________________
૩૦૮
પ્રતિમાઓ તથા અન્ય ધાતુની પ્રતિમાઓની પૂજા કરીને સ્નાત્રપૂજા, શાન્તિકળશ કરી ઘરે આવી સામાયિક લઈ સ્વાધ્યાય તથા જાપમાં બેસી જાય છે. રોજની લગભગ ૧૩૦-૧૩૫ માળા ગણે છે. વરસ દિવસે ૧૧ લાખ નવકારમંત્ર તથા અન્ય જાપ મળીને લગભગ ૪૫ લાખ જાપ થાય છે અને ૧૩૧ ઉપવાસ જેટલું તપ થાય છે.
મદ્રાસના આરાધનાભવનમાં મહારાજ સાહેબની નિશ્રા ના હોય ત્યારે કાન્તિભાઈ પ્રતિક્રમણ આદિ ભણાવે છે. અત્યાર સુધીના જીવનમાં કાન્તિભાઈએ ત્રણ ઉપધાન, ચાર વર્ષીતપ, વીસસ્થાનક તપ, કંઠાભરણ તપ, નિગોદનિવારણ તપ, ધર્મચક્ર તપ, શત્રુંજય તપ, પાંચ ચારમાસી તપ તથા અન્ય છૂટક તપ મળીને લગભગ ૧૯૫૦ ઉપવાસ કર્યા છે. નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૩૦મી ઓળી તથા એકાંતરે ૧૦૦૮ આયિબલ કર્યા છે.
પાલિતાણામાં શ્રી આદિનાથ દાદાની પાંચ વખત નવ્વાણું જાત્રા કરેલ છે અને એ સિવાય અન્ય છૂટક જાત્રાઓ મળીને લગભગ ૭૮૦ જાત્રાઓ કરેલ છે. નવ ઉપવાસ તથા દશ અઠ્ઠાઈ પૌષધ સહિત કરેલ છે અને અન્ય પૌષધો મળીને લગભગ ૭૮૦ પૌષધો કરેલ છે. પાલિતાણામાં પાંચ ચોમાસાં કરેલ છે તથા મદ્રાસમાં બાર વ્રત અંગીકાર કરેલ છે. શ્રી શંખેશ્વર તીર્થમાં ૨૩ દિવસ રહી આયંબિલ સાથે છ'રી પાળીને શ્રી શંખેશ્વર દાદાની ૧૦૮ જાત્રા કરી અને ગામનાં દરેક દેરાસરનાં દર્શન, પૂજન તથા ચૈત્યવંદન કર્યા. | સંવત ૧૯૯ત્માં પાલિતાણામાં પૂ.આ. દેવશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં મદ્રાસના શેઠશ્રી મૂલચંદ આસુરામે ઉપધાન તપ કરાવેલ ત્યારે શ્રી કાન્તિભાઈએ પ્રથમ ઉપધાન કરી મોક્ષમાળા પહેરેલ. દ્વિતીય ઉપધાન સંવત ૨000માં રાધનપુરમાં પૂ.આ. દેવ શ્રી જબ્બસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં કરેલ. તૃતીય ઉપધાન સંવત ૨૦૦૨માં થરામાં પૂ.આ. દેવ શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં કરેલ.
કાન્તિભાઈએ પ્રથમ વરસીતપનું પારણું પાલિતાણામાં, બીજા વરસીતપનું પારણું હસ્તિનાપુરમાં, ત્રીજા વરસીતપનું પારણું શ્રી કેસરવાડી તીર્થ, મદ્રાસમાં કરેલ અને શ્રી સંઘ સ્વામીવાત્સલ્ય જમણ કરેલ. ચોથા વરસીતપનું પારણું શ્રી કેસરવાડી તીર્થ પર કરેલ. શ્રી કાંતિભાઈ પાંચ જિનપ્રતિમા, પાંચ પાઠશાળા તથા પાંચ ઉપાશ્રયમાં સહયોગી બનેલ છે.
