________________
સ્વપ્ન શિલ્પીઓ
મહાન આચાર્યોશ્રી તથા મુનિ ભગવંતોશ્રીના શુભ આશીર્વાદ પણ પ્રાપ્ત કરેલ છે, જે તેમના જીવનની એક સિદ્ધિ ગણે છે.
વિધવિધ સ્થાનોમાં લાભ લઈ મળેલ પુણ્યલક્ષ્મીને સાર્થક કરી : * મોરબીમાં સંપૂર્ણ કાચના શ્રેષ્ઠ કામગીરીવાળા નયનરમ્ય જિનાલયનું નિર્માણ (સમસ્ત મચ્છુકાંઠા સમાજમાં જિનાલયનિર્માણનો લાભ પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ અને એક જ છે.) * મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનની અંજનશલાકા-પ્રતિષ્ઠા, કાયમી ધ્વજાદંડનો લાભ * ભાયંદરના જિનાલયમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનની પ્રતિષ્ઠા * ગોધરામાં શ્રી ચન્દ્રપ્રભુસ્વામીની પ્રતિષ્ઠા * રાજકોટમાં મંગલમૂર્તિની પ્રતિષ્ઠા * અયોધ્યાપુરમાં શ્રી મેહુલ કાંતિલાલ શાહ આયંબિલભવન * કાવી તીર્થમાં ‘શ્રીમતી ચંદ્રકલાબહેન કાંતિલાલ શાહ ભાતાગૃહ'નો લાભ * ડભોઈમાં નૂતન ઉપાશ્રય * મોરબીમાં શ્રી ચન્દ્રરેખા જૈન પાઠશાળા * માતુશ્રીની સ્મૃતિમાં મોરબી શ્રાવક-શ્રાવિકા ઉત્કર્ષનો લાભ * મુંબઈની ૨૫૩ પાઠશાળા માટે મોરબીનિવાસી શાહ સુખલાલ રા. કાગદી શ્રેષ્ઠ પાઠશાળા નામક ચાંદીનો શિલ્ડ તથા પારિતોષિક * શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમમાં અનામત સીટો * પૂજ્યો લિખિત પુસ્તકોનાં વિમોચનનો લાભ તથા યાત્રા-પ્રવાસમાં અનેકવાર સંઘવીનો લાભ * મોરબીમાં શ્રી સુમતિનાથનગર સંઘમાં શ્રીમતી ચન્દ્રકળાબહેન કાન્તિલાલ શાહ આયંબિલ શાળા તથા શ્રી કાંતિલાલ સુખલાલ શાહ, જૈન પાઠશાળાનો લાભ તથા ચૈત્ર માસની ઓળી (પારણાં સાથે)નો લાભ * બોરીવલી સિમ્પોલીમાં શ્રી મેહુલ જૈન પાઠશાળાનો લાભ * સમાજના ૭૫ વર્ષના ઇતિહાસમાં નેત્રચિકિત્સા માટે સૌ પ્રથમ મોટી રકમનું અનુદાન * જ્ઞાતિના સેવાસમાજમાં ઘણાં વર્ષોથી રસ લઈને સંસ્થાને અનાજવિતરણ ક્ષેત્રે પ્રથમ હરોળમાં મૂકવામાં તેઓશ્રીનો અમૂલ્ય ફાળો * નયનરમ્ય શ્રી મલ્લિનાથ તીર્થ, દહાણુમાં ટ્રસ્ટીપદે સેવા * શ્રી આગમમંદિર, પૂનામાં શ્રી ચતુઃશરણ પયન્ના નામક આગમ સુવર્ણાક્ષરે લખાવવાનો લાભ * ઘાટકોપર નવરોજી જૈન સંઘ મધ્યે નૂતન આરાધનાભવનમાં માતબર રકમ દ્વારા ભવ્યાતિભવ્ય મોક્ષ સીડીનો લાભ લીધેલ. * શ્રી નવરોજ લેન જૈન સંઘના અતિ ભવ્ય દેરાસરજીના નિર્માણમાં પાયાના પત્થર તરીકે ખૂબ મોટા પાયે અનુપમ ભોગ આપેલ હતો.
તેઓશ્રીએ મુંબઈ જૈન પત્રકારસંઘના ઉપપ્રમુખ તરીકે ઘણાં વર્ષો સુધી સેવા આપેલ છે. તેમજ ભારતભરના જૈન પત્રકાર માટે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડનું આયોજન કરેલ છે.
