SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ સમગ્ર જીવન ધર્મપ્રવૃત્તિઓથી જ ધબકતું હતું. આવાં ધર્મપ્રેમી સન્નારીઓથી જ જૈનશાસન ગૌરવવંતુ બન્યું છે. શ્રીમતી મનહરબહેન કીરીટભાઈ શાહ વિદ્યાનગર સંઘનું એક જાજરમાન નામ. તેમનામાં શ્રી લક્ષ્મી અને સરસ્વતી સાથેનો અતૂટ નાતો. એમનું હૃદય જાણે અમીનો કૂંપો! જંગમ વિદ્યાપીઠ અને રત્નપારખુ કુશળ ઝવેરી. વ્યવહાર કુશળ સંચાલિકા, ઉત્તમ માર્ગદ્રષ્ટા, દૂરંદેશીપણું અને ચકોર શ્રી દાક્ષિણ્ય ધરાવતું વ્યક્તિત્વ. આવું બહુમુખી અને અજોડ વ્યક્તિત્વ ધરાવતાં મનહરબહેન સહુનાં એક પ્રતિભાશાળી વ્યક્તિત્વના માલિક છે. કુશળ ગૃહિણી, મમતામયી માતા, સુશીલ પત્ની, સ્નેહાળ સાસુ અને પ્રેમાળ સખી દરેક પાસામાં ઓપતું એમનું વ્યક્તિત્વ પહેલ પાડેલ હીરા જેવું છે. બાલ્યવયમાં મધ્યમવર્ગી પણ ખાનદાન અને ધર્મિષ્ઠ કુટુંબના ધાર્મિક સંસ્કારોથી તેમનું જીવન ઘડતર થયું. સંસ્કારી માતા-પિતા અને માસી તરફથી ધાર્મિક જ્ઞાન, શ્રદ્ધા અને સંસ્કારનાં બીજ રોપાણાં, જે આજે ફૂલ્યાં ફાલ્યાં. નાનપણમાં જ ધાર્મિક અભ્યાસ પંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય અર્થ સાથે કરેલાં. વ્યાવહારિક એસ.એસ.સી. પાસ તપસ્યામાં નવપદજીની ઓળી પાંચમ, આઠમ, ચૌદસ, અગિયારશ અને તેરશ તિથિની આરાધના. વીશ સ્થાનક તપ, અક્ષયનિધિ વ. નાનાં નાનાં તપ કરેલ તેમ જ સિદ્ધાચલજીની ૯૯ યાત્રા, સમેતશિખરજી અને ગિરનારજીની યાત્રા કરેલ. સાસરે આવ્યા પછી તેમના પતિ કિરીટભાઈ સાથે ભારતભરનાં તીર્થોની યાત્રા કરેલ છે અને હજી પણ કરે છે. એકસો જેટલાં સ્તવનો કંઠસ્થ છે. અગિયાર વર્ષ સુધી ગવર્નમેન્ટ જોબ કરેલી. સાસુ જયમતિબહેન પણ ખૂબ જ માયાળુ અને ઉચ્ચ વિચારસરણી ધરાવતાં હતાં. તેઓ પણ સર્વિસ કરતા હતાં. આમ તેઓ આગળ વધ્યા. તેમનાં બે પુત્રરત્નો અને બન્ને પુત્રવધૂઓ પણ ખૂબ જ સંસ્કારી અને ડાહી છે. મોટા નીલેશભાઈને પ્લાસ્ટિકની ફેક્ટરી છે અને નાના દ્વિજેશભાઈ ન્યુરોસર્જન છે. આખા ગુજરાતમાં નામાંકિત ડૉક્ટર છે. પતિ કિરીટભાઈ ભાવનગર સંઘના છેલ્લાં ૧૫ વર્ષથી ઉપપ્રમુખ છે અને સમસ્ત સંઘનું સંચાલન તેમની ચાણક્ય બુદ્ધિથી સુપેરે કરે છે. આ રીતે મનહરબહેન ઘરમાં પણ બધી રીતે સુખી છે. શ્રી સરસ્વતી અને સૌંદર્યનો ભાગ્યે જ જોવા મળતો સુભગ સમન્વય તેમનામાં જોવા મળે છે. કોઈ પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે લક્ષ્મી અને સરસ્વતીએ તેમની ઉપર અનરાધાર Jain Education International સ્વપ્ન શિલ્પીઓ કૃપા વરસાવી છે. તેઓ ધનવાન નહીં પણ સાચા અર્થમાં લક્ષ્મીવાન છે. સતત સ્વાધ્યાય અને નવું નવું શીખવાનો ઉત્સાહ હજી આજે ૭૦ વર્ષની વયે પણ જાળવી રાખ્યો છે. નાની ધાર્મિક સ્ટોરી ઉપરથી વિસ્તૃત નાટક લખવાં પ્રસંગને અનુરૂપ ગીતો, ગહુંલીઓ જોડીને ગાવી વ.ની કલા, શત્રુંજયતીર્થની ભાવયાત્રા તો તેમની સાંભળવી બધાં બહેનોને ખૂબ જ ગમે, જાણે શત્રુંજયતીર્થ અને આદિનાથદાદાના સાંનિધ્યમાં હોવાનું અનુભવાય. ગુરુ મહારાજ પધારે ત્યારે તેમના જ્ઞાનનો પૂરેપૂરો લાભ લે. સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ દિલ લઈને કરે. તેઓશ્રીને કાંઈ અગવડ ન પડે તેની તકેદારી રાખે. દેરાસર કે ઉપાશ્રયમાં પૂરતું ધ્યાન આપે. આયંબિલ શાળા તેમની દેખરેખ નીચે આજે સમૃદ્ધ બની છે. તેમની રગોમાં “મારું વિદ્યાનગર ’ અને શાસન પ્રત્યેનો પ્રેમ વહી રહ્યો હોય તેમ લાગે. તેમની પુણ્યાઈ એટલી કે જે કામ ધારે તે પાર પડે જ અને બધાં જ તેમનો પડ્યો બોલ ઝીલે. ધર્મ પર અતૂટ શ્રદ્ધા અને જૈન દર્શનનો ઊંડો અભ્યાસ. દરેક વ્યક્તિની સંભાળ રાખે. ખબર અંતર પૂછે. નિરાભિમાની સરળ અને સાલસ સ્વભાવ ધરાવતાં મનહરબહેન અને વિદ્યાનગર સંઘ જાણે એકબીજાના પર્યાય બની ગયાં છે. શાસનની શોભા એવાં મનહરબહેન સહુના પ્રેમાળ પથદર્શક, સ્નેહાળ સ્વજન અને વાત્સલ્યના અખૂટ ઝરણા સમાન છે. સંકલન : પ્રવિણાબહેન એમ. શાહ] અનેક એવોર્ડ પ્રાપ્ત કરનાર સ્વ. શ્રી માણેકલાલ સવાણી તા. ૨૨-૬-૧૯૨૮માં મુંબઈમાં જન્મ, વતન ધાનેરા (જિલ્લો બનાસકાંઠા) અનિવાર્ય સંજોગોને કારણે ભણતર અધૂરું છોડી ટ્રાન્સપોર્ટના ધંધામાં પિતાજી શ્રી વાડીલાલભાઈ સાથે ‘વાડીલાલ નથુભાઈ એન્ડ કું।'માં જોડાયા. ટ્રાન્સપોર્ટના ધંધામાં ઝંપલાવ્યું. ત્યાર પછી તેમણે ક્યારેય પાછા ફરીને જોયા વગર અદમ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy