________________
૩૧૭
સ્વપ્ન શિલ્પીઓ.
શ્રી કિરીટભાઈ પી. શાહ ભાવનગરે વિદ્યા અને ધર્મક્ષેત્રે હંમેશાં તેજસ્વી પાત્રોની સમાજને ભેટ ધરી છે. વિવિધ પ્રવૃત્તિઓમાં આ શહેર હંમેશાં મોખરે રહ્યું છે.
યુવાન કાર્યકર્તા અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી કિરીટભાઈ શાહ ભાવનગરની વિવિધ પ્રવૃત્તિઓના પ્રણેતા છે. પુરુષાર્થ અને સ્વબળે વ્યાપારિક સંબંધો વિકસાવ્યા, વિચક્ષણ બુદ્ધિ, નીડરતા, સાહસિકતા વગેરે તેમની આગવી શક્તિને કારણે જનસમૂહમાં સૌના પ્રીતિપાત્ર બન્યા છે.
લાયન્સ ક્લબ ઓફ ભાવનગર (વેસ્ટ)ના પ્રમુખ તરીકે તેમની સેવાઓ જાણીતી છે. લાયન્સ ડિસ્ટ્રિક્ટ ૩૨૩/બી ઝોન૨ રીજિયન-દના ઝોન ચેરમેન તરીકે તેમની સેવાનું યોગદાન પ્રશંસાપાત્ર બન્યું છે.
ભાવનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘમાં કારોબારીના સભ્ય ઉપરાંત ભાવનગર અને વિદ્યાનગર જૈનસંઘના સભ્ય તેમજ જૈનસેવા સમાજના કર્મઠ કાર્યકર બનીને સમાજની યથાશક્તિ સેવામાં પોતાનો મોટાભાગનો સમય આપતા રહ્યા છે.
| સામાજિક ઉપરાંત શિક્ષણ સાહિત્યને ક્ષેત્રે પણ તેમની નાની મોટી સખાવતો જાણીતી છે. શહેરની ઘણી સંસ્થાઓમાં તેમનું માર્ગદર્શન ઉપયોગી અને ઉમદા બન્યું છે.
શાસનસેવાનાં અનેકવિધ કાર્યોમાં તેમની નેતાગીરી મોખરે રહેલ છે. તેની પાછળ તેમની ઊંડી સૂઝ-સમજ છે.
દશ વર્ષ ભાવનગર જૈનસંઘના મંત્રી તરીકે, આઠ વર્ષ ઉપપ્રમુખ તરીકે કામ કર્યું. ભાવનગર પાંજરાપોળ, ભા. જૈનસંઘ સંચાલિત દવાખાનું વગેરે તાલધ્વજગિરિ કમિટીમાં ટ્રસ્ટી તરીકે ચાલુ છે.
ભાવનગરના વ્યાપારી સમાજમાં પણ તેમનું આગવું માન અને સ્થાન રહ્યું છે. આજે લક્ષ્મીદેવીની તેમના ઉપર પૂરેપૂરી કૃપા હોવા છતાં જીવન અત્યંત સાદું, નિરાભિમાની ને નમ્રતાભર્યું છે.
તેમની વિકાસયાત્રામાં તેમનાં ધર્મપત્નીનો અને પરિવારનો ઉષ્માભર્યો સહયોગ મળતો રહ્યો છે.
શ્રી કીર્તિભાઈ પોપટલાલ મેપાણી
કીર્તિભાઈનો જન્મ ઉત્તર ગુજરાતમાં જૂના ડીસા ગામે તા. ૧૪૩-૩૫ના થયો.
પોતાના ઉમદા વિચારવાણી-વ્યવહાર દ્વારા અનોખા વ્યક્તિત્વના અભુત અમીછાંટણા કરી જીવન સિદ્ધ કરી જનાર સત શ્રી કીર્તિભાઈ મેપાણીનો જીવનબાગ લીલોછમ રહ્યો હતો. તેમનાં પ્રત્યેક કાર્યો સુગંધિત બન્યાં હતાં.
શ્રી કીર્તિભાઈની સમગ્ર કારકિર્દીમાં પ્રબળ પુરુષાર્થ દ્વારા સિદ્ધિ હાંસલ કરવાની અદમ્ય ઇચ્છા તથા સુયોગ્ય કાર્યને સતત વળગી રહેવાની શક્તિનો સમન્વય સધાયો હતો.
શ્રી કીર્તિભાઈ મેપાણી તા. ૧૮-૭-૦૬ના રોજ સ્વર્ગવાસી થયા અને ઉચ્ચત્તમ વ્યક્તિત્વની સુવાસ બહોળી વેપારી આલમમાં પ્રસરાવી ગયાં. કાપડ ઉદ્યોગમાં દાયકાઓ પૂર્વે નક્કર કદમ ઉઠાવીને યુવાપેઢી સમક્ષ સાહસ અને સ્વાશ્રયની ભવ્ય ભાવનાની તેજરેખા આલેખી હતી. તેમનું જીવન સરળ, સેવામય, કુટુંબવત્સલતા, સમતા અને સદ્ભાવ કદી ભૂલાશે નહીં–તેઓ દાનધર્મ પણ વિશિષ્ટ રીતે કરતા કોઈને ખબર પડતી નહીં. જમણા હાથે આપે તો ડાબાને ખબર પણ ન પડે. કોઈ પણ દુખિયાના સહાયભૂત હતા. તેમના ઘેર આવેલ માણસ જગ્યા વગર કદી પણ જતા નહીં. વ્યવહારકુશળતા, અનેરી સાદાઈ અને ભારોભાર એટલી જ વિનમ્રતા.
દાનધર્મને ક્ષેત્રે તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું. અમદાવાદ સંસ્કૃતિ ધામમાં, કીર્તિસ્થંભમાં તેમના પરિવારજનોનું નામ તેજ વિલોરી (નાસિક પાસે) ભોજનશાળામાં તેમના પરિવારજનોએ મોટું યોગદાન આપ્યું. નવસારી તપોવનમાં તેમ જ આયંબિલ ઓળીના પ્રસંગોમાં સારી એવી દેણગી આપી. પોતાની હાજરીમાં જ અનેક સંસ્થાઓને નવપલ્લિત કરી છે. તેમનો મોટો દીકરો શૈલેષ પરિવાર સાથે બોસ્ટન રહે છે. કીર્તિભાઈનાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org