________________
સ્વપ્ન શિલ્પીઓ
શહેરના છેવાડે એ વખતે આવેલું દર્દીઓ માટેનું સૅનેટોરિયમ. એમાં શ્રી ઢેબરભાઈ એક જાળીવાળા મકાનના બે રૂમ, એમાં એક રૂમમાં એમની પથારી, બીજા રૂમમાં બેઠક, ઢાળિયું અને શેતરંજી પર બેસી ઓફિસ કામ કરે. રોજ સવારે અરજદારોનો ખુલ્લો દરબાર ભરાય. તેમાં આવેલા અરજદારોને વારાફરતી સાંભળે. વિગતો નોંધાવે અને ઓફિસે જઈને જે તે ખાતાને અરજીઓ કંટ્રોલ એવો સિક્કો મારી ત્રણ દિવસમાં નિકાલ લાવવાનો આદેશ આપે. કોઈ અરજીનો તત્કાળ નિકાલ ન થાય એવી બાબત હોય તો વચગાળાનો જવાબ અરજદારને ઘેર બેઠાં મળે. મોટાભાગની અરજીઓનો ત્યાં જ ફેંસલો લાવે. આવી હતી એમની રોજની દિનચર્યા.
સેનેટોરિયમના સામેના ભાગમાં કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખ દરબાર શ્રી ગોપાળદાસ દેસાઈ રહે. શ્રીમતી ભક્તિલક્ષ્મીબા રસોઈ કરે. શ્રી ઢેબરભાઈ તેમની સાથે જમે અથવા એમની બાજુના નિવાસસ્થાનમાં રહેતા કોંગ્રેસ અગ્રણી અને ઢેબરભાઈના સાથી શ્રી વજુભાઈ શાહ અને શ્રીમતી જયાબહેન શાહને ત્યાં પણ જમી લે. સેનેટોરિયમના એક ભાગમાં એમના પર્સનલ આસિસ્ટન્ટ શ્રી નલિનકાંત મહેતા રહે. આમ જૂનાં એવાં જાળીવાળાં મકાનોમાં શ્રી ઢેબરભાઈ, દ. સા. ગોપાળદાસ, શ્રી વજુભાઈ શાહ, જયાબહેન શાહ વસતાં હતાં. ત્યાં ન કોઈ પોલીસ, રક્ષક કે સિક્યોરિટી. શ્રી ઢેબરભાઈ વહેલા ઊઠી લોટો લઈને સેનેટોરિયમના છેડા ઉપરના સાર્વજનિક જાજરૂમાં મળશુદ્ધિ માટે જાય. આવું હતું રાજ્યના મુખ્યપ્રધાન શ્રી ઢેબરભાઈનું નિવાસસ્થાન-ખખડધજ પુરાણા સેનેટોરિયમનો ખૂણાનો એક ભાગ.
૨૦૦૭ના વર્ષમાં દેશમાં આવેલાં ૨૪ રાજ્યોના મુખ્ય પ્રધાનોમાંથી સાદાઈથી રહેનારા માત્ર ત્રણ પ્રધાનોનાં નામ સર્વેક્ષણમાં જણાયાં. એ ત્રણ તે પં. બંગાળના ભટ્ટાચાર્ય. બીજા તે કેરળ રાજ્યના અચ્યુતાનંદ અને ત્રીજા તે પોંડીચેરીના રંગાસ્વામી, પરંતુ આ બધાને આંટી દે તેવી સર્વશ્રેષ્ઠ સાદાઈ, અકલ્પનીય સાદાઈ મુખ્યપ્રધાન તરીકે શ્રી ઢેબરભાઈની હતી. શ્રી ઢેબરભાઈ મુખ્યપ્રધાન તો ખરા પરંતુ સૌરાષ્ટ્ર રાજ્યનું વિલીનીકરણ થયા પછી ભારતના અખિલ હિંદ ખાદી ગ્રામોદ્યોગ કમિશનના અધ્યક્ષ રહ્યા તે શ્રી ઢેબરભાઈ. અખિલ હિંદ કોંગ્રેસ કારોબારી સભ્ય બન્યા શ્રી ઢેબરભાઈ અને છેલ્લે કોંગ્રેસના પ્રમુખ બન્યા તે શ્રી ઢેબરભાઈ. આવા દેશનાં ઉચ્ચ પદો પર છલાંગ મારીને સર્વોચ્ચ પદે કે હોદ્દા પર પહોંચેલા
Jain Education Intemational
394
શ્રી ઢેબરભાઈના જીવનવહેવારની સાદાઈને કોઈ આજના કે પહેલાંના મુખ્યમંત્રી પહોંચી શકે એમ નથી. દેશના સર્વોચ્ચ સ્થાન પર એ સમયની કોંગ્રેસના પ્રમુખ બન્યા પછી પણ શ્રી ઢેબરભાઈ રાજકોટના સેનેટોરિયમમાં ઝૂંપડી જેવા મકાનમાં રહેતા હતા. પત્રકાર તરીકે અમોએ આજ સુધી માત્ર-માત્ર બે જ મુખ્યમંત્રીઓને સાદાઈમાં સાદાઈ તરીકે જીવતા રહેતા પિછાણ્યા છે એક તે શ્રી ઢેબરભાઈ અને બીજા એ સમયે ભારતમાં એક રાજ્ય બની રહેલા સરહદ પ્રાંત (જે હાલ પાકિસ્તાનમાં છે)ના પઠાણોના આગેવાન ખાન અબ્દુલ ગફારખાન-સરહદના ગાંધીના મોટાભાઈ ડૉ. ખાનસાહેબ. ડો. ખાનસાહેબ સરહદ પ્રાંત (રાજ્યના) મુખ્યમંત્રી તરીકે અતિ સાદાઈથી રહેતા હતા. તેમનો હું ત્યારે મહેમાન બનેલો, પરંતુ શ્રી ઢેબરભાઈની સાદાઈ, જીવનવહેવાર, વહીવટી દૂરંદેશી, પારદર્શિકા અને નેતૃત્વશક્તિ અજોડ હતાં. આવો પુરુષ દેશની સેવા માટે મળવો ન ભૂતો ન ભવિષ્યતિ.
શ્રી ઢેબરભાઈ આધ્યાત્મિક રાજપુરુષ, યોગીજન, સરદાર પટેલે એમને દેશી રાજ્યોના ભંગારમાંથી એક નવા શક્તિશાળી, પ્રભાવિત રાજ્યનું સર્જન કરવા પસંદ કર્યા તે પહેલાં શ્રી ઢેબરભાઈને બહુ ઓછા પિછાણતા હતા. તેઓ એક પ્રામાણિક અને બાહોશ વકીલ હતા એટલું જ. એમનાં પત્ની શ્રી મનુબહેન ઢેબર અને વારસદાર તરીકે એક પુત્ર. શ્રી ઢેબરભાઈ વિધુર બન્યા પછી માનસિક રીતે વૈરાગ્યવૃત્તિ ધરાવતા હતા. તેમને એક પુત્ર છે અને તેય બેંકમાં સામાન્ય કારકુન છે, તે બાબત તો તેમના નિધન પછી લોકોએ જાણી. વર્ષોથી ખાદી ધારણ કરેલ. રેંટિયો કાંતે, પોતાના જ કાંતણનાં બને તો વસ્ત્રો પહેરવાં. એમની વસ્ત્રોની મૂડીમાં ત્રણ વાર ઝબ્બા, ત્રણ ખાદીનાં ધોતિયાં અને બે ગાંધી ટોપી. આવા મોટા ઉચ્ચસ્થાન ધરાવતા માનવીની ઘરવખરી કે મૂડી નહીંવત. ઊંચા પાતળા, ગોરા, કટમૂછો રાખનાર, પગમાં સાદી ચંપલ જ પહેરે. બૂટમોજાંનું તો નામનિશાન નહીં. દ. શ્રી ગોપાળદાસ દેસાઈનાં પત્ની (ઠકરાણા) શ્રી ભક્તિલક્ષ્મીબા (ભક્તિબા તરીકે જ જાણીતાં)ને ઢેબરભાઈ માતા ગણતા. કોઈ વાર હીંચકે બેસીને ભક્તિબા સાથે વાતો કરતા જોવા મળે. કોંગ્રેસ કાર્યાલયનું કામ સંભાળતા શ્રી જેઠાલાલભાઈ જોશી (સાંસદ બનેલા તે) એમના સાથીદાર શ્રી વજુભાઈ શાહ, શ્રી જયાબહેન શાહ પણ સાથીદાર. એમણે પ્રજાકીય વહીવટમાં અનેકવિધ દિશામાં નવા ચીલા પાડ્યા. વહીવટની અનુકૂળતા
For Private & Personal Use Only
www.jainelibrary.org