________________
૩૭૭
સ્વપ્ન શિલ્પીઓ બનાવવાનો પ્રયોગ શ્રી ભગતબાપાને શીખવાડ્યો. આમ શ્રી ભગતબાપા વૈદ્ય હતા. અનેક કષ્ટસાધ્ય રોગની દવા, ઔષધ જાણતા હતા. આયુર્વેદનાં પુસ્તકોનું વાચન હતું. એમણે પોતાની વાડીમાં જ સૂરણ, પીપર, આદુ, હળદર, તુલસી, શ્યામતુલસી, કુંવાર, અરીઠો આકડો વગેરે અસંખ્ય વૃક્ષ કે છોડ વાવેલાં. તેઓની વાડીની ઊપજ કેરીના વેચાણમાં દર વરસે દોઢ બે લાખ રૂ.ની આવતી. વાડીમાં કેસર કેરીનાં અસંખ્ય વૃક્ષો હતાં. આવડી મોટી ઊપજ છતાં તેઓ વિધુર બન્યા પછી લંગોટીભર (ચડી અને ગંજીફરાક) જ. પોતાની વાડીમાં વર્ષોથી એકલા રહેતા હતા. વિધુર બન્યા પછી પોતાના ઘરે એમણે પગ મૂક્યો નહીં. ભગતબાપા આયુર્વેદના પ્રયોગો, નુસખાઓ, ઉપાયો જાણવામાં ખ્યાતનામ હતા. એથી મોરૂકા ગામે ચિકિત્સા માટે દૂરદૂરથી દર્દીઓ આવતાં હતાં. એટલા માટે એસ.ટી.એ તલાળાથી મોરૂકા જવાની છેલ્લી બસ ગોઠવી હતી. દર્દીઓ તલાળાથી મોરૂકા આવે. પાછા ફરવાની ખૂબ મુશ્કેલી એટલે ભગતબાપાએ ઝૂંપડીઓ બાંધેલી તેમાં દર્દીઓ રાતવાસો રહે. દવા પણ આપે અથવા લખી આપે. વધુ ભાગે દવા પોતે જ બનાવી આપતા. દવા માટે ભટ્ટી વગેરે વાડીમાં કરે.
એમની આ ખ્યાતિને કારણે શ્રી ભગત બાપાને જૂનાગઢ જિલ્લાના તેમ જ આસપાસના વૈદ્યો પોતાના જ્ઞાનમાં વધારો કરવા મારૂકા જતા આવતા. મારૂકા આ યાત્રાનું સ્થળ બની ગયું. અમો એટલે વૈદ્ય વજુભાઈ, અમરેલીના વૈદ્ય શાંતિભાઈ અધ્વર્યું તેમ જ ગુજરાત વૈદ્યમંડળના અધ્યક્ષ તરીકે રહેલા તેવા ગઢડાના ખ્યાતનામ વૈદ્ય મુ. શ્રી ક્રિપાશંકર ન. ભટ્ટને લઈને અમો મોરૂકા પારામાંથી સોનું બનાવવાનો પ્રયોગ પ્રત્યક્ષ જોવા મોરૂકા ગયા. ત્યાં રોકાયા. ભગતબાપાને પ્રયોગ કરી બતાવવા વિનંતિ કરી તો તેમણે વાડીમાં જ ભટ્ટી કરી બકડિયામાં માટીનું વાસણ મૂકી પારાને સંસ્કાર આપવા માંડ્યા. પારાને અષ્ટ સંસ્કાર આપવાની વિધિ કરી. અંતમાં જુદી જુદી વનસ્પતિઓનો ભૂકો નાખીને પાંચ કલાક બાદ ત્યાં જ પારાનું બંધન કરી અમારી હાજરીમાં સોનું બનાવ્યું. સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. એમણે અગાઉ એક વાર પારાનું સોનું બનાવેલું, જે પ્રાયોગિક વેચાણ માટે વેરાવળ મોકલેલું. સાવ સોનું નહીં પરંતુ અમુક કેરેટ સોનું થયેલું. તેઓ સોનું બનાવી કમાવાની વૃત્તિ રાખતા નહીં પરંતુ માત્ર પ્રયોગ કરી બતાવવાનું રાખેલું.
