________________
૩૩૨
પ્રતિનિધિ તરીકે વિદેશપ્રવાસ પણ ખેડ્યો હતો. ખોટમાં જતાં કે નબળી ગણાતી સહકારી સંસ્થાઓને અસરકારક નફો કરતી અને ધમધમતી બનાવી છે. સહકારી ક્ષેત્રનાં વિવિધ પાસાંઓનો તલસ્પર્શી અનુભવ અને અભ્યાસ કરી અનેરી કોઠાસૂઝને કારણે અનેકના સલાહકાર બન્યા.
રાજકીયક્ષેત્રે પણ શ્રી જયંતીભાઈની સિદ્ધિ નાનીસૂની નથી. કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈને રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર શ્રી જયંતીભાઈ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા. અને ઇ.સ. ૧૯૮૯માં અઢીલાખ મતની જંગી બહુમતીએ લોકસભામાં ચૂંટાયા. ૧૯૯૦માં કેન્દ્રના મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના ખેતી અને સહકાર ખાતાના મંત્રી બન્યા અને છેલ્લે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે કર્મઠ અને સક્રિય કાર્યકરની અદાથી કામ કર્યું. બનાસકાંઠાના હજારો લોકોને રોજગારી આપવામાં અગ્રેસર રહ્યા. જિલ્લા ખેડૂત મંડળના પ્રમુખ તરીકે, ગુજરાત રાજ્ય ખેતીવાડી પેનલના ચેરમેન તરીકે, તેમ જ બનાસબેંકના ચેરમેન તરીકે રહીને ખેડૂતોના વીજળી અને અન્ય પ્રશ્નો પોતાની આગવી કોઠાસૂઝથી ઊકેલી ખેડૂતોના લોકલાડીલા બન્યા હતા. વાત્સલ્યના વડલા શ્રી જયંતીભાઈના હૈયામાં માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવાની ભાવના છલોછલ ભરેલી હતી. અત્યંત કુશળતા અને જાગૃતિની જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે એક જ વર્ષના ગાળામાં ચાલીશ હજાર વિદ્યાર્થીઓને શાળામાં દાખલ કરીને અને ત્રણ વર્ષના ગાળામાં છ હજાર નવા શિક્ષકોની ભરતી કરીને શિક્ષણ ક્ષેત્રે વિક્રમ સર્જ્યો હતો. રાજકીય રંગે રંગાયેલા હોવા છતાં પણ ધાર્મિક ક્ષેત્રે પણ પોતાના આગવા સ્વરૂપને ટકાવી રાખી જિનશાસનની સેવાના યજ્ઞમાં પોતાનું ઉત્તમ કક્ષાનું ઉત્તરદાયિત્વ નોંધાવ્યું.
વિશ્વનું એક માત્ર અજોડ, અદ્વિતીય, અલૌકિક, અદ્ભુત, દિવ્ય, ભવ્ય, શિલ્પ કલાયુક્ત, પદ્મ સરોવરાકારે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રસાદ તીર્થ (શંખેશ્વર)ના નિર્માણમાં તેમની સેવા કીર્તિકળશ સમાન હતી. રૂની ગામે શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાનના જિનાલયના નિર્માણમાં પણ તેમની સેવા આજે પણ યશોગાથા ગાઈ રહેલ છે. સુવિશુદ્ધ ચારિત્ર્યમૂર્તિ પ.પૂ. આ. દેવેશ શ્રીમદ્વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટ પ્રભાવક ગુરુવર્યોના અસીમ કૃપાપાત્રે શ્રી જયંતીભાઈ ઉચ્ચ વૈચારિક આસને બેઠેલી એક મહાન વિભૂતિ હતા. કેન્દ્રના મંત્રીમંડળમાં આદરણીય અને સન્માનનીય સ્થાન પામ્યા છતાં પણ દરરોજ સવારે નિયમિત બે કલાક મૌન,
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ રાત્રિભોજન તેમજ કંદમૂળનો ત્યાગ એ નિયમનું અડગપણે પાલન કર્યું. તેઓશ્રીએ સબિત કર્યું કે વિચારોની પવિત્રતા અને નિયમની દૃઢતાથી એક જ જીવનકાળમાં ઇતિહાસ બનાવી શકાય છે. આજે પણ તેઓશ્રી એક જીવતા-જાગતા ઇતિહાસ સ્વરૂપે વિદ્યમાન છે.