સ્વપ્ન શિલ્પીઓ શ્રી કાન્તિભાઈએ સાવOી તીર્થમાં શ્રી ગૌતમસ્વામીની પ્રતિમા ભરાવેલ છે. મદ્રાસના શ્રી ચન્દ્રપ્રભુ નવા મંદિરમાં શ્રી મલ્લિનાથ ભગવાનની પ્રતિમા ભરાવેલ છે. હરિદ્વારમાં શ્રી પાર્શ્વયક્ષની પ્રતિમા ભરાવેલ છે.
અંકેવાળિયા (ગુજરાત)માં શ્રી વાસુપૂજયસ્વામીની દેરીનો લાભ લીધેલ છે. સુજીપકુંજ-પાલડી, અમદાવાદમાં મૂળનાયક શ્રી કુંથુનાથ પ્રભુ બિરાજમાન કરી પ્રતિષ્ઠા કરેલ છે. રૂની તીર્થમાં મૂળનાયક શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુ ભરાવવાનો, પ્રતિષ્ઠા કરાવવાનો તથા કળશ ચઢાવવાનો લાભ મળેલ છે. શ્રી ચન્દ્રપ્રભુ નયા મંદિર, મદ્રાસમાં શિલાસ્થાપનાનો લાભ લીધેલ છે. મદ્રાસમાં માધાવરમમાં શ્રી સુમતિનાથ મંદિરમાં શિલાસ્થાપનનો લાભ લીધેલ છે. ૫.પૂ. આચાર્યદેવ શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી વિવેકાનંદ નગર, અમદાવાદમાં દેરાસર તથા ઉપાશ્રય માટે જગ્યા અર્પણ કરેલ.
શ્રી કેસરવાડી તીર્થ મદ્રાસમાં નૂતન મંદિરમાં ભૂમિપૂજનનો લાભ લીધેલ. શ્રી મુનિસુવ્રત સ્વામી નવગ્રહ મંદિર મદ્રાસમાં ભટ્ટશિલા સ્થાપનાનો લાભ લીધેલ. પૂનાના વીરાયતનમાં પંન્યાસપ્રવર ડૉ. અરૂણવિજયજી મ.સા.ના ઉપદેશથી આકાર પામતું વીસસ્થાનક યંત્ર મંદિરમાં સહયોગ આપેલ. શ્રી રૂની તીર્થમાં દેરાસર ફંડમાં સહકાર આપેલ. શ્રી કુમારપાળ સોસાયટી પાટણમાં દેરાસરના ફંડમાં સહકાર આપેલ. પૂ.આચાર્યશ્રી શાંતિચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી મુંદ્રા, કચ્છમાં બની રહેલ શ્રી અરનાથ પ્રભુના મંદિરમાં મૂર્તિ ભરાવવામાં સહકાર આપેલ.
કાન્તિભાઈનું મુખ્ય પ્રિય કાર્ય આયંબિલશાળાઓની સ્થાપના છે. તેમને આયંબિલ તપ અતિપ્રિય છે. અલગ-અલગ જગ્યાએ ૧૧ આયંબિલશાળા ચાલુ કરાવેલ છે. આના માટે જાતે ફરી ફંડ એકઠું કરી આયંબિલશાળાઓને સદ્ધરતા અર્પેલ છે. કંબોઈ (બનાસકાંઠા)માં આયંબિલખાતામાં સારું ફંડ કરાવી
ભુવન તથા હૉલનો લાભ લીધેલ છે. થરામાં પાવાપુરી સોસાયટીમાં આયંબિલ ખાતામાં લાભ લીધેલ છે. રાણીપ (અમદાવાદ)માં આયંબિલભુવનનો લાભ લીધેલ છે. શ્રી કુલપાકજી તીર્થમાં શેઠશ્રી કેવળચંદજી ખટોડ સાથે મળીને આયંબિલશાળામાં લાભ લીધેલ.
રાજકોટમાં કાયમી ઓળી કરાવવાનો લાભ લીધેલ છે.
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org