SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૫ દવેએ કેટલાંક પુસ્તકો લખ્યાં, પ્રગટ કર્યો છે. એમના અનુભવોનો નિચોડ એ ગ્રંથોમાં દર્શાવ્યો છે. તેમનું છેલ્લું પુસ્તક રોગનું કારણ “પ્રજ્ઞાપરાધ' છે. એ આયુર્વેદની અધ્યાત્મષ્ટિના સચોટ નિદાનરૂપ છે. હૃદયરોગ ઉપર પણ તેમનું ચિંતન રહ્યું. અત્યારે આ જમાનામાં રોગનિદાન માટે અમૂલ્ય ઉપકરણો શોધાયાં છે પરંતુ જ્યારે નાડી જોઈ તપાસીને રોગનું નિદાન થતું ત્યારે શ્રી બાલકૃષ્ણભાઈ દવેનું નામ મોખરે રહેલ. ન મટે એવા હ સ્વપ્ન શિલ્પીઓ. પ્રાણાયામ, સ્વાધ્યાય આદિ ક્રિયાઓને જીવનમાં વિકસાવી. તેમના જીવન પર બે માનવીઓનો પ્રબળ પ્રભાવ. એક તે ઢેબરભાઈનો (સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ઉ. ન. ઢેબરનો) અને બીજો તે આસ્થિત પૂ. શ્રી વિમલાબાઈ ઠકારનો. શ્રી ઢેબરભાઈના કારણે તેમણે આયુર્વેદ તબીબીશાસ્ત્રની પ્રેક્ટિસ રાજકોટથી શરૂ કરી. પોતે ચુસ્ત ખાદીધારી અને ગાંધીભક્ત એટલે પ્રથમ દવાખાનું રાજકોટમાં કબાગાંધીના ડેલામાં શરૂ કર્યું અને અનેક માનવીઓનાં દુઃખદર્દમાં ભાગ લીધો. ગુજરાતના વૈદ્યોની પ્રતિષ્ઠા વધારવામાં, વૈદ્યમંડળની રચનામાં, આયુર્વેદ ઔષધોના સંશોધનમાં, તેમ જ છેલ્લે જામનગર ખાતે ભારતની સૌ પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી સ્થાપવામાં એમના જીવનનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. તેઓ શુદ્ધ આયુર્વેદમાં માનનારા હતા. આયુર્વેદ વિજ્ઞાન અંગેનું તેમ જ વાચન જીવનના અંત સુધી રહ્યું. તેઓને આધુનિક તબીબીશાસ્ત્રનું પણ જ્ઞાન હતું તેથી તેઓ વૈદ્ય તરીકે સફળ થયા, ખ્યાતિ પામ્યા. જામનગરના મહારાણી શ્રી ગુલાબકુંવરબાને આયુર્વેદનું ભારે લઢણ. તેઓ આ વિજ્ઞાનને વ્યાપક વધારવામાં માનતાં હતાં. જામનગર રાજયમાં પણ તેમણે આયુર્વેદ વિજ્ઞાનને ખૂબ મહત્ત્વ આપ્યું. ભારતના સોલર એટલે સૂર્યતાપથી રોગ મટાડવાનું અભિયાન જામનગરમાં શરૂ થયું અને તેથી ભારતમાં એક માત્ર જામનગરમાં સોલેરિયમની રચના થઈ, જેમાં દર્દીને સૂર્યતાપ દ્વારા રોગ અનુસાર જુદા જુદા રંગના કાચ દ્વારા શેક અપાય. આવું સોલેરિયમ બીજું માત્ર જર્મનીમાં છે. વિશ્વમાં બે જ સ્થળે છે. સૂર્યકિરણો દ્વારા રંગીન કાચમાંથી સૂર્યકિરણોનો શરીરના જુદા જુદા ભાગમાં શેક આપવાની ઉપચાર પદ્ધતિ (રંગચિકિત્સા) મુજબ જામનગરમાં સોલેરિયમની યાંત્રિક રચના કરવામાં આવેલી. આવાં બધાં કારણોથી ભારતમાં પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં સ્થપાઈ. જે હેતુ અને ધ્યેયથી એ સ્થપાયેલ છે તે હેતુ અને ધ્યેય હજુ પૂરાં ફળ્યાં નથી. મુખ્ય ધ્યેય હતું આયુર્વેદ ઔષધોનું સંશોધન કરવાનું. આયુર્વેદના પ્રાચીન ગ્રંથોનું નવીનીકરણ કરવાનું. તજ્જ્ઞ વૈદ્યોને પેદા કરવાનું તેમ જ આધુનિક રોગ મુજબ સચોટ એવા આયુર્વેદિક ઔષધોનું નિર્માણ કરવાનું, પરંતુ એમાંનું કોઈ પરિણામ દૃશ્યમાન થયું નહી. બીજી બાજુ આધુનિક વૈદ્યો પણ એલોપથી દવાનો ઉપયોગ કરે છે તેવા પ્રકારનાં ટીકાટિપ્પણ વધતાં ગયાં છે. વૈદ્ય શ્રી બાલકૃષ્ણભાઈ શ્રી બાલકૃષ્ણભાઈના જીવનનું મહત્ત્વનું પાસું તે રચનાત્મક રાજકારણ. શ્રી ઢેબરભાઈ વકીલમાંથી પ્રગતિશીલ રાજ્ય રચવામાં મુખ્યપ્રધાન બન્યા બાદ દેશની મોટી સંસ્થા અખિલ હિંદ ખાદી ગ્રામોદ્યોગ કમિશનના અધ્યક્ષ બન્યા અને છેલ્લે તેઓ એ સમયના વડાપ્રધાન પં. નહેરુ અને સરદાર પટેલની શુભેચ્છાને પરિણામે અખિલ હિંદ કોંગ્રેસના પ્રમુખ બન્યા-એ બધી પ્રગતિ માટે શ્રી ઢેબરભાઈની આસપાસ જે ચુનંદા રચનાત્મક દૃષ્ટિ ધરાવતા વિચારવંતો હતા તેમાંના એક તે શ્રી બાલકૃષ્ણભાઈ દવે હતા. રચનાત્મક ક્ષેત્રમાં વિશેષ કરીને ખાદી ગ્રામોદ્યોગ વિકાસમાં અગ્રતમ ફાળો આપનાર સૌરાષ્ટ્ર રચનાત્મક મતિ, રાજકોટના પણ તેઓ ટ્રસ્ટી અને સલાહકાર છેવટ સુધી રહ્યા હતા. . ઊંચા, ગોરા અને ગાંધી રંગે રંગાયા ત્યારથી ખાદીનો ઝબ્બો, ધોતિયું અને તેના પર જવાહર જાકીટ, માથે ગાંધી ટોપી-એ એમનો કાયમી પહેરવેશ હતો. ચુસ્ત ગાંધીવાદી તેમ જ ખાદીધારી એના ઘરે કુટુંબમાં પણ તેઓ ખાદીનો આગ્રહ રાખતા. જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેમના ઉપર આબુસ્થિત પૂ. શ્રી વિમલાદીદીનો ભારે પ્રભાવ તો ખરો પરંતુ વારંવાર તેઓ દીદીને (તાઈને) મળવા, આધ્યાત્મિક વિચારવિમર્શ કરવા આબુ જતા. પોતાના સ્વાધ્યાયમાં પણ તેમણે અધ્યાત્મ બાજુ વિકસાવી અને તેનું જ મનોમંથન કરતા રહ્યા. વધુ સમય અધ્યયનમાં વિતાવતા. છેલ્લે એમણે લેખનકાર્ય ઓછું કરી નાખ્યું. અંગ્રેજીનું જ્ઞાન હોઈ તેઓ કુશળ અનુવાદક પણ હતા. જ્યાં જાય ત્યાં નિકટનાં સ્વજનોને મળવાનું ભૂલતા નહીં. તેમનાં પત્નીનો સ્વભાવ પણ અત્યંત ઉદાર અને દયાળુ હતો. તેમના પુત્રાદિ બધાં સુખી અને સંતોષી હતાં. પોતે સ્પષ્ટવક્તા અને સાચું કહેવાની હિંમત ધરાવતા હતા. રાષ્ટ્રીય સંગ્રામમાં, ૧૦ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy