ત્યારે રાજપ્રમુખપદે રહેલા અને એમના જીવનમાં રાજપ્રમુખ બન્યા પછી આમૂલગ્રાહ પરિવર્તન આવ્યું. એમને ખબર પડી કે જામનગર શહેરની રહીશ રાજપૂતાણીએ આવી રીતે જામસાહેબના માથામાં નાળિયેર વધેરવાની આસ્થા લીધેલી. એથી ખુદ જામસાહેબે એ બહેનને રાજમહેલમાં તેડાવી, ઉપર મુજબ એમની સામે Jain Education International સ્વપ્ન શિલ્પીઓ માથું ધરીને નાળિયેર ફોડવા કહ્યું. પ્રતિજ્ઞા પૂરી થાય એટલે જામસાહેબે એ બહેનને સમજાવ્યું કે “જો માથામાં નાળિયેર વધેરવું ન હોય તો મારા પગના અંગૂઠા પાસે નાળિયેર વધેરી, પ્રતિજ્ઞા કે આસ્થા પૂરી કર.” એથી એ રાજપૂતાણી બહેને જામસાહેબના જમણાપગના અંગૂઠા પાસે થોડે દૂર નાળિયેર વધેરીને પ્રતિજ્ઞા પૂરી કરી. આ બીના જામસાહેબે પોતે સૌરાષ્ટ્રના દુષ્કાળ સમયે ખાસ રેલવે સલૂન જોડાવી સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં દુષ્કાળ રાહત માટે પ્રવાસ ખેડેલો, સાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ઢેબરભાઈ સાથે પ્રવાસમાં હતા ત્યારે પત્રકારોને વર્ણવી હતી. હું પણ તે સમયે પ્રચારમાં પત્રકાર તરીકે ફૂલછાબ’ દૈનિક તરફથી જોડાયેલો. જામસાહેબે એમની બાપુની ભાષામાં ઉપરોક્ત બનાવનું વર્ણન કર્યું હતું. જામનગર રાજ્ય આમ તો સમૃદ્ધ ગણાતું. રાજવી તરીકે જામસાહેબ એ સમયે (એટલે સૌરાષ્ટ્ર રાજ્યની રચના પહેલાં) સૌરાષ્ટ્રનાં નાનાં મોટાં ૨૦૨ રજવાડાંના રાજવીઓ, દરબારો અને ઠાકોરોના વડા ગણાતા. જામસાહેબનું બ્રિટિશકાળ દરમ્યાન વાઈસરોય સાથેના સંબંધોને કારણે, દિલ્હી સાથેના સીધા સંબંધોને કારણે દેશી રાજ્યોના રાજવીઓ પર ખૂબ વર્ચસ્વ હતું. તેઓ પહેલાં કોંગ્રેસના સરદાર પટેલના ખૂબ વિરોધી હતા. એમના રાજ્યમાં એક પણ ચળવળ થાય નહીં તેવો એમનો કડપ, હુકમ હતો અને છેલ્લે તેમણે સૌરાષ્ટ્રના રાજવીઓનું જૂથ ઊભું કરેલ જેનું નામ રખાયું ‘જામજૂથ યોજના’ અને તેઓ રાજવી તરીકેના પોતાના હક્કો, હિતો છોડવા માગતા ન હતા. જામસાહેબ રાષ્ટ્રવિરોધી ઉગ્ર માનસ ધરાવતા હતા. તેમની મહેચ્છા દેશી રાજ્યોનું એકીકરણ કરી, ભારતમાં એક નવો દેશ રચવાની હતી. એથી એમણે દેશી રાજ્યોના રાજાઓ વતી ખુલ્લેઆમ આગેવાની લીધી હતી. એ માટે જામસાહેબ દરેક રાજવીઓને, દરબારોને સ્વતંત્ર અસ્તિત્વ રાખવા જોરદાર અપીલ કરી હતી. પછી જૂથ રચ્યું હતું, પરંતુ એ સમયના ગૃહપ્રધાન સરદાર પટેલ વલ્લભભાઈની દૂરંદેશી, કુનેહ, આવડત અને રાજાઓ પ્રત્યેની સહાનુભૂતિ, દયાની લાગણીથી જામસાહેબના જીવનમાં અજબનું પરિવર્તન થયું. ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીને મદ્રાસના ગવર્નર બનાવ્યા. જામસાહેબને ગવર્નર કરતાંય વિશેષ પદધારક સૌરાષ્ટ્ર રાજ્યના રાજપ્રમુખ બનાવ્યા અને નાના એવા રાજ્યના રાજવી કરતાં મોટું પદ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy