________________
૩૧૪
નિખાલસતા અને ધર્મ પ્રત્યેની રુચિ કુટુંબને સાથે રાખીને, કુટુંબના સંસ્કારદાતા બની સમગ્ર નગરમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી શક્યા છે.
ઊંઝા-મહેસાણા વચ્ચે અને ઊંઝા-પાટણની વચ્ચે વિહારધામ નિર્માણ થાય તેવું તેમનું સ્વપ્ન હતું. જ્યારે-જયારે સાધુ-સાધ્વી છંદ સગવડ નહોતી ત્યારે પોતે પોતાની ગાડીમાં વ્હોરવા પહોંચી જતા...વૈયાવચ્ચ કરવી એ પોતાના આત્માનો નિજાનંદ રહેતો હતો. તેથી જ્યારે શ્રી ઊંઝા જૈન સંઘ દ્વારા બાલીસાણા મુકામે ઉપાશ્રયનું કામ ઉપડ્યું ત્યારે હોલ ઉપર નામ આપી લાભ લીધો હતો.
ભાડુ ખાતે ઊંઝા-મહેસાણાના વચ્ચે વિહારધામનું નિર્માણ થયું તે સંકુલમાં ઉપાશ્રયની મેઈન દરવાજાની ઉપર તકૃતીની સ્કીમમાં તેઓશ્રીએ લાભ લીધેલ છે.
પોતાની વિકાસગાથામાં આધ્યાત્મિક ચેતનાના સાથી બીલીમોરાના મોતીચંદભાઈ, ભીખાભાઈ પટેલ સાથે કોઈ તીર્થમાં રહી જ્ઞાનને મેળવવા ઉત્સુક રહી પોતાના આત્માને ત્યાગધર્મના રંગને પાકો કરતા રહ્યા. એશિયા ખંડમાં નામચીન ગંજબજારની સુપ્રસિદ્ધ પેઢી “શાહ કાન્તિલાલ લહેરચંદ એન્ડ સન્સ'ના નામથી જાણીતી છે. દેશાટન ૫૦ વર્ષ પહેલાં સમગ્ર ભારતનાં ગામેગામ, શહેરેશહેરે વેપાર અર્થે અને યાત્રાની ભાવનાથી તીર્થદર્શન કરી પોતાના કુટુંબને ધર્મમાર્ગમાં વાળી સાચા પથદર્શક બની શ્રાવકજીવનને ઉજ્જવળ બનાવી અને કુટુંબીઓની એકતાની ભાવનાનો મહાન સદગણ રેતીમાં મહેલ ચણવાનો બની રહ્યો હતો. તેમનો પુરુષાર્થ ગજબનો રહ્યો. જેમનું જીવન જ “જીવદયા” બની ગયું છે અને જેઓ દરેકના “દોસ્ત’ બની ગયા છે
એવા નોખી માટીના માનવી શ્રી કિશોરભાઈ શાહ
-હિતેશ સંઘવી (એન્ટવર્ષ) બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરની ધન્ય ધરા ગૌરવ લઈ શકે તેવી અનેક વિભૂતિઓ આ ધરતી પર જન્મી આજે વિશ્વસ્તરે વતન માતૃભૂમિને ગૌરવ અપાવી રહેલ છે. આવું ઉમદા વ્યક્તિત્વ ધરાવતી વિભૂતિઓ પૈકી શ્રી કિશોરભાઈ અમૂલખભાઈ શાહનું નામ ગૌરવ સાથે લેવું પડે તેમ છે. જીવદયા અને સામાજિક સેવા ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી
સ્વપ્ન શિલ્પાઆ છેલ્લાં ૨૫થી વધુ વર્ષોથી કરી રહેલા શ્રી કિશોરભાઈનું જીવન એટલી હદે જીવદયા સાથે વણાઈ ગયું છે કે તેમનું નામ જ લોકોએ “જીવદયા સાથે જોડી દીધું છે. આજે પણ તેઓ કિશોરભાઈ શાહ' નહીં બલ્ક ‘કિશોરભાઈ જીવદયા'ના નામે જાણીતા બન્યા છે અને “દોસ્ત'ના ઉપનામથી પણ ખ્યાત બન્યા છે. શ્રી કિશોરભાઈ શાહનું વ્યક્તિત્વ અને ઉદારતા એટલી ગહન છે કે તેની સપાટી કદાપિ માપી શકાય તેમ નથી. શ્રી કિશોરભાઈ શાહનો જન્મ ધાનેરા નિવાસી મણિબહેન અમૂલખભાઈ પ્રેમચંદભાઈ સવાણીના ગૃહાંગણે થયો હતો. તેમની માતૃભૂમિ ધાનેરા છે અને કર્મભૂમિ સુરત-એન્ટવર્ષ (બેલ્જિયમ) છે, પરંતુ આ નોખી માટીના માનવી સેવાક્ષેત્રને સમર્પિત થઈ ગુજરાત તેમ જ અન્ય વિસ્તારો સાથે પણ વતન જેટલી જ વહાલપ ધરાવે છે. તેમનાં પત્ની કોકિલાબહેન પણ પતિનાં પગલે ધર્મ અને સેવા કાર્યમાં હરહંમેશ સહયોગી બની અર્ધાગિનીની વ્યાખ્યાને સાર્થક કરી રહ્યાં છે, તો ‘વડ એવા ટેટા, બાપ એવા બેટા’ અને ‘મોરનાં ઈંડાને ચીતરવા ન પડે' તે લોકોક્તિઓને સાર્થક કરી તેમનાં સંતાનો મનીષ, મયૂર તથા મીનળ પણ સેવાક્ષેત્રે અને ધાર્મિક-સામાજિક કાર્યો સાથે વિશેષ લગાવ ધરાવે છે.
સુરત ખાતે વર્ષોથી કાર્યરત અને જીવદયા ક્ષેત્રે સતત કાર્યરત રહી આગવી નામના મેળવનાર શ્રી શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટ-સુરતના મુખ્ય આધારસ્તંભ એવા શ્રી કિશોરભાઈ શાહ (જીવદયા) વર્ષનો વધુમાં વધુ સમય ધંધાકીય ક્ષેત્રે એન્ટવર્પમાં ગાળે છે, પરંતુ તેમના જીવનની મુખ્ય કામગીરી તો પરોપકાર અને અબોલ જીવોની રક્ષા કરવાની છે. તેમણે પોતાના જીવદયા અને માનવતાનાં કાર્યોને વેગ આપવા જ સુરત ખાતે શ્રી શાંતિનાથ ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી હતી. શ્રી કિશોરભાઈ શાહે આ સંસ્થાનો ઘણો સુંદર અને પ્રભાવક વિકાસ કર્યો છે.
ઈગ્લેન્ડના લંડન ખાતે યંગ ઇન્ડિયન વેજિટેરિયન્સ સોસાયટી દ્વારા ક્વીન ગોલ્ડ જ્યુબિલીની ઉજવણી પ્રસંગે શાકાહાર તથા પ્રાણીઓની સુખાકારી માટે સક્રિય પ્રતિભાઓનું મહાવીર એવોર્ડથી સન્માન કર્યું હતું. દક્ષિણ લંડનમાં ક્વીન્સ ગાર્ડન ખાતે આયોજિત સમારોહમાં પાંચ વિભૂતિઓને આ એવોર્ડ એનાયત કરાયો હતો, જેમાં એક માત્ર ગુજરાતી એવા બેલ્જિયમ-એન્ટવર્પ સ્થિત શ્રી કિશોરભાઈ શાહ (જીવદયા)નો સમાવેશ થયો હતો. તેમની જીવદયા પ્રવૃત્તિની વિદેશની ધરતી પર થયેલ કદર માત્ર ધાનેરા જ નહીં, બનાસકાંઠા અને ગુજરાત
Jain Education Intemational
ation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org