SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ સ્વપ્ન શિલ્પીઓ અહીંના આદિવાસીને નજર સમક્ષ રાખજો. એ રીતે તેમના પ્રારંભનાં દસેક પુસ્તકો શાળાના વિદ્યાર્થીઓ અને સમાજશિક્ષણનું કેન્દ્રમાં રાખીને ગુજરાત નઈ તાલીમ સંઘ, તેમજ સમાજ શિક્ષણ સમિતિ-સૂરતે પ્રગટ કર્યા. નવજીવન ટ્રસ્ટમાં ગાંધીજીના અક્ષરદેહ વિભાગમાં પંદર વર્ષ કામ કરતાં, તેમણે આ વિચારને પચાવવા પ્રયત્ન કર્યો. બાપુએ સાહિત્યકારોને વિનંતી કરેલી કે એક સામાન્ય કોશિયો પણ સમજી શકે એવી સરળ છતાં બોધદાયક શૈલી તમારાં લખાણોમાં હોવી જોઈએ. ૧૯૮૨માં તેમણે જીવનસ્મૃતિ સ્વાધ્યાય મંદિરની સ્થાપના તેમનાં પત્ની ભારતીબહેનના સહયોગમાં કરી જેનો ધ્યેયમંત્ર-રીપ સે સીપ બને છે. એની મારફતે 100 જેટલાં પ્રકાશનો થઈ ચૂક્યાં છે અને છેલ્લાં પંદર વર્ષથી જીવનસ્મૃતિ ત્રિમાસિક પત્રિકા ચાલુ છે. આ પત્રિકા દ્વારા સત્સંગ-સેવા અને સ્વાધ્યાયને કેન્દ્રમાં રાખી ગુજરાતના સર્જનાત્મક ક્રિયાશીલ અને રચનાત્મક-સંસ્થાઓ તેમજ વ્યક્તિઓની પ્રવૃત્તિઓને સમાજ સમક્ષ મૂકવાનો નમ્ર પ્રયાસ ચાલુ છે. ઉચ્ચ જીવનશૈલીને મદદ કરનારાં તેમના પ્રકાશનો ખરેખર તો માણવા જેવાં હોય છે. પંડિત દંપતીને સો સો સલામ. શ્રી વજુભાઈ વ્યાસનો પરિચય : જન્મ ૭મી ડિસેમ્બર, ૧૯૧૯, વતન : વળા જિલ્લો : ભાવનગર જીવનસ્મૃતિ પરિવારની આરોગ્યદાયી, લોકોપકારક પુસ્તિકાઓ કેન્સર, ડાયાબિટીસ, હાઈ બલ્ડપ્રેશર, સંધિવા, હૃદયરોગ સારવાર વગેરેથી વૈદ્ય શ્રી વજુભાઈ સારી પેઠે પરિચિત છે, પરંતુ તેઓ શારીરિક રોગોના કેવળ ચિકિત્સક જ નહીં, સંશોધક પણ છે. તેમ જ એક પત્રકાર અને વન્ય પશુ – પક્ષીઓના અચ્છા અભ્યાસુ તેમજ મનોવૈજ્ઞાનિક છે. તેઓએ જિંદગીનાં પાછલાં વર્ષોમાં પ્રાચીન એવા આયુર્વેદ વિજ્ઞાન અને જીવન જીવવાની નૈસર્ગિક પદ્ધતિનો અભ્યાસ કર્યો, કેટલાંક સંશોધનો કર્યા. તેમના રસના વિષય છે : હૃદયરોગ, ડાયાબીટીસ. કિડની ફેલ્યોર અને કેન્સર ઉપરના અભ્યાસ પછી તેમણે ચાર-પાંચ પુસ્તિકાઓ લખી છે. તેમાં કેન્સર અંગે સમજ (ઉપાય) લોકભોગ્ય બની છે. તેઓએ યોગ, આયુર્વેદ, નેચરોપથી અને વિશેષ કરીને ઓટોયુરિન થેરપી સ્વમૂત્રોપચાર પદ્ધતિ વગેરેના મિશ્રણ દ્વારા આગવી ચિકિત્સા પદ્ધતિનું નિર્માણ કર્યું છે. તેઓ માને છે કે જે જે કારણોથી માનવીના શરીરમાં વાત, પિત્ત અને કફનું અસમતોલપણું થઈ જાય છે, તેને જીવન જીવવાના પરિવર્તન દ્વારા રોગ થનારાં કારણોનું નિવારણ કરવામાં આવે તો રોગ આપોઆપ મટે છે અથવા રોગનું મૂળ પકડાય જેથી પુનઃસ્વાથ્ય પ્રાપ્ત થાય છે. રોગનું મૂળ કારણ છે માનવીની ખામીભરી જીવન જીવવાની પદ્ધતિ, ઉપરાંત આહાર-વિહાર અને મનોવ્યાપાર. એમાં આહાર પ્રાધાન્ય ભોગવે છે. તેઓ દવાવાદમાં માનતા નથી. ઝાડપાન-વેલા-વનસ્પતિઓ તેમજ આંગણાનાં સાદાં ઔષધોથી રોગી વહેલો સાજો થવા પામે છે. એટલે કુદરતનું નજીક જવું એ એમનો મુખ્ય મંત્ર રહ્યો છે. છેલ્લાં થોડાં વર્ષોથી તે શિવામ્બુ ચિકિત્સક તરીકે પણ જાણીતા રહ્યા છે. વૈદ્ય વજુભાઈ વ્યાસે સમાજસેવા, પછાત વર્ગો તેમજ આદિવાસીઓની સેવાનું કાર્ય પણ કર્યું છે. ગીર, આલેચ, બરડા, ડાંગ, આદિ જંગલોમાં ફરીને વેલા-વનસ્પતિઓની ઓળખ મેળવી તેનું સંશોધન પણ કર્યું છે. આ અંગેનું વિશિષ્ટ જ્ઞાન તેમના ગુરુ સ્વ. કિરપાશંકરભાઈ ભટ્ટ (ગઢડાવાળા) તેમજ ખ્યાતનામ આધ્યાત્મિક વૈદ્ય શ્રી ભગતબાપા (મોરુકા-ગીર) પાસેથી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy