SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૯ સ્વપ્ન શિલ્પીઓ. ઉત્સાહ અને દીર્ધદષ્ટિ વાપરી સખત પરિશ્રમથી દેશના વિવિધ પ્રદેશોમાં અલગ અલગ માલની હેરફેર કરવા લાગ્યા અને પોતાની જાતને આંતરરાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં મજબૂત રીતે સ્થાપિત કરી. ઈ.સ. ૧૯૫૩માં “વાડીલાલ નભુભાઈ એન્ડ કું'નું નામ બદલીને ‘સવાણી ટ્રાન્સપોર્ટ કું” કર્યું. ધંધાના વિસ્તરણને કારણે ઈ.સ. ૧૯૫૯માં કંપની પ્રા. લિ. કંપની તરીકે સ્થાપિત થઈ. ઈ.સ. ૧૯૮૮માં કંપની “સવાણી ટ્રાન્સપોર્ટ લીમિટેડ’ બની, અને તેઓ તેના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર બન્યા. ધંધાની સિદ્ધિરૂપે ૧૦૦ બ્રાન્ચો અને રૂા. ૧ કરોડના ટર્નઓવર સાથે કંપનીની રજતજયંતીની ઉજવણી કરી. પછીના 10 વર્ષમાં જ ખંત અને ઉત્સાહથી કંપનીને દોરવણી આપીને ૨૦૦થી વધારે બ્રાન્ચો અને રૂ. ૩૦૫૦ કરોડના ટર્ન ઓવર સાથે ઝડપથી વિસ્તરણ કર્યું. ત્યારબાદ કંપનીએ રૂ. ૩૫ કરોડના ટર્નઓવર સાથે સુવર્ણજયંતીની ઉજવણી કરી. ધંધાનું વિસ્તરણ બહુ ઝડપથી કરવાની સાથે આજે ૪00થી વધારે બ્રાંચ દેશભરમાં પ્રસરેલી છે. પોતાના ધંધાની સાથે સાથે તેમણે ધંધાના બીજા માર્ગો જેવા કે પેટ્રોલપંપ, એક્સપોર્ટ, નાણાંકીય ધીરાણ, ગોદામો, જેવા ધંધામાં વિસ્તરણ કર્યું. એમની દોરવણીથી સવાણી ગ્રુપ”નો મજબૂત પાયો નખાયો. ગ્રુપનું ટર્નઓવર રૂ. ૯૦ કરોડથી વધારે છે, અને તેના નેજા હેઠળ નીચેના ઔદ્યોગિક સાહસો પ્રગતિ કરી રહ્યાં છે. (૧) સવાણી ફાયનાન્સિયલ લિમિટેડ, (૨) સવાણી હોલ્ડિંગ્સ પ્રા. લિ., (૩) સવાણી અપેક્ષ પ્રા. લિ., (૪) સવાણી કેરિંગ પ્રા. લિ., (૫) સવાણી એન્ટરપ્રાઈઝ, (૬) અમૃત ટ્રાન્સપોર્ટ કંપની, (૭) સવાણી સર્વિસ સ્ટેશન, (૮) સવાણી બ્રધર્સ, શ્રી એમ.વી. સવાણી “બોમ્બે ગુઝ કોર્પોરેશન એસોસિએશન’ સાથે ૧૯૫૦ની સાલથી જોડાયેલા હતા. ૧૯૫૮માં મેનેજીંગ કમિટીના મેમ્બર થયા અને ૧૯૭૩-૭૪માં પ્રમુખ બન્યા. ઈ.સ. ૧૯૫૯માં “સમગ્ર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મહામંડળ (ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ)માં જોડાયા. ૧૯૬૦માં મેનેજિંગ કમિટીના મેમ્બર થયા અને ૧૯૭૪-૭૬માં પ્રમુખ બન્યા. આ સંસ્થાએ તેમને તેમની ભવ્ય સેવાઓની કદરરૂપે મેનેજિંગ કમીટીના કાયમી સભ્ય બનાવવામાં આવ્યા. તેઓ ‘ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સના સભ્ય હતા. તેમજ તેની વિવિધ કમિટીમાં પણ સક્રિય હતા. તેમના પિતાશ્રી સ્વર્ગસ્થ શ્રી વાડીલાલ સવાણી રાજકીય સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેમના પિતાની દોરવણી હેઠળ યુવાન વયમાં શ્રી માણેકભાઈ સવાણીએ સામાજિક કાર્યોમાં રસ લેવાનો શરૂ કર્યો અને તેઓ ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયા. તેઓ ઈ.સ. ૧૯૬૭ થી ૧૯૮૦ સુધી “ધાનેરા આરોગ્ય સમિતિના પ્રમુખ હતા. તેમના કાર્યકાળ દરમ્યાન તેમના વતન ધાનેરામાં જરૂરિયાતમંદ અને ગરીબલોકોને સેવા આપવા માટે વિશાળ હોસ્પિટલ પ્રોજેક્ટ શરૂ કરીને પૂર્ણ કરવામાં આવ્યો. તેઓએ તેમના વતન ધાનેરામાં બંગલાઓ બાંધવાનો નવીન વિચાર આજથી ૩૦ વર્ષ પહેલાં વહેતો મૂક્યો અને આ રીતે પારસ કો. ઓ. હાઉસિંગ સોસાયટી અસ્તિત્વમાં આવેલ, જેના તેઓ પ્રમુખ હતા. તેઓ ફક્ત ધાનેરાની જ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા ન હતા પણ બનાસકાંઠા જિલ્લાનાં નગરો જેવાકે ખીમત, ડીસા, પાલનપુર વ. નગરોની સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હતા. તેઓએ બનાસકાંઠા જિલ્લામાં બહોળા પ્રમાણમાં સામાજિક સેવાઓ કરેલ છે. તેઓ પાલનપુર સમાજ કેન્દ્ર, આત્માનંદ જૈન સભા, માટુંગા ગુજરાતી કલબ, ઓમ જયાલક્ષ્મી કો. લો. અને લોનાવલા કો. ઓ. હા. સો. લિ.ના પ્રમુખ હતા. તેઓ માનવસેવા સંઘ અને એમ.પી. કોલેજ ઓફ ગર્લ્સ (એસ.એન.ડી.ટી.)ના ઉપપ્રમુખ હતા અને બીજી ઘણી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેઓ સને ૧૯૬૮માં “રોટરી ક્લબમાં જોડાયા અને ૧૯૮૮-૮૯ની સાલમાં પ્રમુખ તરીકે નિમાયા હતા. તેઓ “જાયન્ટ ગ્રુપ ઓફ સાયન’ અને ઉત્તર ગુજરાત સોશ્યલ ગ્રુપના પ્રમુખ હતા. તેઓ સક્રિય રીતે ધી ઇન્ડિયન વેજિટેરિયન કોંગ્રેસ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશ્યલ વેલફેર, ધી આર્ટ સોસાયટી ઓફ ઇન્ડિયા અને શ્રી માટુંગા ગુજરાતી સેવામંડળ સાથે જોડાયેલા. શૈક્ષણિક કાર્યોમાં તેમણે સ્કૂલ અને કોલેજો બંધાવવામાં મદદ કરીને ફાળો આપેલ છે. તેઓ સક્રિય રીતે શ્રી વલ્લભ શિક્ષણ સંગીત આશ્રમ, એસ.એ. જૈન કોલેજ ઓફ ટ્રસ્ટ એન્ડ મેનેજમેન્ટ સોસાયટી અને શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ-પાલિતાણા સાથે સંકળાયેલ હતા. સવાણી સભાગૃહ (માનવસેવા સંઘ દ્વારા બનાવેલ ઓડડિટોરિયમ) તેમની કાર્યશીલતા તેમજ સામાજિક કાર્યોના જીવંત સ્મારક તરીકે યાદગાર બન્યું છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy