________________
૩૧૬
ભવ્ય ગોલ્ડન
એવોર્ડ અને પ્રશસ્તિપત્રનો આ સમારોહ ન્યૂ દિલ્હીમાં
તા.
૧૮
૧ ૧
૨૦૦૫ના
ગોઠવાયેલ
હતો.
-
IVA
ક્વેિરભાઈ
કોડિયા
પી. રાજકોટની
દરેક જ્ઞાતિ
માટે ગૌરવશાળી વ્યક્તિ છે. સુદૃઢ સમાજ, સમૃદ્ધ સમાજ, ધર્મમય સમાજ, જીવદયા પ્રેમી સમાજનું નિરૂપણ કરવા માટે ૩૦ (ત્રીસ) વરસ થયાં સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, આર્થિક સંસ્થાઓમાં જે દીર્ઘકાળથી સેવા આપી રહ્યા છે તે અવર્ણનીય છે. જિનાલયો, ઉપાશ્રયોનાં નવનિર્માણ સાથે જબરદસ્ત જીવદયાના કાર્યને ત્રીસ વર્ષ થશે અને અજાયબી એ છે કે છેલ્લાં દશ વરસથી મકરસંક્રાતિના દિવસે એક જ મંડપમાં, એક જ દિવસમાં રૂા. ૧૦૦/-થી માંડીને સાંજ સુધીમાં એક લાખ ને એંશી હજારનો જબ્બર ફાળો પાંજરાપોળનાં મૂંગાં પશુઓ માટે એકઠો કરેલ છે તે એક અજાયબી છે. આજે ચૂંટણી અને વાદવિવાદના' જમાનામાં ૩૦ (ત્રીસ) વરસ સુધી આટલી બધી સંસ્થાઓમાં કાયમી ઉચ્ચ હોદ્દા ઉપર ટકી રહેવું બહુ જ કઠિન બિના છે તે એક અજાયબી છે.
સામાન્ય રીતે લાખો રૂપિયાની મિલ્કત હોય પણ જે સંસ્થાઓ પાસે એક રૂપિયો રોકડ ન હોય તે સંસ્થાની મિલ્કત ઓછી કર્યા વગર મિલ્કતને આર્થિક રીતે વટવૃક્ષ બનાવવી તે નવીનતા છે. શ્રી કિશોરભાઈ કોરડિયાએ રાજકોટનાં અનેકવિધ વેપારીમંડળો, વેપારી એસોસિએશનો, કો—બેન્કો, કો. ઓ. સોસાયટીઓ, વેપારી મહામંડળો, જૈન ઉપાશ્રયો, બોર્ડિંગો, જ્ઞાતિની અન્ય સંસ્થાઓ, ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ જેવી સંસ્થાઓમાં જબ્બરદસ્ત નેતૃત્વ પૂરું પાડેલ છે.
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ આજ કારણે માનનીય દાનવીર શ્રી દીપચંદભાઈ ગાર્ડી દ્વારા આ ‘મહામૂલ્ય સેવાકીય વિભૂતિ'નો એવોર્ડ એનાયત થયો હતો.
પૂર્વે સંતરામનગરી નાગપુરમાં શ્રી કિશોરભાઈ કોરડિયાને વિવિધ સંસ્થાઓ, તેમજ સમસ્ત જૈનસમાજ દ્વારા ત્યાંના યુવરાજ ભોસલેના હસ્તે ૩૦ થી ૪૦ પત્રકાર મિત્રોની પત્રકાર પરિષદમાં અને વિશાળ જનમેદનીની હાજરીમાં ‘બહુરત્ન પ્રતિભા ગુજરાત' એવોર્ડ અર્પણ થયો.
સમસ્ત જૈન સમાજ વિશા શ્રીમાળી જ્ઞાતિમાં સૌથી નાની ઉંમરમાં પ્રમુખ બન્યા. પૂર્વ માનનીય ગુજરાતના ગવર્નર સાહેબશ્રી સુંદરસિંહ ભંડારી સાહેબના હસ્તે સૌરાષ્ટ્રના અજોડ સેવાના ભેખધારી' તરીકેનો એવોર્ડ રાજકોટમાં વિશાળ ઉદ્યોગપતિપરિષદમાં અપાયો.
શ્રી કિશોરભાઈ કોરડિયાએ સામાન્ય જનતા માટે અનેકવિધ નિદાન કેમ્પો, અનેકવિધ ઢોરો માટે, પશુઓ માટે ભવ્ય ઓપરેશન કેમ્પો, વિશાળ જીવદયાપ્રેમી પાસેથી ગંજાવર કક્ષાની દવાઓ મેળવી ફી ઓફ ઓપરેશનો, ભૂકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિઓમાં જબ્બસજસ્ત સેવા કામગીરી, કોમી હુલ્લડોમાં શાંતિ સરઘસ, શાંતિ સભાઓ, માનનીય પોલીસ કમિશ્નર સાહેબ સાથે ફરીને શાંતિની સ્થાપના કરવામાં સહાયરૂપ બન્યા
હતા.
આ જ સંસ્થા ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં સ્થાપનાથી આજ સુધી ટ્રેઝરર તરીકેની ઉમદા સેવાઓ આપી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્રના પ્રધાનો તેમજ
જુદા-જુદા દેશના એમ્બેસેડરો અને વિવિધ મહાનુભાવોની હાજરીમાં ‘સેવાકીય, જીવદયા, ધાર્મિકતાના સ્તંભ'ને મજબૂત જહેમતનો ૨૦૦૫નો સ્વ. ઇન્દિરા ગાંધી પ્રિયદર્શની એવોર્ડ ન્યૂ દિલ્હી ખાતે અર્પણ થયો છે. એ એવોર્ડ કેન્દ્રના પ્રધાન શ્રી રાજશેખરનજી અને અન્ય પૂર્વ કેન્દ્રના પ્રધાનો તેમજ અનેક દેશના એમ્બેસેડરોની શુભનિશ્રામાં અપાયો હતો.
એ સમયે દિલ્હીમાં બિરાજમાન વિશ્વવિભૂતિ એવા ‘પ્રમુખ સ્વામી’એ સામેથી દર્શન આપી ‘અક્ષરધામ મંદિર’માં ભવ્ય સન્માન સાથે ‘આશીર્વાદ એવોર્ડ' અર્પણ કર્યો. આવી વિવિધ સેવાઓનો ઇતિહાસ સર્જનાર કિશોર પી. કોડિયાનું સમ્માન ગુજરાતના માનનીય ગવર્નર શ્રી નવલકિશોર શર્માજી સાહેબના હસ્તે થયું.
For Private & Personal Use Only
www.jainelibrary.org