________________
૩૮૪
ગાંધીજી અને ગાંધી–સેવા કાજે એમણે આખુંય જીવન અર્પણ કર્યું. છગનલાલ જોષી
રાષ્ટ્રપિતા ગાંધીજી પાસે નિકટમાં રહેનારાઓમાં શ્રીમતી આભા ગાંધી, શ્રી મનુબહેન, શ્રી કનુભાઈ ગાંધી, શ્રી કિશોરલાલભાઈ મશરૂવાળા, શ્રી પ્યારેલાલજી, શ્રી મહાદેવભાઈ દેસાઈ તેમ જ સાબરમતી આશ્રમમાં મૂળ દ્વારકાના રહીશ પરંતુ લાંબા સમયથી રાજકોટમાં રહેતા શ્રી છગનલાલ ન. જોષી પણ હતા. આ શ્રી છગનલાલ જોષી ઘણો સમય પૂ. ગાંધીજીના મંત્રી તરીકે પણ કામગીરી બજાવતા હતા. ગાંધીજીની દાંડીકૂચ થઈ તેમાં પણ તેઓ સામેલ હતા. બાદ વર્ષો સુધી તેમણે હરિજન સેવાનું કામ ઉપાડેલું. સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ ત્યારે તેઓ રાજકોટમાં રહેતા હતા અને હરિજન આદિવાસીઓ, પછાત વર્ગોની પ્રવૃત્તિઓ વિકસે તે માટે તેમના પ્રયત્નો રહ્યા હતા. સક્રિય સેવા કરતા હતા.
સૌરાષ્ટ્રના મુખ્ય મુખ્ય મંદિરોમાં હરિજનપ્રવેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યારે દ્વારકાધીશ મંદિરમાં હરિજન– પ્રવેશની તેઓએ આગેવાની લીધી. હિરજન સેવક સંઘના તેઓ વર્ષો સુધી માર્ગદર્શક તેમ જ દોરનાર હતા.
શ્રી છગનલાલ જોષી મુંબઈની વિખ્યાત એલ્ફિસ્ટન કોલેજમાં ગ્રેજ્યુએટ થયા પછી તેમને સારી જગ્યાએ સ્થાન મળે અને ઊંચા હોદ્દા મુજબ આવક મળે એવી સ્થિતિ હતી, પરંતુ તેમણે એવા હોદ્દાની પરવા કર્યા સિવાય દેશસેવામાં ગાંધીજીની અસરથી ઝંપલાવ્યું અને ગાંધીજીનું નિવાસસ્થાન ગાંધીઆશ્રમનો વહીવટ એમણે સંભાળ્યો હતો. ગાંધીજી પાસે રહેવું તેમ જ ગાંધીજી બતાવે તે કામ કરવાનું ખૂબ મુશ્કેલીભર્યું તેમ જ કસોટી કરે તેવું હતું, તો છગનલાલ જોશી એ કસોટીમાંથી પાર ઊતરી ગયા.
આમ પૂ. ગાંધીજી પાસે રહેવાની અને એમનું કામ, સેવા કરવાની અતિ આકરી કસોટી અને તાપણીમાંથી શ્રી છગનલાલ જોષી, જેઓ પાછલી ઉંમરમાં છગનબાપા તરીકે જાણીતા થયા તેઓ પસાર થયા. કહે છે કે ગાંધી–સાબરમતી આશ્રમનો સઘળો વહીવટ સંભાળતા શ્રી છગનબાપાને કૌટુંબિક કામે રાજકોટ જવાનું થયું. ગાંધીજી પાસે રજા લેવા ગયા અને કહ્યું કે શનિવારે સાંજે પાછા આવી જશે. ગાંધીજીએ રજા
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ
આપી. કહ્યું કે ભલે જાઓ ને શનિવારે સાંજે અચૂક આવી જો નહીં આવો તો માનીશ કે કાં છગનલાલ આ દુનિયામાં જીવિત નથી અથવા માનીશ કે છગનલાલની ફરીથી આશ્રમમાં આવવાની ઇચ્છા જ નથી, જો કે શ્રી છગનબાપા શનિવારે સાંજે અચૂક આવી જ ગયા.
શ્રી છગનલાલ જોષી ગાંધી–સાબરમતી આશ્રમનો સઘળો વહીવટ કરતા. એ માટે તેમણે ગાંધીજીની સાથે વિચારવિમર્શ કરી આશ્રમવાસીઓ માટે નિયમો બનાવ્યા હતા. દંપતી સાથે જેઓ આશ્રમમાં રહે તેમણે બ્રહ્મચર્ય પાળવાનું અનિવાર્ય હતું. આવા આકરા, અતિ આકરા નિયમો આશ્રમના હતા જે સ્વૈચ્છિક પાળવાના હતા.
પૂ. ગાંધીજીએ દાંડીકૂચ પછી સાબરમતી આશ્રમ છોડ્યો અને શ્રી જમનાલાલ બજાજના કહેવાથી સેવાગ્રામ (વર્ષા) રહેવા ગયા પછી ગાંધીજીના ઇચ્છા-આદેશ મુજબ શ્રી છગનબાપાએ જીવ્યા ત્યાં સુધી હરિજનોની પછાતવર્ગોની સેવા કરી. શ્રી ઢેબરભાઈ સાથે ઘણી વખત યાત્રા કરેલી. દિલ્હી પણ રહેતા. ખાદી ગ્રામોદ્યોગ તેમ જ રચનાત્મક પ્રવૃત્તિઓને વરેલી શ્રી સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, રાજકોટના તેઓ વર્ષો સુધી ઉપપ્રમુખ રહ્યા. અનેક રચનાત્મક પ્રવૃત્તિઓમાં છેવટ સુધી તેઓ તેમ જ તેમનાં પત્ની શ્રીમતી રમાબહેન જોષી સક્રિય રહ્યાં. સત્યવક્તા, પ્રામાણિક, મહેનતુ, ગાંધીભક્ત અને ગાંધીએ પ્રબોધેલાં સેવા કાર્યો કરતાં કરતાં પ્રથમ તેઓ અને પાછળ તેમનાં પત્ની આ જગતમાંથી વિદાય થયાં. એમની સાથે કામ કરવાનો અમોને મોકો મળેલો.
હાથની નાડી જોઈને નિદાન-ચિકિત્સા કરનાર ખ્યાતનામ આધ્યાત્મિક વૈદ્ય શ્રી બાલકૃષ્ણ દવે
કોઈની પણ હાથની નાડી (ઇંડા અથવા પીંગળા) જોઈને રોગનું બરાબર નિદાન કરી ચિકિત્સા કરનારા આધ્યાત્મિક વૈદ્ય હતા શ્રી બાલકૃષ્ણભાઈ દવે. બ્રાહ્મણ કુળમાં જન્મેલા, બાપદાદા શિહોર વસેલા, પરંતુ પોતે વધુ વખત રાજકોટ રહ્યા બાદ ભારતની સૌ પ્રથમ શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે જામનગર રહ્યા પછી તો તેઓ વર્ષો સુધી જામનગર જ રહ્યા. એમના જીવનમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્ત્વ પરંતુ સર્વધર્મમાં માનનારા જીવનનાં અંતિમ વર્ષોમાં તો તેમણે યોગીની જેમ ધ્યાન,
For Private & Personal Use Only
www.jainelibrary.org