Jain Education International
૩૦૫
સમ્મેત-શિખરજીનો પ વખત યાત્રાપ્રવાસ અને સમસ્ત તીર્થયાત્રાઓ અવારનવાર કરેલ છે. જૈન કલ્યાણ માસિકના તેઓ ઘણાં વર્ષોથી માનદ્ ટ્રસ્ટી છે. મોરબી વીસા શ્રીમાળી જ્ઞાતિના ટ્રસ્ટી તથા ઘાટકોપર મચ્છુકાંઠા મિત્ર મંડળના સ્થાપકપ્રમુખ તરીકે સેવા આપી રહેલ છે. તેમની પ્રત્યેક પ્રવૃત્તિમાં ધર્માનુરાગિણી ધર્મપત્ની ચન્દ્રકળાબહેનનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહેલ છે. તેમનું જીવન ધર્મમય અને તપમય છે. ધર્મ પોતાના પૂરતો સિમિત ન રાખતાં આ ધર્મપ્રેમી દંપતીએ ધાર્મિક સુસંસ્કારોનું સિંચન તેમના સુપુત્રો શ્રી અશોકભાઈ, કેકીનભાઈ, પરેશભાઈ, મેહુલભાઈ તથા પુત્રવધૂ અ.સૌ. કલ્પનાબહેન, નિલનીબહેન, મયુરીબહેન, ભાવનાબહેન તથા પૌત્રોમાં કરેલ છે.
આ પુણ્યશાળી પરિવારે સમાજના મોવડી મંડળ અને યુવક મંડળને પ્રસંગોપાત કાયમી ફંડોમાં સારું એવું યોગદાન આપેલ છે. આ રીતે જિનાજ્ઞા મુજબ સાતેય ક્ષેત્રમાં અતિ સુંદર સુકૃતો કરેલ છે, જેમાં જિનાલયનિર્માણ, અંજનશલાકાપ્રતિષ્ઠાઓ, ઉપાશ્રય, ભાતાગૃહ, ૨ આયંબિલશાળા, ૩ પાઠશાળા, શ્રાવક–શ્રાવિકા ઉત્કર્ષ વગેરે ખાસ નોંધપાત્ર છે.
આ ધર્મપ્રેમી પરિવાર તરફથી સમાજની ઓફિસમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો ફોટો મૂકવા અર્થે રૂા. ૫૧,૦૦૦=૦૦નું અનુપમ યોગદાન આપેલ છે. તેઓશ્રી હજુ પણ ઉત્તરોત્તર પ્રગતિ કરી પ્રાપ્ત થયેલ લક્ષ્મીનો સદ્બય કરે એ જ એક મનોકામના. મોરબી નિવાસી સ્વ૦ સમજુબહેન સુખલાલ શાહ જેમના આત્માની અમો શાંતિ ઇચ્છીએ છીએ. અનેક સમ્માનોથી વિભૂષિત
શ્રી કાંતિલાલ સોમચંદ ગાંધી
સંઘ અને શાસનને છેલ્લી સદીમાં જે ગૌરવશાળી કર્મઠ કાર્યકરો મળ્યા તેમાં ધ્રાગંધ્રાના ધર્મપરાયણ શેઠશ્રી કાંતિલાલ સોમચંદભાઈ ગાંધીનું યોગદાન પણ અવિસ્મરણીય છે.
ધ્રાંગધ્રા રાજ્યમાં માનભર્યું સ્થાન ધરાવતા દશાશ્રીમાળી જૈન જ્ઞાતિના સોમચંદ ગાંધીનાં ધર્મપત્ની ગંગાબહેનની કૂખે સંવત ૧૯૬૮માં કાંતિલાલનો જન્મ થયેલ. ગંગાબહેન સરળ, સાદાં અને ધર્મભાવનાથી રંગાયેલાં અને બિલોરી કાચ જેવું નિર્મળ જીવન જીવતાં. કાંતિભાઈનો ઉછેર ધાર્મિક વાતાવરણમાં થયો. શિક્ષણમાં બહુ મન ન લાગવાથી નોનમેટ્રિકે અભ્યાસ છોડી ૧૯ વર્ષની વયે ધંધાર્થે મુંબઈ–
For Private & Personal Use Only
www.jainelibrary.org