SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ પ્રતાપભાઈનું વલણ ધાર્મિક તેમ જ સમાજ-ઉત્કર્ષનાં કાર્યો તરફનું વધુ ને વધુ થાય એ ખૂબ આવકારદાયક બાબત ગણાય. તેઓશ્રીના કુટુંબમાં નિરભિમાનતાની, સુકૃત્યની જે પરંપરા ચાલી રહી છે તે ઉત્તરોત્તર વિકસતી રહે અને સમાજને તેઓશ્રીની શક્તિનો વધુ ને વધુ લાભ મળે એવી શુભ ભાવના રાખીએ છીએ. શ્રી પોપટલાલ તારાચંદ મેપાણી (જૂના ડીસાવાળા) શ્રી પોપટભાઈનો જન્મ જૂના ડીસા પાસે દામા ગામે સં. ૧૯૭૦ના જેઠ સુદ ૧૧, ગુરુવાર, તા. ૪-૬-૧૯૧૪ના શુભ દિને થયો હતો. સં. ૧૯૭૧માં એમના પિતાશ્રીએ પોપટલાલ લહેરચંદના નામથી ભાગીદારીમાં શરાફી પેઢી શરૂ કરી. પછી બીજી પેઢી સં. ૧૯૭૩માં એમના પિતાશ્રીએ સ્વતંત્ર શરાફી પેઢી પોપટલાલ તારાચંદના નામથી શરૂ કરી. ધંધાનો ૩૦ વરસની ઉંમરે ઘણો જ વિકાસ કરેલ હતો. સં. ૧૯૭૫માં એમના પિતાશ્રી સ્વર્ગવાસી થયા ત્યારે પોપટલાલભાઈની ઉંમર પાંચ વરસની હતી. ૧૨ વરસની ઉંમરે ડીસાથી મુંબઈ આવી થોડો સમય કાપડના બિઝનેસમાં સર્વિસ કરી. ટૂંક સમયમાં કાપડનો હોલસેલ વેપાર શરૂ કરેલ હતો. આજે બિઝનેસ તેમના સુપુત્રો સંભાળે છે તેઓશ્રી સત્તર વર્ષથી શ્રી અગાસી તીર્થમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપી છે. બંને નૂતન ધર્મશાળાઓનું બાંધકામ તેમની દેખરેખ નીચે પૂરું થઈ ગયેલ છે. શ્રી સિદ્ધક્ષેત્રે શ્રાવિકાશ્રમ, પાલિતાણાના મંત્રી હતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈની વ્યવસ્થાપક કમિટીના સભ્ય હતા. છેલ્લાં પચીસ વર્ષથી હવે તેઓ સંપૂર્ણ ધર્મમય જીવન ગુજારતા હતા. મુંબઈની લક્ષ્મીદાસ માર્કેટમાં મેસર્સ કે. ચંદ્રકાન્ત એન્ડ કુંા.ના નામથી છેલ્લાં બાવન વર્ષથી કાપડનો વેપાર કરતા કરતા શ્રી પોપટલાલભાઈ છેલ્લાં પચીસ વર્ષથી નિયમિત સામાયિક, નવકારમંત્રનો જાપ, પ્રભુપૂજન આદિ ધર્મક્રિયામાં તત્પર રહેતા હતા. શ્રી ભીલડિયાજી તીર્થના ટ્રસ્ટી તરીકે વીસ વર્ષથી વધારે સારી સેવા આપી છે. નૂતન પાર્શ્વનાથ ભગવાનનું મંદિર તેમની સંપૂર્ણ દેખરેખ નીચે તૈયાર થયેલ છે. પાલિતાણાની મહારાષ્ટ્રભવન ધર્મશાળાના ઉપપ્રમુખ તરીકે દસ વર્ષ સુધી સેવા આપી છે. સને ૧૯૮૩માં એમણે ઘણા દેશોની મુસાફરી કરી હતી. મુંબઈથી લંડન, બોસ્ટન, ન્યૂયોર્ક, આફ્રિકા, શિકાગો, ટોકિયો, હોંગકોંગ, બેંગકોક, સિંગાપોર, મલેશિયા, ઇન્ડોનેશિયામાં Jain Education Intemational સ્વપ્ન શિલ્પીઓ જાકાર્તા, બાલી વગેરે ગયા હતા. એમનાં ધર્મપત્ની