SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ સ્વપ્ન શિલ્પીઓ છે. જ્ઞાન–વિજ્ઞાનની અનેક શાખા-પ્રશાખાને ઓળખાવવામાં ભાષાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ધર્મ, સમાજ, ઇતિહાસ, કળાઓ અને શાસ્ત્રોને મૂર્તરૂપ આપનાર ભાષા છે. ગમે તે ક્ષેત્રનાં દર્શનને અને વર્ણનને ભાષાએ એક સ્થળેથી બીજા સ્થળે અને એક સમયખંડમાંથી બીજા સમયખંડમાં પહોંચાડ્યાં છે. માનવવિકાસનો ઇતિહાસ આવા જ્ઞાન-વિજ્ઞાનના અનેક તબક્કાઓમાંથી પસાર થયો છે. એમાં સાહિત્યકારો, ચિંતકો અને કલાકારોનો સમાવેશ થાય છે, તેમ ઉદ્યોગકારો અને શ્રમિકોનો પણ ફાળો છે. ભૂતળથી માંડીને અવકાશયાત્રા કરતા, અગ્નિ અને વીજળીથી માંડીને અણુ-પરમાણુનું સંશોધન કરતાં, રોજિંદા જીવનમાં અનેક સુખસગવડથી ઉપયોગી થતા વિજ્ઞાનનો પણ બહુ મોટો હિસ્સો છે આ બધું પહેલાં કંઠોપકંઠ ચાલ્યું આવતું, તે આજે વિજાણું નેટવર્કથી વિશ્વવ્યાપી છે. કહેવાની જરૂર નથી કે માનવહૃદયની ઊર્મિઓને વાચા આપતા લોકગાયકો દ્વારા એક યુગમાં પ્રજાજીવનને સંસ્કારોથી સીંચવામાં આવતું હતું. આજે વર્તમાનપત્રો, આકાશવાણી અને દૂરદર્શનના માધ્યમે પ્રચાર-પ્રસાર પામે છે. જાણવાથી અને માણવાથી માનવજીવન એક પ્રકારની આનંદની પરિસીમામાં શાંતિ અનુભવે છે. એટલે દરેક ક્ષેત્રનાં આદ્યસ્થાપકો અને અનુયાયીઓ આ શીલભદ્ર સંસ્કૃતિના આદરપાત્ર આધારસ્તંભો છે. એમના જીવનમંત્રને અને જીવનકાર્યને અંતરમાં ઉતારવાથી કૃતકૃત્યતાનો અનુભવ થાય છે. એવા મહામનાઓને કોટિ કોટિ વંદન! [કેટલાંક પ્રતિભાસંપન્ન પુરુષોના જીવનપરિચયોનો અમારા પચીસ જેટલાં ગ્રંથપ્રકાશનોમાં જે તે સમયે વિસ્તારથી ઠીક રીતે સમાવેશ કરાયો છે. તેમ છતાં યશગાથાના સમૃતિ ચિહ્નો જેવાં એ શુભ નામોને અત્રે ફરી ફરીને યાદ કરીએ છીએ.] સંસ્કૃતિ શિલાલેખ બહુમુખી પ્રતિભાઓ ઇતિહાસ તો સંસ્કૃતિનો એક આરીસો છે. ઇતિહાસ માત્ર રણસંગ્રામ કે યુદ્ધનો નથી હોતો પણ સાહિત્ય, કલા, સંગીત, સ્થાપત્ય અને સર્જનશીલ પ્રતિભાઓની પરમ સિદ્ધિઓનો એક શાશ્વત શિલાલેખ બની રહેતો હોય છે. જીવનનાં પારદર્શક મૂલ્યોને સમજાવતો ચક્રવર્તી સમ્રાટ અશોકનો શિલાલેખ જૂનાગઢમાં આજ પણ મોજૂદ છે. સ્વરાજ્ય પહેલાંના આપણા શૌર્ય-પ્રતાપી કર્મશીલ રાજવીઓમાં વડોદરાના સયાજીરાવે, લોકહૈયામાં વસેલા રાજકોટના લાખાજીરાજે અને ગોંડલના ભગવતસિંહજીએ પ્રજાઘડતરનું ઘણું મોટું પાયાનું કામ કર્યું છે. કર્નલ જોરાવરસિંહજી અને જનરલ રાજેન્દ્રસિંહજીએ સંરક્ષણ ક્ષેત્રે એક અનોખી યશગાથાનું પ્રકરણ રચ્યું છે. પ્રજા અને રાજા વચ્ચેનો આદર્શ પ્રેમ અને વાત્સલ્યનું દૃષ્ટાંત જેવું રાજા રામચંદ્રજીનું છે એવું જ ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીનું જોવા મળ્યું. તેઓ મદ્રાસના ગવર્નરપદે હતા ત્યારે આ ગ્રંથના સંપાદકની વિનંતીથી સાંસ્કૃતિક પ્રવૃત્તિના શ્રીગણેશ કરવા છેક મદ્રાસથી પાલિતાણા દોડીને આવેલા અને યુવાનોને ખૂબ જ પ્રેમભાવથી પ્રોત્સાહિત કરેલા. ગોહિલકુલભૂષણ ભાવનગરના આ લોકપ્રિય નરેશે ૫૬૫ રાજાશાહી રાજ્યોમાંથી પોતાની રાજસત્તા પળવારમાં પ્રેમથી પ્રજાને ચરણે ધરી દીધી. ભારતના ઇતિહાસમાં દરિયાવદિલના આ દરબારનો અદ્ભુત ત્યાગ સુવર્ણાક્ષરે સંસ્કૃતિનો શિલાલેખ બન્યો. અજાતશત્રુ ગણાતા દરબાર ગોપાળદાસ દેસાઈનાં ત્યાગ-સમર્પણ અજોડ હતાં. ફરજિયાત શિક્ષણનું નક્કર કાર્ય આર્ષદ્રષ્ટા એવા વડોદરાના મહારાજા સયાજીરાવે સિદ્ધ કરી બતાવ્યું. તેમની સ્મૃતિમાં ઠેર ઠેર મુકાયેલાં પૂતળાંઓ કાયમી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy