________________
૩૦૬
કલકત્તા થોડાં વર્ષ ગાળ્યાં પણ ત્યાં પણ ધંધાને બદલે વધુ ને વધુ ધર્માભિમુખ રહેવા લાગ્યા.
ધ્રાંગધ્રા તપાગચ્છ સંઘનો ઉપાશ્રય જીર્ણ હોવાથી નવેસરથી બાંધવાનું નક્કી થતાં શ્રી કાંતિભાઈએ જાતદેખરેખથી ઉપાશ્રયનું કાર્ય પૂર્ણ કરાવ્યું, જેમાં તેમને સહયોગ આપનાર તેમનાં ધર્મપત્ની કાંતાબહેન આજે ૮૫ વર્ષની ઉંમરે ગર્ભશ્રીમંતનાં દીકરી હોવા છતાં સાદું-સેવાભાવી અને પરોપકારી જીવન જીવે છે. પરિવારમાં એક જ દીકરી સરોજબહેન તેમણે પણ માતા-પિતાની સેવા ખાતર આજીવન બ્રહ્મચર્યવ્રત ઉચ્ચરેલ છે. તેઓ હાલ શિક્ષણસંસ્થામાં સેવા આપી રહ્યાં છે કે માતા-પિતાના સંસ્કારવારસાને ઉજાળી રહ્યાં છે. શ્રી કાંતિભાઈ ૯૨ વર્ષની ઉંમરે પણ સારી તંદુરસ્તી ધરાવે છે. કાંતિભાઈને આખું ગામ “દાદા’ કહીને સંબોધે છે. ધ્રાંગધ્રા શ્રીસંઘનો અભ્યદયસમય શરૂ થયો ત્યારે સાધુ-સાધ્વીનાં, મહારાજોનાં આવાગમન અને ચોમાસાં થવાં લાગ્યાં. સંઘમાં ધાર્મિક ક્રિયાઓ, દીક્ષાઓ થવા લાગી, જેમાં દોઢ દાયકાથી તેઓએ સક્રિય સેવા આપી છે
મહેસાણા જૈન પાઠશાળાના સંચાલન દ્વારા સૌનો પ્રેમ સંપાદિત કર્યો. હાલાર આદિ વિવિધ સ્થળોએ રહીને નુતન ઉપાશ્રયો, દેરાસરોમાં ધાર્મિક શિક્ષણનો પ્રચાર-પ્રસાર કર્યો. પુનઃ વતનમાં પધારતાં શ્રીસંઘે તેમના હસ્તે ઉપાશ્રયનું વિસ્તૃતીકરણ કરાવ્યું. આફ્રિકા વગેરે દેશોમાં પણ પૂ. આચાર્ય કુંદકુંદસૂરિજીના ધર્મસાહિત્યનો પ્રચાર કરી ધર્મપ્રભાવનામાં લોકોનો વિશ્વાસ અને આદર પામ્યા. સુરેન્દ્રનગરની જૈન બોર્ડિગના સંચાલનમાં સેવા ઉપરાંત પાલિતાણાની મુક્તિનિલય ધર્મશાળા, હસ્તગિરિ તીર્થોદ્ધાર વગેરે કાર્ય સુંદર રીતે પાર પાડ્યાં. જૈન સંસ્થાઓએ સોપેલા લાખો રૂપિયાનો વહીવટ તેઓએ યશસ્વી રીતે નિભાવ્યો.
સં. ૨૦૪ માં શ્રી તપાગચ્છ સંઘની વિનંતીથી વાડીનું કામ ઉપરાંત સંઘનાં ભાઈબહેનોના બંને ઉપાશ્રયોનું વિસ્તૃતીકરણ તેમ જ કુમાર પાઠશાળાનાં નૂતન મકાન તેમના હસ્તે અને યોગદાનથી થયાં. હાલ ધ્રાંગધ્રા પેઢી સંચાલિત શ્રી અજિતનાથ જૈન દેરાસરના વિશાળ મંડપનું કામ નવેસરથી તૈયાર થઈ રહ્યું છે. ધન અને માનપાનથી નિર્લેપ અને પ્રામાણિકતા, નિસ્વાર્થતાને કારણે સૌની મુક્ત કંઠે પ્રશંસા પામ્યા અને અનેક સમ્માનોથી વિભૂષિત થયા. અમદાવાદજામનગરની તેમની સેવા પણ ચિરંજીવી બની રહેશે. સુકલકડી
સ્વપ્ન શિલ્પીઓ કાયા પણ હૃદયમાં શ્રદ્ધાનો ઝળહળતો દીવડો અને પ્રતાપી પિતાના પગલે ચાલનારા, સાધુ સાધ્વીઓની વૈયાવચ્ચ કે પાંજરાપોળનો વહીવટ, સમાજના દરેક કાર્યમાં પિતા-પુત્રનું યોગદાન અનુમોદનીય અને વંદનીય રહ્યું.
સમ્યગૃજ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે તેમની પ્રેરણાથી શ્રી ધ્રાંગધ્રાથી તપાગચ્છ જૈન સંઘ દ્વારા અલભ્ય-અમૂલ્ય પુસ્તકો સ્વ. પંડિત શ્રી પન્નાલાલ જગજીવનદાસ ગાંધી દ્વારા ચિંતન કરેલ પુસ્તકો ૧. સ્વરૂપમંત્ર, ૨. સૈકાલિક આત્મવિજ્ઞાન, ૩. સ્વરૂપ ઐશ્વર્ય વગેરે પ્રકાશિત થયાં. તેમ જ પાલિતાણામાં હિંમતવિહાર ધર્મશાળામાં પૂ. સાધુ, સાધ્વીજી અને ભગવંતોને ભણાવવા માટે ચાલતી પાઠશાળામાં પ્રતિ વર્ષ 60,000 રૂપિયા શ્રી ધ્રાંગધ્રા તપાગચ્છ સંઘ તેમના માર્ગદર્શનથી આપે છે, જે તેમની સમ્યજ્ઞાનની ભક્તિ-રુચિ દર્શાવે છે.
તેમની પ્રેરણા અને માર્ગદર્શન નીચે શાહ મગનલાલ ચકુભાઈ પરિવારે ધ્રાંગધ્રામાં અંજનશલાકા પ્રતિષ્ઠામહોત્સવ કરાવેલ. ધ્રાંગધ્રા દેરાસરજીના રંગમંડપનું કાર્ય પૂર્ણ થયું અને શ્રી ગાંધીને યશ મળ્યો. ધ્રાંગધ્રા નજીકમાં ચુલી ગામ વિહારમાં આવે છે, ત્યાં ઉપાશ્રયના વિસ્તૃતીકરણ કાર્યમાં પણ વિદેશની એક પાર્ટીના સહયોગથી સારી રકમનો ખર્ચ કર્યો. શ્રી કાન્તિભાઈની ઇચ્છાથી તપાગચ્છના સંઘના ઉપાશ્રયમાં નવકારમંત્રની પીઠિકાનું કાર્ય પણ ચાલુ થયું અને પૂર્ણ થતાં દાતાના હાથે સંઘને અર્પણ સમારંભ પણ યોજાઈ ગયો. આવી પીઠિકા હાલારમાં આરાધના ધામ પછી ધ્રાંગધ્રામાં એ જાતની આ બીજી પીઠિકા હશે. આ કાર્યમાં નવકાર મંત્રના મહિમાને વધારતી ઘણી યોજનાઓનું સર્જન થશે. આ બધાં કાર્યોમાં શ્રી કાન્તિભાઈને સંઘ, સમાજ અને પૂજ્યોનો ઘણો સહયોગ મળ્યો છે. પોતાની શક્તિ મુજબ ધર્મકાર્યોમાં ઘણું બધું કાર્ય કરી રહ્યા છે, વળી શ્રી ધ્રાંગધ્રા પાંજરાપોળની નવી જગ્યા જે ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ ઉપર આવેલ છે તેના બાંધકામમાં કાંતિભાઈને ટ્રસ્ટીઓએ વિનંતી કરતાં તે સ્વીકારી હાલ તેમાં સેવા આપી રહ્યા છે અને ત્યાં વિશ્રાંતિગૃહ બંધાવી આપવામાં આર્થિક સહાય પણ આપેલ છે. ધન્યવાદ!
તે ઉપરાંત ત્યાં સિદ્ધગિરિનો પટ બનાવી તેનું મંદિર બનાવી આપેલ છે. ત્યાં દર વરસે ફાગણ સુદ ૧૩ના મેળો ભરાય છે તેની યાત્રાએ આવેલ યાત્રાળુઓને બુંદી, સરબત, ફૂટ વ.ની ભક્તિ થાય છે, તથા ત્યાં રહેલ ગાયો, વાછરડાં,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org