તેઓશ્રીની અદ્ભુત જીવનશૈલી આકર્ષક અને સરાહનીય હતી. તેઓશ્રીએ બનાસબેંકના ચેરમેન તરીકે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પાંજરાપોળ ચલાવી. પ્રદેશ ઉપપ્રમુખ તરીકે મહારાષ્ટ્રના ભૂકંપ પીડિતો માટે જિલ્લામાં ફરી ફાળો ઉઘરાવી તેમજ કોમી તંગદિલી સમયે પાલનપુર શહેરમાં હિંદુમુસ્લિમ વિસ્તારોમાં પગપાળા ફરી કોમી એકતા અને ભાઈચારાની ભાવના સ્થાપવામાં ઉમદા અને અભિનંદનીય સેવા આપી હતી. સંસારસાગરના પટ પર સાડા છ દાયકા સુધી નિરંતર, અસ્ખલિત, અખંડિતપણે ચાલતી તેઓશ્રીની જીવનનૈયા અચાનક તા. ૧૮ ઓક્ટો. ૧૯૯૪ના ગોઝારાદિને કાળમુખા તૂફાની વાવાઝોડામાં એકાએક તૂટી પડી, ભાંગી પડી અને મૃત્યુના મહાસાગરમાં વિલીન થઈ ગઈ. તેઓશ્રીનું પ્રાણપંખેરું દેહપિંજરને છોડી પરલોકની યાત્રાએ ઉડ્ડયન કરી ગયું.
જૈન સમાજે નિઃસ્વાર્થ સેવાક્ષેત્રની ઉત્તમ માર્ગદર્શક, પ્રેરણામૂર્તિ, ધર્મોત્થાનમાં યોગદાન આપનાર સંસ્કારમૂર્તિ ગુમાવી. ચમકતો એક તેજસ્વી સિતારો ખરી પડ્યો. માત્ર બનાસકાંઠા જિલ્લાએ જ નહીં, સમસ્ત ગુજરાત રાજ્ય એટલું જ નહીં દેશના સ્તરે વિવિધ ક્ષેત્રના એક શુભહિતચિંતક મહામાનવ ગુમાવ્યો. તેઓશ્રીનું જીવન ધૂપસળી જેવું હતું. સુગંધી પુષ્પ જેવું હતું. તેથી જ ધૂપસળી નથી પણ સુવાસ છે. ફૂલ ગયું ને ફોરમ રહી . તેઓશ્રીના જીવનનાં સત્કાર્યો, ગુણરૂપી સુવાસ આજે પણ ચોમેર મહેંકી રહી છે. પરમ પ્રભાવક શ્રદ્ધાવર્ષોની પરંપરાના પ્રતાપી વીરપુરુષ શ્રી જયંતીભાઈએ સુસંસ્કારિતાના આગવા તેજ દ્વારા સદાયે સુસ્મિત ચહેરે જીવનને ઊજાળ્યું. મૃત્યુને મહોત્સવ બનાવ્યો અને વિશ્વમાંથી વિજયવંતી વિદાય લઈને પોતાનાં નામ અને કામ સદાને માટે રાજતાં, ગાજતાં અને ગૂંજતાં કરી દીધાં.
જયસુખલાલ ચંપકલાલ વોરા
નવાગામ (બડેલી) નિવાસી-મુંબઈના વેપારી ઘોઘારી સમાજના સંનિષ્ઠ કાર્યકર અને દાનેશ્વરી ચંપકલાલ ગિરધરલાલ વોરાના લઘુપુત્ર જયસુખભાઈ આજે મુંબઈની અનેક સંસ્થા સાથે કાર્યકર કે ડોનર તરીકે સંકળાયેલા છે. શ્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org