SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ અને શિક્ષણક્ષેત્રે સખાવત જેવા તેમના ગુણો આજે પણ વિદ્યમાન છે. તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેરવા (જતના) ગામે થયેલો. પ્રાથમિક અભ્યાસ ગામમાં કરી સુરેન્દ્રનગરની પાનાચંદ ઠાકરશી બોર્ડિંગમાં રહીને માધ્યમિક શિક્ષણ લીધું. રાષ્ટ્રપ્રેમને કારણે ૪૨ની કોંગ્રેસની ચળવળમાં આગળ પડતો ભાગ લીધો. ૧૯૪૯માં ૨૩ વર્ષની ઉંમરે મુંબઈ આવી કે.સી. શાહ નામની કાં. સ્થાપી. ૧૯૬૫માં ‘એ’ વર્ગના મિલિટરી કોન્ટ્રેક્ટર બન્યા. પોતાના અનુજ બંને ભાઈઓ ચિનુભાઈ તથા શાંતિભાઈના સહકારથી ગવર્નમેન્ટના કરોડોના કોન્ટ્રાક્ટથી કામો કરી દેશ-વિદેશમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. તેમણે જતવાડ' કેળવણી મંડળની સ્થાપના કરી અને શિક્ષણ ક્ષેત્રે સખાવતો આપી. અને ખેરવા ગામે હાઇસ્કૂલ સ્થાપી. તેઓ સુરેન્દ્રનગરની પાનાચંદ ઠાકરશી બોર્ડિંગના ટ્રસ્ટી બન્યા. તેઓ દેવદર્શન અને ગુપ્તદાનના હિમાયતી હતા. તેઓએ પૂ.આ.શ્રી. વિજયપ્રત સૂરીશ્વરજી, પ.પૂ.આ. ધર્મસૂરિજી મહારાજ, પૂ.આ.શ્રી. યશોદેવસૂરિજી વગેરે સાધુપુરુષોના આશીર્વાદ મેળવ્યા હતા. તેઓ ૪૫-૪૬ વર્ષની વયે અરિહંત પ્રભુનું સ્મરણ કરતાં વૈ.વ.૭, ૨૦૨૫માં સ્વર્ગે સિધાવ્યા હતા. અલબત્ત કન્સ્ટ્રક્શન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા તેમના પુત્રો દિલીપભાઈ - મહેન્દ્રભાઈ પિતાની પરંપરા રૂપે ઝાલાવાડ ફાઉન્ડેશનને સારું એવું ફંડ ઊભું કરવામાં તથા ધરતીકંપમાં ઝાલાવાડનાં ગામડાંમાં રહેતાં જૈનકુટુંબોને આર્થિક મદદ આપેલી, તેમ જ ભાયંદર ખાતે ખીમચંદ છગનલાલ માનવ સેવા ટ્રસ્ટ સ્થાપી જરૂરતમંદ કુટુંબોને શૈક્ષણિક તથા જીવનજરૂરિયાતની વસ્તુઓ વિતરિત કરેલ છે. દિલીપભાઈના પુત્રો રૂપેશ તથા પરાગ નાસિક પાસે સીન્નરમાં એમ.જી. ક્રાફ્ટ પેપરની ફેક્ટરી ધરાવે છે. અને કોરૂગેટેડ બોક્સ બનાવવા માટે ઉચ્ચ ક્વોલિટીનું પેપર ઉત્પાદન અને વેચાણ કરે છે. શ્રી દિલીપભાઈ શ્રી ઝાલાવાડ સંઘ મુંબઈના પ્રમુખ તથા શ્રી જોરાવરનગર વિકાસમંડળ સંચાલીત નવી અદ્યતન હૉસ્પિટલના પ્રમુખ છે. હમણાં જ થોડા સમય પહેલા પાલિતાણામાં મહિલાઓના વિકાસ માટે શ્રી દિલીપભાઈએ સારું એવું યોગદાન આપ્યું છે. ઘણા જ ઉદારદીલના દીલીપભાઈએ અનેકક્ષેત્રોમાં સહયોગ આપ્યો છે. ઉદારચરિત પુણ્યાત્મા સ્વ. શ્રી ખુમચંદ રતનચંદ શાહ વર્તમાન જૈન શાસનના ઇતિહાસમાં મંડાર–રાજસ્થાનનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. જેમણે ઉચ્ચ વિશુદ્ધ ચારિત્ર્યથી વિશેષ મહત્ત્વની કોઈ બાબત Jain Education International -----૧ ગણતરીમાં લીધી નથી એવા પરમ આદરણીય જૈન શ્રેષ્ઠી શ્રી ખુમચંદભાઈ જૈન સમાજનું ગૌરવશાળી રત્ન છે. મંડાર એમનું વતન પણ નાની કુમળી વયે મુંબઈમાં એમનું આગમન થયું. પિતાશ્રીએ શરૂ કરેલી ત્રાંબા-પિત્તળની દુકાન પોતાની હૈયાસૂઝ અને દીર્ધદષ્ટિથી વિકસાવી, ઉત્તરોત્તર ઘણો વિકાસ થતો રહ્યો. પરિણામે આજે ધંધાકીય ક્ષેત્રે નામના મેળવી છે, જે એમના પ્રચંડ પુરુષાર્થની સાક્ષી પૂરી પાડે છે. તેણે વ્યાપારમાં જે ૨સ લીધો તે કરતાં વિશેષ રસ એમણે નાનીવયે ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રે લેવા માંડ્યો અને કહેવાય છે કે જૈનધર્મ આચારવિચારને નાની ઉંમરથી જીવતાં પચાવ્યો. જિંદગીમાં ક્યારેય અભક્ષ્ય પદાર્થોનો ઉપયોગ કર્યો નથી તેમ ક્યારેય તેમનું મોઢું છૂટું નથી. સં. ૨૦૧૩ની સાલથી બારે મહિના ઉકાળેલું પાણી વાપરે છે. દેવગુરુધર્મ પરત્વે એમની અનન્ય શ્રદ્ધા અને ભક્તિભાવ રહ્યાં છે. આ પુણ્યશાળી આત્મા હંમેશાં આરાધનામાં આગળ વધતા રહ્યા. સંપત્તિને પોતાની પાછળ ચલાવનારા આ ગુણસંપન્ન શ્રેષ્ઠીએ આજની તેમની વિશાળ પરિવારની જે કાંઈ અસક્યામતો છે તેમાંથી વિશેષ રકમ તેમણે ધર્મને ક્ષેત્રે અર્પણ કરી. દાનસરિતાનો આ આંકડો ઘણો મોટો થવા જાય છે. આવા ઉદારચરિત પુણ્યાત્માના જીવનનું મૂલ્ય આંકવું ઘણું જ કિઠન છે. શ્રીમંતાઈનો દોમદોમ વૈભવ છતાં તેમની સાદગી, વિનમ્રતા, સૌજન્ય અને નિરાભિમાનપણું સૌની પ્રશંસા અને દાદ માંગી લે છે. જિનભક્તિના રસિક આ પુણ્યાત્માએ પોતાના ગર્ભ– શ્રીમંતાઈભર્યા જીવનમાં પણ સંસાર અને સંસારના અનેકવિધ આકર્ષણોને તિલાંજલિ આપી, સર્વ વિરતિ ધર્મ'ની ઉપાસના કરવાની તીવ્ર ઝંખના સાથે દેશિવરિત જીવનથી આત્મકલ્યાણ માર્ગે આગળ વધવાપૂર્વક સ્તવન, છંદ, સજ્ઝાય આદિ કંઠસ્થ કરી, યથા સમયે મધુર કંઠે તેનો ઉપયોગ કરી આત્મમસ્તીમાણતા. શેઠશ્રીને દ્રવ્યાનુયોગાદિ ગ્રંથના અભ્યાસની પણ તીવ્ર ઉત્કંઠા, જેથી સામાયિકમાં સ્વાધ્યાય, વાચન તેમ જ ઓફિસમાં બેઠા હોય ત્યારે પણ ધર્મવાચન ચાલુ જ હોય. આ રીતે પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ પંચસંગ્રહ, કમ્મપયડી, તત્ત્વાર્થસૂત્ર, બૃહત્સંગ્રહણી આદિનો અભ્યાસ કરી તે તે સૂત્રોની અનુપ્રેક્ષા કરી તત્ત્વજિજ્ઞાસુઓ સાથે ચર્ચા કરતા. શ્રી ખુમચંદભાઈનાં ધર્મપત્ની સ્વ. ચૂનીબહેનનું જીવન પણ એક શ્રાવિકાને શોભતું હતું. તેમના પરિવારમાં છ પુત્રો છે. અને તે દરેકને ધર્મસંસ્કારો આપવાનું તેઓ ચૂક્યાં નથી, જેનાં પરિણામે આજે વિવિધ ધંધામાં જોડાવા છતાં તેમની ધર્મશ્રદ્ધા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy