________________
૩૩૬
ઇન્દરબાઈ જૈનની પુણ્યકુક્ષિએ વિ.સં. ૧૯૮૯ની વસંતપંચમીના દિવસે એક પુત્રરત્નને જન્મ આપ્યો. ભવિષ્યમાં નામ અને કામ ઊજળું કરનાર આ પુત્રને નામ આપવામાં આવ્યું દીપચંદ. કહે છે “પુત્રના લક્ષણ પારણે પરખાઈ જાયે છે.”—એ ન્યાયે બચપણથી જ માતાના ઊજળા અને ઉચ્ચ સંસ્કાર અને ધાર્મિકતાને દીપચંદે ગ્રહણ કરવાનો આરંભ કરી દીધો.
હાઇસ્કૂલ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ દીપચંદભાઈએ વ્યવસાયમાં ઝંપલાવ્યું. અનાજનો વેપાર તેમજ વસ્ત્ર અને ખેતીને વ્યવસાય તરીકે અપનાવ્યાં.
લગ્નજીવન દરમ્યાન એમનો મોહનલાલ અને ધર્મચંદ નામે બે પુત્રો અને પાર્વતીબાઈ તથા દુર્ગાદેવી નામે બે પુત્રીઓનો સંસાર હતો.
જીવનમાં પ્રતિક્રમણ વગેરે ધાર્મિક વિધિઓ નિરંતર કરતા રહ્યા છે. અનેક ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ પડેલા છે. એમણે કરેલાં ધાર્મિક અને સામાજિક કાર્યો દ્વારા જિન–શાસનમાં હંમેશાં એમનું નામ ગુંજતું રહ્યું છે.
ધાર્મિક ક્ષેત્રે જોઈએ તો જગપ્રસિદ્ધ નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થના અકલ્પનીય વિકાસ અને નિર્માણમાં એમનું ઘણું યોગદાન છે. ક્ષેત્રનાં અન્ય મંદિરો તથા ઉપાશ્રયભવનોનાં
નવનિર્માણ એમને આભારી છે. અનેક ઐતિહાસિક
સ્થાપત્યોનાં એમના જીર્ણોદ્ધાર તેમજ વિશાળ ધર્મશાળાઓનાં નિર્માણમાં એમનું મહત્તમ યોગદાન રહ્યું છે. શ્રી નાગેશ્વરથી શત્રુંજય મહાતીર્થના ઐતિહાસિક સંઘના સંઘપતિ પણ તેઓ રહી ચૂક્યા છે.
ક્ષેત્રના સામાજિક વિકાસમાં યોગદાન આપવામાં પણ દીપચંદભાઈએ પાછું વાળીને જોયું નથી. વિદ્યાલય અને ચિકિત્સાલય--ભવનોનાં નિર્માણ, નાના-મોટા પુલો, ડામરમાર્ગો વગેરેનું રાજકીય સરકાર દ્વારા નિર્માણ, પોતાના વિસ્તારની જનતાને મફત સારવારની સુવિધા પ્રાપ્ય બનાવવી, વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય, બેરોજગારોને કામ, નાગેશ્વર ઉજ્જૈલમાં માર્કેટ–નિર્માણ વગેરે એમનાં ઉજ્જ્વળ કાર્યોની બોલતી તસ્વીરો છે.
શ્રી દીપચંદભાઈ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ-પેઢી અને શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પબ્લિક ચેરિટી ટ્રસ્ટના સચિવ પદે
Jain Education International
સ્વપ્ન શિલ્પાઆ
સેવા આપે છે. માનવસેવા જ જેનું પરમ લક્ષ્ય છે એવા શ્રીમતી સીતાબાઈ દીપચંદ જૈન ચેરિટી ટ્રસ્ટના પણ તેઓ અધ્યક્ષ છે. તેઓ શ્રી જિનકુશલ ગુરુ, દાદાવાડીના ન્યાસધારી અને શ્રી મહાવીર વિદ્યાલય, આલોટના સંચાલકપદે પણ સેવા આપે છે.
શ્રી દીપચંદભાઈ જિલ્લા શિક્ષણ સમિતિ, ઝાલાવાડના સંયોજક છે. અને ભા.રે.કા.સો., રતલામના સદસ્ય પણ છે. શ્રી સિદ્ધાચલપટ્ટમંદિર, નાગેશ્વર વગેરે કેટલાંય ક્ષેત્રોમાં સંસ્થાપકરૂપે એમણે સક્રિય યોગદાન આપ્યું ચે.
સમાજ–સેવાક્ષેત્રે ઉલ્લેખનીય ભૂમિકા ભજવવા બદલ રાજસ્થાન સરકારે ‘ભામાશા સન્માન'થી એમને નવાજ્યા છે. સમાજસેવાનાં કાર્યો અર્થ કૃતજ્ઞતા દર્શાવવાના લઘુપ્રયાસરૂપે અ.ભા. જૈન શ્વેતામ્બર શ્રીસંઘ દ્વારા દીપજ્યોતિ' અભિનંદન ગ્રંથ અર્પણ કરી એમને સમ્માનિત કરાયા છે.
ધાર્મિક ક્ષેત્રમાં અનેક સંઘો દ્વારા પ્રશસ્તિપત્ર અર્પણ કરી એમનું સમ્માન કરાયું છે.
જિનશાસનની અમૂલ્ય સેવાઓ બદલ સમગ્ર જૈન સમાજ તરફથી જૈનરત્ન' પદ પ્રદાન કરી એમનું સમ્માન કરાયું છે.
આવાં જુદાં જુદાં અનેક ક્ષેત્રોનાં અનેક સમ્માનના અધિકારી એવા શ્રી દીપચંદભાઈ લેસ્ટર (લંડન)માં આયોજિત જૈન કોન્ફરન્સમાં પ્રતિનિધિ તરીકે સામેલ થઈ વિદેશયાત્રા પણ કરી ચૂક્યા છે.
શ્રી દીપચંદભાઈને લાખ લાખ અભિનંદન! સ્વ. ધર્મવીર–દાતાશ્રેષ્ઠીવર્ય (મહેસાણાવાળા) શ્રી ડાહ્યાભાઈ ઘેલાભાઈની પુણ્યપ્રભા
વિરલે પાર્લા (વેસ્ટ) શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ સ્મારક શ્રી ઘેલાભાઈ કરમચંદ જૈન સેનેટોરિઅમ ટ્રસ્ટના સ્થાપક શેઠશ્રી ડાહ્યાભાઈ હતા, તેઓના પિતાશ્રીનું નામ ઘેલાભાઈ હતું અને દાદાનું નામ કરમચંદભાઈ હતું. તે બન્ને નામ ઉપરથી ઘેલાભાઈ કરમચંદ જૈન સેનેટોરિઅમ ટ્રસ્ટ' એવું નામ આ સ્થાનનું રાખેલ હતું.
તેઓએ ૪૦ વર્ષની ઉંમર સુધી લક્ષ્મીને પ્રાપ્ત કરી, પછીના નિવૃત્તિમય જીવનમાં ધર્મને મુખ્ય પાયો બનાવ્યો હતો.
For Private & Personal Use Only
www.jainelibrary.org