________________
૩૩૮
સ્વભાવે સરળ, નમ્ર અને મિતભાષી તેમ જ અંતરથી પૂર્ણપણે યૌવનના થનગનાટથી રંગાયેલા શ્રી નવીનભાઈ ધાર્મિકક્ષેત્રે શ્રી સાવરકુંડલા ગૌશાળામાં પ્રમુખ, શ્રી ધર્મદાસ શાંતિદાસની પેઢીમાં પ્રમુખ તથા શ્રી લલ્લુભાઈ ફાઉન્ડેશનમાં ટ્રસ્ટીસ્થાનેથી સેવાઓ આપી રહેલ છે. તવિશેષ શ્રી ઘોઘારી વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિ-મુંબઈની ભૂતપૂર્વ કમિટીમાં સભાસદ તરીકે પોતાની બહુમૂલ્ય સેવાઓ આપી ચૂક્યાં છે. વર્તમાને તેઓ શ્રી વિલેપાર્લે ઘોઘારી સમાજ તેમ જ શ્રી જૈન સંઘમાં પોતાની ભક્તિ અને શક્તિનો પ્રવાહ વહેવડાવી રહ્યા છે.
દરેક સફળ પુરુષની પાછળ એક નારીરત્ન છુપાયેલું હોય છે. શ્રી નવીનભાઈનાં અર્ધાંગિની શ્રી નીલાબહેન પ્રેરણા, પુષ્ટિબળ તેમ જ હૂંફ આપીને સાચા અર્થમાં નારી ધર્મ દીપાવ્યો છે. આ દંપતીનાં સંતાનો પણ ધર્મના સંસ્કારોથી ઊંડાં રસે રંગાયેલાં છે. શ્રી અને સરસ્વતીનો આવો વિરલ સંગમ સમાજમાં જવલ્લે જ જોવા મળે છે. પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત લક્ષ્મીનો મોહ ત્યજીને તેનું ધર્મક્ષેત્રે તેમ જ સામાજિકક્ષેત્રે સોનાની કોદાળીએ વાવેતર થવું એ કોઈ વિરલવિભૂતિના જીવનમાં જ સંભવી શકે છે. સાવરકુંડલાનું શેઠ કુટુંબ આવા ઉમદા કાર્યોમાં સહભાગી બની પુણ્યનું પાથેય બાંધી રહ્યું છે.
શેઠ પરિવાર ધર્મના સિંચન દ્વારા શાશ્વત સુખનો અધિકારી બને, સાથે સમાજોપયોગી કાર્યો દ્વારા સમાજનાં અંગોમાં સમૃદ્ધિ પ્રસરાવતો રહે તેવી અપેક્ષા અસ્થાને નહીં
ગણાય.
નિર્મળાબહેન રતિલાલ પરમાણંદદાસ શેઠ
જન્મોત્સવ : સં. ૧૯૮૬,
શ્રાવણ સુદ ૨, રવિવાર
તા. ૩૧-૮-૧૯૩૦,
સ્વર્ગવાસ : સં. ૨૦૬૩,
ભાદરવા સુદ ૧૨, સોમવાર
તા. ૨૪-૯-૨૦૦૭.
ખૂબ જ વ્યવહારકુશળ, નામ પ્રમાણે નિર્મળ જીવન જીવી જનાર નિર્મળાબહેન, જેઓ આજથી અઠ્ઠાવીસ વર્ષ પૂર્વે ૧૯૮૦માં પતિનો સાથ ગુમાવ્યા બાદ સમગ્ર શેઠ પરિવારના શ્રેષ્ઠ ગુરુ, જવાબદાર પિતા અને પ્રેમાળ માતા એમ ત્રિવિધ
'
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ જવાબદારી નિભાવી આ કપરા સમયમાં સંપૂર્ણ સૂઝબૂઝ અને અડગતા પૂર્વક જિંદગી વ્યતિત કરતાં કરતાં પરિવારના તમામને ઉચ્ચ અભ્યાસ, સર્વશ્રેષ્ઠ વ્યાવહારિકતા સાથે કૌટુંબિક એકતાના સંસ્કારો અને થોડામાંથી પણ થોડું બીજાને અર્પણ કરવા દ્વારા ભૂખ્યાને અન્ન, શિક્ષણાર્થી બાળકો માટે વિદ્યાદાન અને સાધર્મિક માટે ગુપ્તદાન એ તેના અંતિમ શ્વાસ સુધીનો જીવનમંત્ર રહ્યો હતો.
