________________
૩૨૬
જીવનમાં ઘણું બધું નક્કર કામ કર્યું હોવા છતાં કશું જ કર્યું નથી એવી નિરપેક્ષ વૃત્તિથી પોતાનું કર્તવ્ય બજાવ્યે જાય છે. આવા આ સમસ્ત માનવજાતના કલ્યાણઇચ્છુક શ્રી સી. કે. મહેતા સાહેબને વર્ષો પહેલાં એકવાર રૂબરૂ મળવાનું બન્યું ત્યારે પ્રથમ પરિચયે જ એમના ઋજુ હૃદયની છાપ અંકિત થઈ હતી. આવું મમતાળું વ્યક્તિત્વ ધરાવતા શ્રી ચિમનલાલભાઈએ પુરષાર્થ અને અપૂર્વ આત્મવિશ્વાસથી નાની વયમાં જ સ્વતંત્ર ધંધામાં ઝંપલાવ્યું. નીતિમત્તા અને ઊંડી સૂઝ–સમજને કારણે ધીરે ધીરે પણ પ્રગતિકારક રીતે ધંધાનો વિકાસ થતો ગયો. ૧૯૭૧માં દીપક નાઇટ્રાઇટ લિ.ની સ્થાપના કરી અને ૧૯૭૯માં દીપક ફર્ટિલાઇઝર્સ કોર્પોરેશનની સ્થાપના કરી વ્યાપારિક ક્ષેત્રે આગવું સ્થાન ઊભું કર્યું. સાથે ધર્મશ્રદ્ધાના સિંચનથી સંસ્કારછોડને પણ ઊછેર્યો. મૂળભૂત રીતે ધર્મના સંસ્કારસિંચનથી ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પણ સમાજસેવા અને અનુકંપાદૃષ્ટિથી ઉત્તરોત્તર દાનધર્મનાં સોપાનો ચડતા રહ્યા.
પ્રબળ પુણ્યબળના યોગથી જ ધંધાની ઉન્નતિ અને ધાર્મિક, સામાજિક કાર્યોમાં પ્રગતિ સધાય છે. એવા એમના દૃઢ વિશ્વાસને લઈને ધંધામાં ખૂબ જ વ્યસ્ત હોવા છતાં આત્મિકઆધ્યાત્મિક સંબંધોને ઉચ્ચ પદ આપતા રહ્યા.
વ્યાપાર, ઉદ્યોગક્ષેત્ર ઉપરાંત સામાજિક, ધાર્મિકક્ષેત્રે પણ તેમણે વિનમ્ર રીતે પોતાનો યશસ્વી ફાળો આપ્યો છે.
વડોદરા નાંદેસરી ખાતે એક અદ્યતન હોસ્પિટલની સુંદર સગવડ ગ્રામીણ તેમજ ઔદ્યોગિક જનતા માટે એક ફાઉન્ડેશનની રચના કરી, જેનો લાભ સેંકડો લોકો લઈ રહ્યાં છે.
દીપક મેડિકલ ફાઉન્ડેશન અને દીપક ચેરિટેબલ ટ્રસ્ટમાં લગભગ ૮૦ માણસોનો સેવાભાવી સ્ટાફ આજુબાજુના સંખ્યાબંધ ગામડાંઓમાં સેવા આપી રહ્યાં છે. તેઓ દાયણની તાલીમનું તથા આ વિસ્તારની મહિલાઓમાંથી સગર્ભાઓને અલગ તારવવાનું, ગામડાઓમાં ક્લિનિકની શ્રેષ્ઠત્તમ સુવિધા પહોંચાડવાનું, રસીકરણનું તેમજ મહિલાઓ તથા તરુણ તરુણીઓ માટે માહિતીશિક્ષણ અને સંદેશાવ્યવહાર પૂરા પાડવાની સેવા આપે છે.
