________________
સ્વપ્ન શિલ્પીઓ
વિશ્વાસમાં કેમ પલટાવવો તે નિર્મળાબહેનના જીવનકવનમાંથી શીખવા જેવો બોધ છે.
સફળ ઉદ્યોગપતિ
શ્રીયુત પ્રતાપભાઈ ભોગીલાલ શાહ
જૈન સમાજના ગૌરવરૂપ યુવાન આગેવાન, કેળવણીપ્રેમી શ્રી પ્રતાપભાઈ ભોગીલાલનો જન્મ તા. ૨૫-૧૦૧૯૧૬ના શ્રેષ્ઠીવર્ય શ્રી ભોગીલાલ લહેરચંદને ત્યાં થયો હતો. જગતમાં બહુ જ થોડી વ્યક્તિઓ જ્ઞાન, સંસ્કાર અને સંપત્તિનો સુંદર સુયોગ જાળવી શકે છે. શ્રી પ્રતાપભાઈ આવી જ થોડી વ્યક્તિઓમાંના એક છે. શ્રી પ્રતાપભાઈ એક મોટા શ્રીમંત કુટુંબમાં જન્મ્યા તથા ઊછર્યા છે, છતાં એમના પિતાશ્રીની જેમ તેઓએ પણ સુખશાલિયાપણું કે એશ-આરામની વૃત્તિથી દૂર રહીને જીવનને પ્રગતિશીલ અને કર્તવ્યપરાયણ બનાવ્યું છે. શૈક્ષણિક દૃષ્ટિએ મૂલવતાં તેઓશ્રી મુંબઈ યુનિવર્સિટીની અર્થશાસ્ત્ર સાથેની એમ.એ.ની ડિગ્રી ધરાવે છે. સને ૧૯૩૮માં અભ્યાસ પૂરો કર્યા પછી તેઓએ પોતાની વ્યવસાયી કારકિર્દીની શરૂઆત એમના પિતાશ્રી જેમાં અધ્યક્ષ હતા, તે બાટલીબોય એન્ડ કા.થી કરી. યુવા વય સાથે અંતર પણ યુવા હોઈ કાંઈક કામ કરી બતાવવાની સતત તમન્ના તેમનામાં ઊભરાતી. આવા તરવરાટ સાથે આંતરસૂઝ અને આવડતના બળે એમણે આ કંપનીના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરીને ટૂંક વખતમાં જ નોંધપાત્ર એવો વિકાસ કર્યો.
સુતરાઉ કાપડ-ઉદ્યોગમાં એક સારા જાણકાર ગણાતા હોવાથી અનેક મોભાદાર સ્થાનોએ રહીને એમણે પોતાની સેવાઓ આપી છે. શ્રીરામ મિલ્સના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે રહી તે મિલના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેઓએ મુંબઈના મિલઓનર્સ એસોસિએશનની કમિટીના સભ્ય તરીકે તથા લેબર સબ–મિટી (મજૂર પેટા સમિતિ)ના અધ્યક્ષ તરીકે વર્ષો સુધી કામગીરી બજાવી છે. મિલ ઓનર્સ એસોસિએશન તથા ઇન્ડિયન મરચન્ટ્સ ચેમ્બર જેવી વિખ્યાત સંસ્થાના પ્રમુખ બનવાનું ગૌરવ પણ મેળવ્યું છે. બોમ્બે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની કમિટીમાં તેમજ ઇન્ડિયન કોટન મિલ્સ ફેડરેશન અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સનું સભ્યપદ શોભાવી રહ્યા છે. આજે તેઓ મોટર ઉદ્યોગ, એન્જિનિયરિંગ ઉદ્યોગ, પ્લાસ્ટિક, રંગ અને રસાયણ એને ઉદ્યોગની વીમા ઉદ્યોગની નામાંકિત કંપનીઓના ડિરેક્ટરપદે રહી એ
Jain Education International
૩૩૯
કંપનીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. આ અગાઉ બેન્કિંગ અને વહાણવટા ઉદ્યોગની કંપનીઓમાં ડિરેક્ટરપદે પણ રહી ચૂક્યા છે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટના દશ વર્ષ સુધી ટ્રસ્ટી, મુંબઈ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશનના છ વર્ષ સુધી પ્રમુખ હાલમાં દિલ્હીમાં શ્રી આત્મવલ્લભસ્મારક શિક્ષણનિધિ યાને વલ્લભસ્મારકના પ્રમુખ અને ત્યાં ચાલતા ભોગીલાલ લહેરચંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીના સ્થાપક, વર્લ્ડ જૈન કાંત ફેડરેશનના ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ એમ ઘણી જગ્યાએ તેમનું યોગદાન નોંધાયું છે. સરકારે તેમની સેવાઓના બહુમાનાર્થે જસ્ટિસ ઓફ પીસ'ની માનદ પદવી આપી હતી.
તેઓશ્રી કોટન એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ કંપનીમાં પણ સાએલ હતા. આ કંપની કેન્યા, યુ.એસ.એ. અને સુદાનમાંથી કોટનની વિપુલ પ્રમાણમાં આયાત અને જાપાન જેવા યુરોપિયન દેશોમાં નિકાસ કરતી હતી. બેંકોઆ રાષ્ટ્રીયકરણ પહેલા પોતે આઠેક વર્ષ સુધી બેંક ઑફ ઇન્ડિયા લિ.ના ડાયરેક્ટર હતા અને પાટણની ઉત્તર ગુજરાત એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હતા. આ શૈક્ષણિક સંકુલમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, લૉ, શિક્ષણ, પ્રશિક્ષણ, બાયોમેડિકલ સાયન્સ, મેનેજમેન્ટ વગેરે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. પાટણ સાથે સંલગ્ન કોલેજો અને તેમના પત્નીના નામે અંગ્રેજી માધ્યમની ભગવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ચાલે છે. પોતે વર્લ્ડ જૈન કોન્ફેડરેશનના નિવૃત્ત ચેરમેન અને વર્લ્ડ કોન્ફરન્સ ઑફ રીલીજીયન્સ ફોર પીસ વિશ્વ શાંતિ અને સુસંવાદિતા આંતરરાષ્ટ્રીય ટ્રસ્ટી છે. તાજેતરમાં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઑફ રીલીજીયસ ફોર પીસ(AKRP)નું દિલ્હીમાં ટ્રસ્ટ તરીકે ઉદ્ઘાટન કર્યું જે WCRPની સાથે નિકટતાથી કામ કરશે, અને તે ભારત અને અન્ય દેશોમાં શાંતિ અને સંવાદિતા માટે કમ કરતી પ્રથમ સંસ્થા હશે.
વૈભવી અને વ્યવસાયી જીવનમાં રહેતા હોવા છતાં શ્રી પ્રતાપભાઈ પ્રભુભક્તિ, યથાશક્તિ તપ અને સમાજ તથા ધર્મની ઉન્નતિનાં કાર્યોમાં સારો એવો રસ લઈ રહ્યા છે. એટલું જ નહીં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો પૂરેપૂરો વિચાર કરીને ધાર્મિક, સામાજિક અને કેળવણીક્ષેત્રે દાનના પ્રવાહને અત્યારની જરૂરિયાત પ્રમાણે ઉદારતાથી વાળે છે. અંધેરીમાં લહેરચંદ ઉત્તમચંદ આર્ટ્સ કોલેજ તેઓની ચાલે છે.
આવા એક સફળ ઉદ્યોગપતિ, બાહોશ વહીવટકર્તા અને દૃષ્ટિમાં સમયાનુરૂપ ફેરફાર કરવાના હિમાયતી શ્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org