________________
૨૬
સ્વપ્ન શિલ્પીઓ.
iOO. O'!
પંડિત મગનલાલ શાસ્ત્રીજી અને ચાણોદ કરનાળીના દયાનંદજી વેદપાઠી વલ્લભ વેદાંત અને સામગાનના નિપુણ પંડિતો હતા. એ સૌમાં ગુજરાતી અસ્મિતાનું પ્રાગટ્ય જણાતું. પૂ. મનહરલાલ મહારાજ, કૃષ્ણશંકર શાસ્ત્રીજી, રામચંદ્ર ડોંગરેજી, પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, શ્રી દલસુખ માલવણિયાજી, પંડિત સાંકળેશ્વરજી, જયભિખ્ખું તથા સૌરાષ્ટ્રમાં મહુવા પાસેના તલગાજરડામાં એક સામાન્ય શિક્ષકથી જીવનકારકિર્દી શરૂ કરનાર વિશ્વવંદનીય પૂ. મોરારિબાપુ આ યુગનું જીવતું જાગતું મહાકાવ્ય ગણાય છે. ભોગીલાલ સાંડેસરા, ભીમસિંહ માણેક, પરમાનંદ કાપડિયા, રતિલાલ દીપચંદ દેસાઈ આ બધાં ગુજરાતના ભૂષણરૂપ પ્રજ્ઞાપુરુષો ગણાયા.
ભક્તિપરાયણ જૈન પરિવારો નજર કરો જૈન ઇતિહાસનાં સોનેરી પૃષ્ઠો પર...જિનશાસનની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર અભયકુમારની પ્રકૃષ્ટ પુણ્યપ્રભાવના જુઓ! સઘળાય આગમોની એક એક પ્રત સુવર્ણાક્ષરે લખાવનાર આભૂની અખંડ શ્રુતપાસના જુઓ, શત્રુંજય તીર્થનો સોળમો ઉદ્ધાર કરનાર કર્માશાહ અને જૈનધર્મી કલ્પક મંત્રીથી વિવિધ ધર્મકાર્યોમાં થયેલી દેણગી જુઓ.
કીર્તિગાથાના પરિચયાત્ય પરિવારો - ત્યાગ-વૈરાગ્યના રંગોથી રંગાયેલા રાજા કુમારપાળની ઉત્કૃષ્ટ પ્રતિભા અને એક કાળે જેમનો કીર્તિકળશ ટોચે પહોંચેલ તે ખારવેલ અને ચંદ્રગુપ્તની ધર્મભક્તિ અસાધારણ ગણાતી. જૈિન શાસનના મહાન જ્યોતિર્ધર દાનવીર જગડુશાહ તથા શોભન મુનિના મોટાભાઈ
મહાકવિરત્ન ધનપાલ અને તિલકમંજરીની વાતો આપણાં હૈયાંને હચમચાવી દે છે...પરિગ્રહ અને પરિમાણની પ્રતિજ્ઞાને બરોબર પાળનાર પેથડશાહ મંત્રી અને તેના પુત્ર ઝાંઝણશાહનો સિદ્ધગિરિ યાત્રા સંઘ હંમેશાં યાદ રહેશે. વીરશિરોમણિ વસ્તુપાલ-તેજપાલનો અદ્ભુત સમર્પણભાવ આપણાં હૈયાંને શીતળતા બક્ષે છે...તો અપૂર્વ કીર્તિગાથાના પરિચાયકો વિમલ મંત્રી, ઉદયન મંત્રી અને સજ્જનમંત્રીનાં સુવર્ણાક્ષરે અંકિત થયેલાં સુકાયો આપણી ગૌરવગાથાના મુગટમણિ બની ગયાં છે.
અમર સ્મૃતિચિહનો મૌર્યવંશના પ્રથમ રાજવી અને જૈન ધર્મપ્રેમી ચંદ્રગુપ્તની નિસ્પૃહતા જુઓ! કરુણા અને દયાના સાગર શ્રેણિકની સતત ધર્મ જાગૃતિ જુઓ. જૈન શાસનની રક્ષા અને વ્યવસ્થામાં હંમેશાં 'તત્પર રહેનાર સિદ્ધરાજનો વાત્સલ્યભાવ તો જુઓ! રાજસ્થાનમાં દયાળશા કિલ્લો એ જેમની
અમર સ્મૃતિ બની ગયેલ છે તે વીર પુરુષ દયાળશાહનાં સંયમ અને ચારિત્રભક્તિ તો જુઓ! તેરમી સદીમાં માલવ અને મધ્યપ્રદેશની ભૂમિમાં થઈ ગયેલા આદર્શ શ્રાવક દેદાશાહની કર્તવ્યપરાયણતા જુઓ! નમ્રતાના ભંડાર સમા ભાવડ શાહ અને જાવડ શાહનું શાસનમાં આદરણીય સ્થાન જુઓ! આવા અનેક દીવડાઓએ સર્વત્ર રોશની પ્રસરાવી છે.
તીર્થરક્ષક શેઠ શાંતિદાસ, સંઘવી પૂનડ અને ધશણાશા પોરવાડની કે ખેમો દેદરાણીની સંકલ્પસિદ્ધિ યાદ કરો! કચ્છી સમાજના અગ્રગણ્ય દાનવીર શેઠ નરશી નાથા અને કર્મયોગી સૌજન્યમૂર્તિ મોતીશા શેઠની દેવીભક્તિ જુઓ! જિન ધર્મના ચુસ્ત આરાધક કદર્પ શાહની દેવીભક્તિ જુઓ...જૈન મંદિરોના નિર્માણમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org