________________
૨૯૬
પરંપરિત ભજનિક સંતોનાં અતિ પ્રચલિત એવાં લોકપ્રિય ભજનોના ઢાળ પસંદ કરીને કાગબાપુએ નવાં ભજનોનું સર્જન કર્યું છે. “કર મન ભજનનો વેપાર....”; “જી રે વટાવડા વાટના...વાટે ઘાટે રે વિલંબ ન કીજીયે....'; “રંગાવો રામાં ચૂંદલડી...” અને પ્રભાતી, પરજ, આરાધ, કટારી, પ્યાલો, સંદેશો વગેરે ભજન-પ્રકારોના વિવિધ ઢાળઢંગ પોતાની રચનાઓમાં પ્રયોજીને કવિ કાગ પ્રાચીન ભજન પરંપરા સાથે પોતાનું અનુસંધાન જાળવી રાખે છે. કે “આવશે નિરધાર, ઈ છે નોધારાના આધાર,
ધણી તારો આવશે નિરધાર જી.. ચિત્ત રાખે સાવ સાચું, તે રૂપી તલવાર જી મોહ મનનો મારજે પણ,
હિંમત કોઈ દિ ન હાર... ન ધણી તારો આવશે નિરધાર જી...",
કોઠે કરાર રાખીને, અતૂટ શ્રદ્ધા-અડગ વિશ્વાસ રાખીને નિરાંતે જીવે તો કોક સંત-કોક ભગત-કોક અવધૂત જ જીવી શકે. આટલો ભરોસો હોય પછી પણ
“અણુ અણુમાં ઈશ્વર! તારો, ભાસે છે ભણકાર છે, ‘કાગ’ કહે કઠણાઈથી તોયે આવે નહીં ઇતબાર, વાટેલા તારી કળા અપરંપાર જી...”
“કીડીનાં આંતર કેમ ઘડિયાં” માફક જગતની રચના વિશેના સનાતન પ્રશ્ન છેડે છે. એમાં માયાની કઠણાઈને કારણે
ક્યારેક શ્રદ્ધા ડગી જાય, મનુષ્યના જીવનમાં એ જ ખૂબી છે ને? કાયમ અટલ-અછલ ન રહી શકે. કાગબાપુ એ જ હકીકતને પોતાની ભજન રચનાઓમાં ઘૂંટી ઘૂંટીને મૂકે છે.
“ભાઈ! તારો હેંકે ફૂલડાંનો બાગજી”
ટા
ક
સ્વપ્ન શિલ્પીઓ આ ભજનો કવિના ગળામાં ચૂંટાઈ ઘૂંટાઈને બહાર આવ્યાં છે એટલે ગવાય છે ત્યારે સુંદર લાગે છે. જૂની શૈલી અને જૂના ભાવો હોવા છતાં કેટલાંક ભજનો કવિના અંતરની આરજૂ તેમનું સાચું ભક્ત-હદય દાખવી રહે છે.
પગ મને ધોવા દ્યો રઘુરાયજી જ પ્રભુ! મને શક પડ્યો ઈ મન માંય,..
પગ મને ધોવાદ્યો..૦ રામ-લક્ષ્મણ-જાનકીના તીર ગંગાને જાય છે નાવ માગી નીર તરવા, ગુહ બોલ્યો ગમ ખાઈ...
જ પગ મને ધોવા દ્યો...૦ નાઈની કદી નાઈ લ્ય નહીં, આપણ ધંધા ભાઈ ‘કાગ’ લિયે નહીં ખારવાની, ખારવો ઉતરાઈ...
કર પગ મને ધોવાયો...” મિત્રોની, સંબંધીની, સ્નેહીજનની વફાદારી કેવી હોય એનું દૃષ્ટાંત આ ભજન પૂરું પાડે છે. “વડલો કહે છે વનરાયું સળગી, મેલી દિયો ને જૂના માળા, ઊડી જાવ પંખી પાંખોવાળાં....” એમાં છેલ્લે “ભેળા જીવશું, ભેળા મરશું, ભેળા ભરશું ઉચાળા....” જેવો સમર્પણનો સંદેશ અહીં અપાયો છે, તો પ્રેમલક્ષણા ભક્તિનાં કૃષ્ણવિરહનાં ભજનોમાં કવિ શ્રી કાગબાપુની કલમ પરંપરાની વાણીમાં નવો પ્રાણ પૂરે છે. “કાનુડાને વિજોગે વેરાગણ થઈ રે...સાહેલી! હું તો વિજોગે વેરાગણ થઈ....” એનું નામ ફકીર જેની મેરુ સરખી ધીરજગમાં એનું નામ ફકીર” જેવી શરૂઆતથી “વિપતથી વણસે નિંઈ એનું સંતોષી શરીર જી.” પંક્તિઓથી પૂરું થતું ભજન ધીર-ગંભીર ભાવ પેદા કરી શકે છે, તો “માનવસંહાર’માં કવિ ઈશ્વરને માનવજીતને યુદ્ધપ્રિયતામાંથી પાછી વાળવા વિનવે છે. તેની છેલ્લી પંક્તિઓ કવિનો મનોભાવ પૂર્ણતઃ વ્યક્ત કરે છે : “કાગ ફૂલડાંને માથે હળ તો હંકાણાં, વાલા! તારી વાડીઉંમાં આદુ વવાણાં રે નારાયણ! ક્યારે ન્યાળશો જી?”
દ્વારિકામાં દર્શને ગયા ત્યારે ભગવાન કૃષ્ણને ભક્તસુલભ પ્રશ્ન કરે છે કે–
“વાલા! તમે સખડાં લીધેલાં કે સંતાપ રે!
જન્મીને જુદકુળમાં જી..." . લાખા લોયણનાં ભજનોના ઢંગમાં રચાયેલાં કેટલાંયે ભજનો અત્યારે યાદ આવે.
- જેનાં ચિત્તડાં ચડેલાં ચકડોળ રે. . સમજણ એને શું કરે હો જી? જેનાં હૈડાં માયામાં હાલકલોળ રે ગુરુજી એને શું કરે હોજી..” નો
પ્રભુવિરહનાં પદોની સાથો સાથ જે દઢ વિશ્વાસ છે એક ભક્તહૃદયને કે–
“રાત દિ' એનું રટણ કરજે, ઈ છે ખૂબ ઉદાર જી; ‘કાગ’ તું કલ્પાંત કર મા, કોઠે રાખ કરાર...ધણી તારો આવશે નિરધારજી...”
Jain Education Intemational
ucātion Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org