________________
સ્વપ્ન શિલ્પીઓ
શ્રી જે. કે. સંઘવી ધર્મદંઢ, આચારવંત, કર્મઠ તેમજ સમાજોન્મુખી વિચારવાળા શ્રી જે. કે. સંઘવીનું પૂરું નામ જુગરાજ કુંદનમલજી સંઘવી છે. રાજસ્થાનના આહોરનગરમાં ૧૫ ઓગસ્ટે ૧૯૫૧ના રોજ એમનો જન્મ થયો. વર્તમાનમાં તેઓશ્રી થાણાનગરે વ્યવસાયમાં રત છે. તેમના પૂર્વજો છેલ્લા એકસો વરસથી રાજસ્થાનથી થાણામાં વ્યવસાય હેતુ આવ્યા હતા. વ્યવસાયી પરિવારમાં જન્મ લઈ પણ તેઓશ્રીની અભિરુચિ શરૂઆતથી જ લેખન તથા વાંચન પ્રતિ રહી છે. એકવીસ વર્ષની ઉંમરમાં રાષ્ટ્રસંત વર્તમાન આચાર્યશ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.સા.ના સંપર્કમાં આવ્યા બાદ તેમણે જીવનને સામાજિક કાર્યોમાં લગાવી દીધું છે. અ.ભા. રાજેન્દ્ર નવયુવક પરિષદના કેન્દ્રિય મહામંત્રી તેમ જ ઉપાધ્યક્ષપદ પર આજે કાર્યરત છે. પરિષદની રજત જયંતિ સમારોહના અવસરે તેમની સામાજિક અને ધાર્મિક સેવા ભાવનાઓને જોતા અનુમોદના સ્વરૂપ તેમને પરિષદ રત્ન'ની ઉપાધિથી અલંકૃત કરી ગૌરવવંત કરવામાં આવેલ. સને ૧૯૭૭માં તેમને ‘શાશ્વત ધર્મ’ માસિકના સંપાદક ઘોષિત કરવામાં આવ્યા અને ત્યારથી આજ સુધી તેઓ ‘શાશ્વત ધર્મ'ને અત્યંત વાચનીય, મનનીય યોગ્ય તેમજ ઉન્નતિ કરવાના કાર્યમાં જોડાયેલા છે. ધાર્મિક પ્રવૃત્તિમાં હંમેશા તેમની ઊંડી રુચિ રહી છે. શ્રી ગુરુ રાજેન્દ્ર જનલ્યાણ ટ્રસ્ટ, શ્રીગુરુ રાજેન્દ્ર ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા શ્રી રાજ રાજેન્દ્ર પ્રકાશનના તેઓશ્રી ટ્રસ્ટી પણ છે. શ્રી કોંકણ શત્રુંજય તીર્થના શ્રી ઋષભદેવ સ્વામી જૈન ધર્મ ટેમ્પલ અને જ્ઞાતિ ટ્રસ્ટના મંત્રી સ્વરૂપે (૯૧થી ૯૩) તેમજ હાલ ટ્રસ્ટીરૂપે સેવાઓ આપી રહ્યા છે. તેઓશ્રી અત્યંત સુધારાવાદી વિચારો ધરાવતા આદર્શવાદી વ્યક્તિ છે. શ્રી આહોર જૈન સેવા સંઘ મુંબઈના મંત્રીપદે છેલ્લા ઘણા વર્ષથી તેઓશ્રી કાર્યરત છે. થાણામાં ધાર્મિક પાઠશાળા સંચાલન અર્થે તેઓશ્રી ઘણા વર્ષ વિશેષ રસ લઈ સહયોગ પ્રદાન કરેલ.
તેઓશ્રી તથા તેમના ધર્મપત્ની વિમલાદેવીએ ૩૦
Jain Education International
૩૩૫
વર્ષની ઉંમરમાં જ શ્રી સમેતશિખરજી તીર્થે ચોથા બ્રહ્મચર્યવ્રત ધારણ કરી રાખેલ છે. પોતાના જીવનને જૈનધર્મના સિદ્ધાંતો મુજબ અનુસરવા માટે તેમણે હોટલની વસ્તુઓનો ત્યાગ, સિનેમા ત્યાગ, સુવર્ણના આભૂષણોનો યોગ નહીં, દરરોજ પૂજા-દર્શન આદિ અનેકાનેક નિયમોનું પાલન કરી રહ્યા છે. તેઓશ્રી કુશળ લેખક હોવા ઉપરાંત પ્રખર વક્તા પણ છે. તેમની વ્યસ્ત દિનચર્યામાં વધુ સમય સ્વાધ્યાય તેમજ લેખનમાં જ વિતાવે છે. કંઈક પત્ર-પત્રિકાઓમાં તેમના લેખો
પ્રકાશિત થતાં રહે છે. ગુરુદેવ રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. તેમજ રાષ્ટ્રસંત જૈનાચાર્ય શ્રીમદ્ વિજયજયંતસેનસૂરીશ્વરજી મ.સા. પ્રત્યે વિશેષ આસ્થા અને સમર્પણભાવ હોવાથી તેમના મંગળ આશીર્વાદ અને માર્ગદર્શનને જ તેઓશ્રી પોતાના જીવનમાં સફળતાનું કારણ માને છે.
છ'રીપાલિત સંઘ આયોજન, ચૈત્ય પરિપાટીઓ, જિનમંદિર પ્રતિષ્ઠા આદિ જિનશાસન પ્રભાવનાના કાર્યો પાઠશાળા સંચાલન આદિ દ્વારા ભવિષ્યની પેઢીઓમાં સુસંસ્કારોના બીજારોપણ તેમજ જીવદયા અને અનુકંપાદાનના કાર્યોમાં તેમના પરિવાર દ્વારા સમયે-સમયે લક્ષ્મીનો સદુપયોગ થતો રહે છે, જે અભિનંદનીય અને અનુમોદનીય છે. શ્રી સિદ્ધચક્ર મંડળ-થાણા દ્વારા આયોજિત શ્રી સમેતશિખરજી–પાવાપુરી સહ કુલુમનાલીના યાત્રાસંઘમાં સંઘપતિ પણ બનવાનો લાભ પણ પોતાના પરિવારને મળેલ. શાકાહાર પ્રચાર તેમજ વ્યસનમુક્તિ અભિયાનમાં તેમને વિશેષ રુચિ છે. તેમના પિતાશ્રી દ્વારા અપાયેલ સુસંસ્કારથી તેમણે પોતાનું જીવન સુવાસિત બનાવ્યું છે. સને ૧૯૭૯થી તેઓશ્રી ખાદીના વસ્ત્રો પહેરે છે. સાદુ જીવન અને ઉચ્ચ વિચારોના તેઓશ્રી માલિક, સરળ સ્વભાવી શ્રી જે. કે. સંઘવી ઉચ્ચ આદર્શોના રાજમાર્ગ પર આગળ વધતા આત્મોન્નતિ કરે એવી શુભભાવના.
નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થમાં
For Private & Personal Use Only
યોગદાન આપનાર
શ્રી દીપચંદ જૈન
ઝાલાવડ
રાજસ્થાનના જિલ્લાના નાગેશ્વર ઉન્હેલના શ્રી પન્નાલાલ જૈનનાં ધર્મપત્ની શ્રીમતી
www.jainelibrary.org