આ બધી જ માનવસેવાની પ્રવૃત્તિના પાયામાં શ્રી ચિમનલાલભાઈની પરગજુ સેવાપરાયણતા ધરબાયેલી પડી છે. ધંધામાં અને સમાજસેવામાં તેમનું કાર્યકૌશલ્ય હંમેશાં ઝળકી રહ્યું છે. ધંધાર્થે સમગ્ર વિશ્વની પ્રદક્ષિણા કરી હોવા છતાં
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ ભારતમાં હોય કે અમેરિકામાં હોય સુદેવ, સુગુરુ, સુધર્મ, સાથે જ રહ્યાં છે. એક આદર્શ શ્રાવક તરીકેના બધા જ સદ્ગુણોનું તેમનામાં દર્શન થાય છે અને તેથી જ તેમનું વ્યક્તિત્વ હંમેશાં નિરાળું ભાસે છે. કેમિકલ્સના વ્યાપારક્ષેત્રે વ્યાપક નામના મેળવીને અઢી દાયકાના કેમિકલમારકોના બહોળા અનુભવ પછી સને ૧૯૭૦માં ઉદ્યોગક્ષેત્રે ઘણું મોટું પ્રદાર્પણ કર્યું. સખત પરિશ્રમ બાદ દીપક નાઇટ્રાઇટના ઉત્પાદન ક્ષેત્રની દશાબ્દી ૧લી એપ્રિલ ૧૯૮૩માં શાનદાર રીતે ઊજવી.
૧૯૮૨ની દિવાળી સૌરાષ્ટ્ર માટે વાવાઝોડાના ઝંઝાવાતથી ખૂબજ કાજળઘેરી બની રહી ત્યારે દીપક ચેરિ. ટ્રસ્ટની પણ ત્વરિત સ્થાપના કરી અને જુદા જુદા પ્રોજેક્ટ દ્વારા પીડિત આત્મિકોને શાતા બક્ષી. રહેવાનાં ઘર ખેડૂતોને અને માલધારીઓને હજારોની સંખ્યામાં પશુઓનું પુનઃસ્થાપન, ગામેગામ થઈને વાસણો, રેશન, વસ્ત્રો વગેરેનું વિતરણ લાખોને હિસાબે કર્યું.
વહીવટી સૂઝ અને ત્વરિત કાર્ય કરવાની કુનેહ આપણા આ શ્રેષ્ઠીવર્યમાં જોવા મળે છે. સમાજને તેમની સેવાનો લાભ અહર્નિશ મળતો રહે એ જ અભ્યર્થના.
અનેક ધાર્મિક સંસ્થાઓમાં માતબાર દાન આપનાર શ્રી ચન્દ્રકાન્ત મૂળચંદ શાહ
શ્રી ચન્દ્રકાન્ત મૂળચંદ અગિયાળીના વતની છે. હાલ મુંબઈમાં વસવાટ કરે છે. નાની પિતાશ્રીનું વાત્સલ્ય ઉંમરમાં ગુમાવેલું. સાધારણ પરિસ્થિતિમાં માતાએ ત્રણે બાળકોને ઉછેર્યાં. મેટ્રિકનો અભ્યાસ સિહોર મુકામે કરી મુંબઈમાં આવી સર્વિસ ચાલુ
કરી. આપમેળે મહેનત કરી સફળતા પ્રાપ્ત કરી મુંબઈમાં સન ૧૯૫૦થી વસવાટ કરે છે. સર્વિસ કરી ત્યારબાદ ઇલેક્ટ્રિકલાઇનમાં ધંધો તથા મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું. પ્રભુએ સારી સફળતા આપી. કુટુંબના સહકારથી અને વડીલોના આશીર્વાદથી ૧૯૭૨માં નવા ધંધાનું સાહસ કન્સ્ટ્રક્શન લાઇનમાં કર્યું અને સફળતા પ્રાપ્ત કરી.
શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જ્ઞાતિની અનેક સંસ્થાઓમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org