નાની ઉંમરમાંથી શરૂ થયેલ પોતાની તપશ્ચર્યાની શ્રૃંખલા પોતાના પુત્રો, પુત્રવધૂઓ, દીકરીઓ અને પૌત્રો-પૌત્રીઓની ત્રણ ત્રણ માસક્ષમણ, વર્ષીતપ, ઉપધાનતપ ૧૬, ઉપવાસ અને અટાઈ તપની તપશ્ચર્યા વડે વિસ્તરી હતી. દેશભરના સમગ્ર જૈન તીર્થોની વારંવાર યાત્રાઓ સાથે સમેતશિખર મહાતીર્થની છ-છ વાર યાત્રા તેમ જ પંતનગર, ઘાટકોપરના નૂતન જિનાલયમાં શ્રી શીતલનાથ ભગવાનની પ્રતિષ્ઠા અને નાયડુ કોલોની, ઘાટકોપર ખાતે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠાનો અમૂલ્ય લહાવો લીધો હતો.
અતિથિ દેવો ભવઃનું સૂત્ર જીવનમાં ચરિતાર્થ કરનાર નિર્મળાબહેને સાધુ–સાધ્વી વૈયાવચ્ચની પ્રવૃત્તિ અવિરતપણે ચાલુ રાખી હતી અને આનાથી પ્રભાવિત થઈને ૫.પૂ. અશોકચંદ્ર સૂરીશ્વરજી, પ.પૂ. ચંદ્રોદય સૂરીશ્વરજી, પ.પૂ. સોમચંદ્રસૂરીશ્વરજી, શ્રી દાન સૂરીશ્વરજી તેમ જ પૂ. સાધ્વીજી કૈવલ્યરત્નાશ્રીજી આદિ અને સાધુ-સાધ્વીગણને તેઓના નિવાસસ્થાને સ્થિરતાનો અમૂલ્ય લાભ આપેલ.
પોતાના વિશાળ પરિવાર સાથે અન્ય સગાંવહાલાં, આડોશી-પાડોશી વગેરે દરેકના સારા-નરસા પ્રસંગે રાતદિવસ જોયા વગર અન્યના સહારા માટે અચૂક તૈયાર રહેતાં. તેઓની હાજરી માત્રથી સામેની વ્યક્તિની ચિંતાઓ દૂર થઈ જતી.
જીવનના શરૂઆતના તબક્કાથી જ દુઃખ માત્ર દુ:ખનો જ અનુભવ કરી ચૂકેલાં નિર્મળાબહેને નાનાપણમાં જ પિતા ગુમાવ્યા. મોસાળે મોટા થયાં. શરૂઆતના દિવસો ખૂબ જ કઠણાઈવાળા કાઢ્યા, પરંતુ પોતાનાં છ પુત્રો-બે પુત્રીઓને ઉચ્ચ અભ્યાસ સાથે સુ–સંસ્કારો આપીને ઉછેર્યાં, કપરા સમયને હસતારમતાં એકલવીરની જેમ પોતાની કોઠાસૂઝ વડે મક્કમ મનોબળથી સમતા, સમજણ અને સત્સંગ વડે ફરી સારા સમયમાં ફેરવી નાખ્યા અને ૩૬-૩૬ જણાના પરિવારને અકબંધ રાખવા, ખરતા જતા સંયુક્ત કુટુંબના કાંગરાઓ અને ખરડાતા જતા કૌટુંબિક સંબંધોના તાણાવાણાનો સરવાળો
For Private & Personal Use Only
www.jainelibrary.org