________________
સ્વપ્ન શિલ્પીઓ
૧,૦૦૦/- આપો તો એની સામે તલકચંદભાઈ (ફાધર) રૂ।. ૨૫૦/- આપે અને બધા જ કાર્યકરો ૫૧, ૫૧ રૂ।. આપે જે ૧૫-૧૭ વ્યક્તિઓ હતી. એટલે રૂ।. ૧,૦૦૦/-ની સામે દરેક વખતે સંસ્થાને બીજાં રૂ।. ૧,૦૦૦ અંદાજે મળે. આ વાત છે ૧૯૬૫-૭૫ આસપાસની. આવા આજે કેટલા કાર્યકરો?
ચંપકભાઈનાં ધર્મપત્ની ચંપાબહેનનો નાની ઉંમરમાં દેહવિલય થયેલ. માતા-પિતા બન્નેના સ્વર્ગવાસ પછી એમના લઘુપુત્ર અને અનેક સંસ્થા સાથે સંકળાયેલ જયસુખભાઈ વોરા સમાજસેવાનાં અનેક કાર્ય કરી રહેલ છે. ચંપકભાઈના મોટા પુત્ર વાડીભાઈનું નાની જ વયમાં અવસાન થયેલ.
અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર શ્રી ચંદુલાલ ભાઈચંદ શાહ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગરના વતની શ્રી ચંદુલાલભાઈનો જન્મ તા. ૧૧-૧૯૨૮ના રોજ થયો. મેટ્રિક સુધીનું શિક્ષણ અમદાવાદમાં શેઠશ્રી ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારમાં ૧૯૪૦-૪૬માં લીધું પણ પછી ૧૯૪૮થી મુંબઈને કર્મભૂમિ બનાવી.
૧૯૫૩થી મુંબઈમાં દીપક મેડિકલ સ્ટોર્સની નાની દવાની દુકાનથી ધંધાકીય પ્રવૃત્તિ શરૂ કરી, જેમાં ક્રમેક્રમે સારો વિકાસ થયો. દેવ-ગુરુ-ધર્મમાં અનન્ય શ્રદ્ધા-ભક્તિને કારણે તેમના સેવાજીવનની સુમધુરતા સદા મહેકતી રહે છે. વ્યવસાયમાં દીપક મેડિકલ સ્ટોર વીમા એજન્ટ તેમ જ યુનિટ ટ્રસ્ટના એજન્ટ તરીકેની જ્વલંત ઉજ્વળ કારકીર્દી ધરાવે છે. યાત્રાર્થે હિંદનાં ઘણાં સ્થળોનું પરિભ્રમણ કર્યું છે.
શ્રી ચંદુભાઈ અનેક સામાજિક સંસ્થા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે, જેવી કે–જૈન સહકારી બેંકમાં ૧૯૭૪થી બોર્ડ ઓફ ડાયરેક્ટરના મેમ્બર તરીકે તથા મુંબઈ ચમન છાત્રમંડળમાં પ્રમુખમંત્રી તરીકે ચાલુ છે. તેમજ શ્રી પ્રગતિ મંડળ સેન્ટ્રલ કન્ઝ્યુમર્સ કો.ઓ. સોસાયટીમાં કમિટી મેમ્બર તરીકે બાર વર્ષ સેવા આપેલી. સી. એન્ડ ડી. કેમિસ્ટ ઝોનના ૧૯૭૫થી ૧૯૯૫ હાલમાં પ્રેસિડેન્ટ તરીકે ચાલુ હતા. મુંબઈમાં ઝાલાવાડ જૈન સંઘના મંત્રી તરીકે સેવા આપેલ.
Jain Education International
૩૨૯
તેમજ સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ક્લબમાં તેમજ મહાવીર જૈન વિદ્યાલયમાં કમિટી મેમ્બર તરીકે તેમજ જિનાલય ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ મુંબઈ જીવદયા મંડળમાં ખજાનચી તેમજ મંત્રી તરીકે સેવા આપેલ છે. ઝાલાવાડ સોશ્યલ ગ્રુપ તથા શ્રી ગોવાલિયા ટેન્ક જૈન સંઘમાં કમિટી મેમ્બર તરીકેની સેવાઓ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલમાં શરૂઆતથી જ ખજાનચી મંત્રી, વાલકેશ્વર સર્કલના પ્રમુખ તરીકેની સેવા આપે છે. ઓગષ્ટ ક્રાંતિ કો. ઓ. સોસાયટીમાં ચેરમેન તરીકે તથા અન્ય નાની-મોટી સંસ્થાઓની સેવાઓ લક્ષમાં લઈ મહારાષ્ટ્ર સરકારે ૧૯૭૨ના ઓગષ્ટથી જસ્ટિસ ઓફ પીસ (જે.પી.)ની પદવી એનાયત કરેલી, ઉપરાંત સરકારે ૧૯૭૪ના જૂનથી સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે તેમને પસંદ કર્યા છે. હાલમાં તેઓ એસ.ઈ.એમ. તરીકે નિમણૂક આપેલ. તેમની પ્રગતિમાં તેમનાં ધર્મપત્નીનો ફાળો જરાપણ નાનો-સૂનો નથી. કંચનબહેને માસક્ષમણ, સિદ્ધિતપ તેમ જ ઉપધાનતપ, વરસીતપ વગેરે અનેક તપશ્ચર્યાઓ કરેલ છે. આખુંયે કુટુંબ ખૂબ જ ધાર્મિક રંગે રંગાયેલું છે. કંચનબહેનનો સ્વર્ગવાસ ૧૦-૩-૦૩
આપણા એક રૂપિયાના નુકસાન સામે બીજાને પાંચ રૂપિયાનો ફાયદો થતો હોય તો આપણે નુકશાન ભોગવી લેવું, આ રીત તેમણે જીવનમાં અપનાવી છે. (આ રીતથી ગમે તેટલું ભોગવવું પડે) ગરીબ, બિમાર તેમજ સંજોગોના ભોગ બનેલાંઓ પ્રત્યે ખૂબ જ દયા રાખી યથાશક્તિ તન-મનધનનો ભોગ આપવો એ રીત પણ જીવનમાં અપનાવી છે. હમણાં જ થોડા સમય પહેલાં શ્રી ચંદુભાઈ અને તેમના લઘુબંધુ નવીનચંદ્રભાઈના પરિવારના સૌજન્યથી મુંબઈથી જેસલમેર–રાણકપુર વગેરે અનેક તીર્થસ્થાનોના યાત્રા–પ્રવાસનું આયોજન કરેલું. મુંબઈથી ૫૪ યાત્રિકો તથા જોરાવરનગર વગેરેનાં ૫૪ યાત્રિકો મળીને ૧૦૮ યાત્રિકોનો યશસ્વી યાત્રાપ્રવાસ યોજ્યો હતો. પરમ કૃપાળુ પરમાત્મા જીવનના છેલ્લા શ્વાસ સુધી આપને સેવા કરવાની તક આપે તેવી પ્રાર્થના. ૨૦૦૪ નાગેશ્વર તીર્થની યાત્રા કરાવી ઘણી સંસ્થાઓમાં નાનાં-મોટાં ડોનેશનો આપેલ. તેમની એક દીકરી અનીતાબહેન કમલેશભાઈ વખારિયા છે. તેમને ત્રણ દીકરાઓ છે. કમલેશભાઈ વકીલાત તેમનો મોટો પુત્ર ડાયમંડની લાઇનમાં છે. નાનાભાઈ નવીનભાઈનું અવસાન ૧૭-૧૨-૦૧ થયેલ તેમના પત્ની તથા પુત્રી લીનાબહેન બે પુત્રો ધાર્મિક જીવન ગાળે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org