________________
સ્વપ્ન શિલ્પીઓ
શિલાલેખ બની ગયાં. આપણે ત્યાં ધર્મપ્રિય મંત્રીઓ અને આદર્શ દીવાનોની પરંપરા પણ એવી જ શોભાયમાન હતી. વસ્તુપાલ-તેજપાલ જેવાં નરરત્નોએ બનાવેલાં બેનમૂન મંદિરો-મૂર્તિઓ જોઈને દુનિયા આજે દંગ થઈ જાય છે. ભાવનગરના દીવાન ગગા ઓઝા, સર પ્રભાશંકર પટ્ટણી, શામળદાસ મહેતા, જૂનાગઢના ગોકુલજી ઝાલા, ધ્રાંગધ્રાના મકનજી, મોરબીના કલ્યાણરામ, પોરબંદર-રાજકોટના કરમચંદ ગાંધી, આ સૌની શાસનશૈલી કલ્યાણગામી હતી. ખંભાતના ઉદયન મહેતાએ ખંભાતને શણગાર્યું. અમેરિકાના શિકાગોમાં ભરાયેલી વિશ્વ પરિષદમાં જૈનધર્મનો પ્રભાવક પરિચય કરાવવાનું માન મહુવાના વીરચંદ રાઘવજી ગાંધીને ફાળે જાય છે. ચિંતક કવિ વલ્લભ પોપટે પણ આ ધર્મપરિષદમાં સારો દેખાવ કર્યો હતો. નમ્રતાના ભંડાર સમા મહુવાના જાવડશાનું નામ જૈન તીર્થોદ્ધારના કામમાં ખૂબ જ આદરણીય બન્યું. અમદાવાદના શેઠ શાંતિદાસ, કચ્છના શેઠ નરસી નાથા કે કર્મયોગી મોતીશા શેઠની જિનભક્તિ તો ખરેખર તવારીખનાં તેજસ્વી પાનાંઓ બની ગઈ. વર્તમાનમાં સેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ અને શેઠશ્રી શ્રેણિકભાઈનું જૈન શાસનમાં યોગદાન પ્રથમ હરોળનું હતું.
યુવાનોમાં ધર્મના માધ્યમથી સુધારણા લાવવા જૈનાચાર્ય ભુવનભાનુસૂરિ સમુદાયના પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજે યુવકશિબિરો ચલાવીને ભારે મોટું અભિયાન આદર્યું છે. સતત પરિભ્રમણ કરી અલૌકિક પુષ્ટિમાર્ગનું પ્રવર્તન કરનારા જગદ્ગુરુ વલ્લભાચાર્ય તથા પ્રભુચરણ વિઠલેશ્વરજીનાં ચરણચિહ્નો અને બેઠકો ગુજરાતમાં સ્થળે સ્થળે જોવા મળે છે. અડગતાનો ઉપદેશ આપનારા પૂ. દેવકીનંદન મહારાજ જૂનાગઢમાં થયા તો પોરબંદરમાં વિખ્યાત સંગીતકાર ઘનશ્યામલાલજી મહારાજ થયા અને સુરતમાં વૃજભૂષણલાલજી મહારાજ વગેરે પ્રસિદ્ધ છે.
માધુર્યના મહાસાગર ગણાતા યોગીજી મહારાજે ઇંગ્લેન્ડ, અમેરિકામાં સંખ્યાબંધ સંસ્કારધામો ઊભાં કર્યા છે. સંસ્કૃતિક્ષેત્રે આ એમનું ભારે મોટું પ્રદાન ગણાય છે. અઢારમી સદીમાં વિશ્વના સિદ્ધપુરુષ તરીકેનું સન્માનનીય સ્થાન પ્રાપ્ત કરનાર કચ્છના કાપડી સંત મેકરણદાદાની પ્રતિભા તો જુઓ! સૂકા રણમાં તરસ્યાને પાણી અને ભૂખ્યાને ભોજન એ જ એમનો જીવનભરનો ધર્મપુરુષાર્થ હતો. અનેકોને સંસ્કારવિભૂષિત કરનાર સ્વામિનારાયણ ભગવાન અને તેના સંપ્રદાયોના સંતો ઘણાના મનના ઉધામાનું શમન કરવામાં ખૂબ જ મદદરૂપ બન્યા છે. એ જ રીતે નશ્વર વૈભવના આત્મઘાતક રંગને શાસ્ત્રવચનો દ્વારા જિનધર્મનું અમૃતપાન કરાવનારા વિક્રમની વીસમી સદીના અનેક ધુરંધર જૈન મહર્ષિઓએ ભારતભરમાં જૈનધર્મનો વિજયનાદ ગાજતો કર્યો છે. માનવસમાજને પ્રકાશ આપનારા પંડિત પ્રાણનાથ, રવિનાથ, કેશવજી શાસ્ત્રી, ભવાનીશંકર શાસ્ત્રી, જયશંકર શાસ્ત્રી વગેરેએ ગીવણગિરાની આરાધના કરીને વિવિધ ક્ષેત્રોમાં મૌલિક ગ્રંથો આપ્યાં જામનગરના ઝંડુ ભટ્ટજી ભાવનગરમાં જેમના નામ પરથી “ચકલી ભટ્ટ'નો ડેલો નામ પડ્યું તે વૈદ્યરાજ ચકલી ભટ્ટ અને વલ્લભીપુર પાસેના પચ્છેગામમાં અનામી આયુર્વેદનાં ભીષણરત્નો અકિંચન જીવનના વ્રતધારીઓ હતાં. જૂનાગઢના પંડિત ગુલાલજી
જ્યોતિષ, કાવ્યો અને નાટકોમાં એમ ત્રણ ત્રણ શાસ્ત્રોમાં નિપુણતા ધરાવતા હતા. મોરબીના શીઘ્ર કવિ શંકરલાલ માહેશ્વર કાવ્યરચના માટે છેક કાશી સુધી જઈને કીર્તિધ્વજ લહેરાવી આવ્યા. સામવેદમાં સૌથી નિષ્ણાત રેવાશંકર શાસ્ત્રી આજે પણ ગુજરાતમાં ડંકો વગાડે છે. ભાવનગરના સુપ્રસિદ્ધ સાહિત્યકાર મુકુન્દરાય પારાશર્ય પાસે તો ઘણો મોટો જ્ઞાનભંડાર હતો. આ ગ્રંથના સંપાદકે તેમની અનેક મુલાકાતો લીધી હતી. ગાંધીયુગના ત્રણ કવિઓ પ્રહલાદ પારેખ, નાથાલાલ દવે અને મુકુંદરાર્ય પારાશર્ય અધ્યાત્મ પરંપરાના અમર વારસા જેવા બની ગયા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org