________________
સ્વપ્ન શિલ્પીઓ
માનવવિકાસના ઉત્થાનમાં શાશ્વત ફાળો
એક સામાન્ય અંદાજ મુજબ ભારતના અન્ય પ્રાંતોમાં વર્ષોથી સ્થિર થયેલાં બત્રીસ લાખ અને એટલાં જ ગુજરાતીઓ વિદેશમાં વસે છે. વ્યક્તિ અને પ્રાંતની સીમાઓથી મુક્ત બનીને જ્યાં જ્યાં ગયાં છે ત્યાં ત્યાં આ ગુજરાતીઓ પોતાની સંસ્કૃતિની ખાસિયતો અને રીતભાત સાથે લઈ ગયાં છે, અન્ય પ્રજાઓની સાથે દૂધ-સાકરની માફક ભળી ગયાં છે. ગુજરાત બહાર જઈને કાયમ માટે વસીને વિરાટ જગત સાથે ચિરંતન સ્નેહગાંઠ બાંધી છે એટલું જ નહીં પણ પોતાનો ગુજરાતી સમાજ સ્થાપીને ગુજરાતીતાને ટકાવી રાખી છે. શિક્ષણસંસ્થાઓ, દવાખાનાંઓ, ધાર્મિક અને સાંસ્કૃતિક મંડળો સ્થાપ્યાં છે. વિદેશોમાં જઈને પણ આ ગુજરાતીઓ પોતાના તહેવારો ઊજવે છે. ગુજરાતી સ્ત્રીઓ તો વાર-તહેવારે પૂજાપાઠ અને વ્રતો કરે છે, નવરાત્રીમાં ગરબા ગાય છે, ધર્મસંપ્રદાયો પોતાના મહોત્સવો ઠાઠથી ઊજવે છે, ભારતમાંથી કલાકારો અને સંસ્કૃતિના ઉપાસકોને વિદેશમાં નિમંત્રે છે અને તેમનાં બહુવિધ કાર્યક્રમો અને વ્યાખ્યાનો યોજે છે. એ રીતે વતનપ્રેમીઓ સાથેની આત્મીયતા જાળવી રાખી છે. તવારીખની તેજછાયા
ગુજરાતીઓ ધન કમાઈ જાણે છે તેમ વાપરી પણ જાણે છે. વિદેશોમાં અને દેશમાં બહુજનહિતાર્થે વિવિધ પ્રવૃત્તિઓ ચલાવે છે. સમાજજીવનના સર્વાંગીણ વિકાસમાં સહાયભૂત થતાં રહ્યાં છે અને એ રીતે ગુજરાતની આગવી સંસ્કૃતિની સરવાણીને વિદેશોમાં પણ વહેતી રાખી છે. એ રીતે આ યશોધર ગુજરાતીઓએ ગુજરાતી પ્રજાનો કીર્તિધ્વજ ફરકતો રાખ્યો છે.
આમ દેશ-વિદેશે વિશ્વભરમાં નામાંકિત બનેલાં જે જે ગુજરાતી પ્રતિભાવનોએ એક ઇતિહાસ ઊભો કર્યો છે, પુરુષાર્થની પગદંડી ઉપર જેમણે શૂન્યમાંથી સર્જન કરી વિક્રમ સ્થાપ્યો છે, માનવસેવાના યજ્ઞમાં શક્ય તે સમર્પિત કર્યું છે, તે સૌ આપણા ગૌરવના અધિકારી બન્યાં છે.
પ્રેરણાની પરબો ઊભી કરીને પોતાના સંસ્કૃતિ ગૌરવને જાળવી રાખવા બદલ જે જે કર્મવી૨ ગુજરાતી શ્રેષ્ઠીવર્યોને સમાજે યશકલગી આપી છે તેવા મહાનુભાવોની સૌરભ નોંધ ગ્રંથસ્થ કરવાનું વિશાળ આયોજન એક વિશિષ્ટ ગ્રંથ દ્વારા હાથ ધરાયું છે. આશા છે કે આ કાર્યને સૌ કોઈ આવકારશે જ.
પ્રતિભા સંપન્ન પ્રતિભાઓનાં જીવન-કવનને વાચન-મનન દ્વારા વિશ્વ મંગલકારી જીવનની ઉષા આપણા સૌના જીવનમાં પણ કંકુ પગલાં કરે કલ્યાણકારી માર્ગે ચાલીને ચિરંજીવી યશ પ્રાપ્ત કરે એ જ મહેચ્છા.... સંસ્કૃતિ : જ્ઞાન-વિજ્ઞાનની આકાશગંગા
વિશિષ્ટ મગજને લીધે માનવી સંસ્કૃતિનું નિર્માણ કરી શક્યો એ જેટલું સાચું તેમ એ પણ એટલું જ સ્વીકાર્ય છે કે સંસ્કૃતિના નિર્ધારણ માટે એણે ભાષાને જન્મ આપ્યો. ભાષા એ માનવ-ઇતિહાસની અદ્ભુત આધારશિલા છે. માનવી પાસે ભાષા ન હોત તો શું થાત એ કલ્પના કરવા જેવી છે. કારણ કે મગજમાં ઊઠતાં આંદોલનોને, હૃદયમાં ઊઠતી ઊર્મિઓને ભાષા નામનું સાધન મૂર્ત રૂપ આપે છે. ભાષાથી જ એ બધું આભાસી કે વાચસિક વિશ્વ શબ્દબદ્ધ થાય છે. ભાષાથી જ એ ભૂતકાળની ઘટનાઓ અને વર્તમાનની પરિસ્થિતિઓ વર્ણવાય
Jain Education International
For Private & Personal Use Only
૨૩
www.jainelibrary.org