અમારા ગયા પછી રાજકોટના વૈદ્ય શ્રી ડાહ્યાભાઈ પટેલ પણ એમને મળવા ગયેલા.
ભગતબાપા સાવ સાદાઈથી રહેતા. દર્દીઓને દવા વગેરે નિ:શુલ્ક આપતા. જવા-આવવા બસ-ભાડાના પૈસા પણ આપતા. એમ છૂટથી ઉદારતાથી વૈદ્યક વિદ્યા દ્વારા લોકસેવા કરતા.
તેઓનું સમગ્ર જીવન બાળપણથી જ પ્રભુમય અધ્યાત્મથી રંગાયેલું હતું. તેઓને આંબાવાડીની મોટી આવક છતાં સાદું સરળ નિઃસ્વાર્થ જીવન ઉપરાંત ઉદારવૃત્તિને કારણે છૂટથી નાણાં વાપરતા. ગરીબોને, જરૂરવાળાને સહાય કરતા. તેઓ પતંજલિ યોગ - અષ્ટાંગ યોગના પણ અભ્યાસી હતા. તેઓ ધ્યાન, પ્રાણાયામ આદિ યોગક્રિયા કરતા પરંતુ સ્વરોદય સાધનામાં તેઓ તજજ્ઞ રહેલા. સ્વરોદય-શ્વાસોશ્વાસનું આધ્યાત્મિક વિજ્ઞાન છે. જે સૂર્યનાડી (પીંગળા) અને ચંદ્રનાડી (ઇડા) ઉપરાંત મધ્યસ્થ નાડી સુષુમણા પર આધારિત છે. તેઓ આ નાડીવિદ્યા સ્વરોદયથી ગર્ભવતી સ્ત્રીના ગર્ભમાં પુત્ર છે કે પુત્રી તે કહી શકતા હતા. એવા ઘણા સફળ પ્રયોગો તેમણે કરેલા. દર્દીનો રોગ મટશે કે નહીં એટલે કે સાધ્ય અથવા અસાધ્ય છે કે નહીં તેઓ સ્વરોદય વિજ્ઞાન-વિદ્યાથી કહી શકતા, પરંતુ દર્દીઓ જાણીને નિરાશ થાય તેથી એ સ્વરોદયનું વિજ્ઞાન તેઓએ અજમાવવાનું બંધ કરેલ.
તેમને તેમના જીવનના અંતનો ખ્યાલ આવી ગયો. તેમણે એ માટે સગાંવહાલાં, મિત્રો, સ્વજનોને મોરૂકા બોલાવી લીધા અને નિધન પછી શી શી ક્રિયા કરવી તે બધું પુત્રાદિને સમજાવેલ. અંતિમ ૨૪ કલાક તેપણે ધ્યાનસમાધિમાં ગાળ્યા અને જાહેર કર્યા મુજબ પોતાની વાડીમાં જ છેલ્લા શ્વાસ લીધા. તેઓ ઈશ્વરી શક્તિમાં માનનારા પવિત્ર આત્મા હતા. જેમણે પોતાની જાતને અને આખાય કુટુંબને
સ્વાતંત્ર્ય સંગ્રામમાં હોમ્યું.
શ્રી વજુભાઈ શાહ સૌરાષ્ટ્ર પુણ્યભૂમિની કૂખે કેટલાક મહાન મનીષીઓ પાક્યા છે, જેમ કે અહિંસાના પૂજારી પૂ. ગાંધીજી, આર્યસમાજના દેશભરમાં ફેલાવો કરનાર સ્વામી શ્રી દયાનંદજી, વર્ષો સુધી કોંગ્રેસના મહામંત્રી તરીકે કામ કરનાર, ઠરાવોના ઘડવૈયા શ્રી બળવંતરાય મહેતા, ગાંધીજીના તબીબ તરીકે જાણીતા ગાંધીભક્ત તબીબ ડૉ. જીવરાજ મહેતા, સ્ત્રીઓ, બાળકો અને વનવાસીઓના પુનર્વસવાટની કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરનાર શ્રી પુષ્પાબહેન મહેતા. આ સિવાય અનેક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org