સાથે ૨૦ વર્ષ પહેલાં યુરોપનો ઝુરીચપ્રવાસ કરેલ તેમ જ દસ વર્ષ પહેલાં અમેરિકાનો પ્રવાસ કરેલ હતો. પરદેશના પ્રવાસમાં પણ શ્રી પોપટલાલભાઈ નિત્યનિયમ બરાબર પાળતા હતા. ધાર્મિક યાત્રામાં તેમણે શિખરજી વગેરે તીર્થોની યાત્રા કરી છે. સિદ્ધક્ષેત્રમાં પોતાનાં ધર્મપત્ની સાથે ચોમાસું કરી નવ્વાણું યાત્રાનો પણ લાભ લીધો હતો અને સાથે સાથે પાલિતાણા મહારાષ્ટ્ર-ભવનમાં જૂના ડીસા ઉપાશ્રય સંઘ તરફથી પરમ પૂજ્ય સંઘસ્થવીર આચાર્યદેવ શ્રીમદ્ વિજયભદ્રસૂરિ મહારાજ અને શ્રીમદ્ વિજય ૐકારસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિવર્યો અને પૂજ્ય મનકશ્રીજી સાધ્વીજી મહારાજ આદિ સાધુ-સંતોને ચોમાસું કરવાની વિનંતી કરી તે મુજબ લાભ લીધો હતો. દરેક ધાર્મિક કાર્યોમાં શ્રી પોપટલાલભાઈએ આગેવાની લઈ ખૂબ જ રસ લીધો હતો. મહારાષ્ટ્ર–ભવન પાલિતાણામાં નૂતન ભોજનગૃહ બંધાવી આપેલ છે તેમ જ જૂના ડીસાથી બે માઇલે આવેલ વડાવળ ગામે ધર્મશાળા બંધાવી આપેલ હતી. શ્રી પોપટલાલભાઈને ધાર્મિક સંસ્કારી પુસ્તકોનાં વાચન-મનનમાં ખૂબ જ રસ છે. સં. ૨૦૩૭માં એમનાં ધર્મપત્ની ચંચળબહેનને ૫૦૦ આયંબિલનું પારણું કરાવેલ ત્યારે પૂજ્ય આચાર્યદેવ વિજયભુવનભાનુસૂરીશ્વરજીની નિશ્રામાં મુંબઈમાં સિદ્ધચક્ર પૂજન ભણાવેલ હતું. નૂતન જૈન ઉપાશ્રયમાં જૂના ડીસામાં એમનાં માતુશ્રી ધાપુબાઈ તથા કાકી સમુબાઈના નામથી દેરાણી-જેઠાણી આરાધના હોલ બંધાવી આપેલ છે. તેમ જ શ્રીમદ્ વિજયકારસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિવરો અને મનકશ્રીજી આદિ ૭૦ સાધ્વીજી મહારાજોને ચોમાસું કરવા વિનંતી કરી હતી અને દરેક ધાર્મિક કાર્યમાં આગેવાની લઈ ભાગ લીધો હતો. તેમ જ વંદન કરવા આવનાર સાધર્મિક ભાઈઓ અને બહેનો માટે ભક્તિ કરવાનો લાભ લીધો હતો. અમેરિકામાં એમના પૌત્ર ચેતનનાં લગ્ન હોવાથી ત્યાં પણ હાજરી આપવા ગયા હતાં. એમના ઘરનાં ૧૨ મેમ્બરો અમેરિકા ગયાં હતા. અગાસીતીર્થમાં વિશાળ ભોજનગૃહ હોલ અને તેના ઉપર ધર્મશાળા, સેનેટોરિયમ તેમની દેખરેખ નીચે બની હતી. શ્રી પોપટલાલભાઈને છ પુત્રો અને એક પુત્રી છે. તેમનાં નામ કીર્તિલાલ, સેવંતીલાલ, બાબુલાલ, વસંતલાલ, ભૂપેન્દ્રભાઈ અને ચંદ્રકાન્ત તથા રમીલાબહેન છે. સેવંતીભાઈ એન્જિનિયર છે. ભૂપેન્દ્રભાઈ એમ.ડી. છે. ચંદ્રકાન્તભાઈ એમ.એસ., એમ.ટી.સી. સાયન્સ છે. પૌત્ર ચેતને બી.એસ.સી. કોમ્પ્યૂટર માસ્ટર પૂરું કરેલ છે. હાલમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy