SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ 38 સ્વપ્ન શિલ્પીઓ “હે જી રે બાપુ! મનડું ન માને એને કેમ મનાવું હે જી ઈ તો દૃઢતા વિનાનું જ્યાં ત્યાં ઘોડે રે હાં....' ★ “હે જી રે બાપુ! કરજો ભજન એનો ભરોસો ન કરજો હો જી... અને દુઃખ તો અનાથનાં હરજો રે હાં... હે જી રે બાપુ! ‘કાગ' રે વૃત્તિનો તમે ત્યાગ કરીને જી... તમે ધારણ હંસ તણી ધરજો રે હાં......' મેરુભા મેઘાણંદ ગઢવી (લોકગાયક–ભજનિક) જન્મ : વિ.સં. ૧૯૬૨, ફાગણ સુદ ૧૪, છત્રાવા. નિર્વાણ ૧-૪-૧૯૭૭, પોરબંદર. એમનો મૂળ ભાવ તો ભજનનો જ....એમના કંઠ અને કહેણીનો મેરુદંડ હતો ભક્તિ. એ ભક્તિમાંથી જ આરાધના ભજનનો મોરલો ગહેકતો રહેતો. પિંગળશી મેઘાણંદ ગઢવી જન્મ : ૨૭-૭-૧૯૧૪, વિ.સં. ૧૯૭૦, છત્રાવા, ભજન-કાવ્યસંગ્રહો : સોરઠ સરવાણી, વેણુનાદ, આરાધ, નિજાનંદ કાવ્યધારા “તારો ભરતજી ભલે ને ગાદીએ આવે રે, વન નો દે મારા રામને જી... હજી માગી લે ભલે તું મનને ભાવે રે, વન નો દે મારા રાજા ને...” ★ “સાધો! સંસારીની શેરી વાંકી ફૂંકી વિધન ભરેલી, તેમજ છે બહુ ગહેરી... સાધો સંસારીની શેરી....' “નામ ને ભરોસે નીરમાં, અમે હાંકી નાવડી અમે હાંકી નાવડી, તમે ઝાલો બાવડી રે.. નામ ને ભરોસે નીરમાં....' “મનવા! શું કરે મારું મારું, આમાં તલ ભારેય નહીં તારું...મનવા!...'' Jain Education Intemational ૨૯૭ નારાયણ સ્વામી/શક્તિદાન ગઢવી (ભજનિક) ગઢડા પાસેના આંડિયા ગામે લાંગવદરા શાખાના ચારણ મહિદાનજીને ત્યાં વિ.સં. ૧૯૯૪, અષાડ સુદિ ૨, તા. ૨૯-૬-૧૯૩૮ના રોજ શક્તિદાન ગઢવીનો જન્મ થયો. માતાનું નામ હતું જીવુબામા. ૧૦ વર્ષની ઉંમરે સ્વામી પ્રેમદાસજી ગુરુ રામદાસજી અને સ્વામી હરિહરાનંદજી જેવા સંતોનો સત્સંગ. હલેંડામાં ઈ.સ. ૧૯૬૯માં સન્યસ્ત દીક્ષાનો આદેશ. ઈ.સ. ૧૯૭૩માં હરદ્વારમાં સ્વામી ઈશ્વર ભારતીજીના ગુરુપદ નીચે સ્વામી નારાયણનંદ સરસ્વતી નામે સંન્યાસી થયા. માંડવી ચપલેશ્વર મંદિર, બિદડા, જૂનાગઢમાં આશ્રમો. આજની પરિસ્થિતિ આજના સમયમાં તો લોકસાહિત્ય અને ચારણ એ બંને શબ્દો જાણે એકબીજાના પર્યાય બની ગયા છે, આજે જનસમુદાયમાં એવો ભ્રામક ખ્યાલ પ્રવર્તે છે કે ગઢવી કલાકારો જે રજૂ કરે તે લોકસાહિત્ય અને આજના કેટલાક કલાકારો પણ ‘અમારું લોકસાહિત્ય.' એમ કહીને શુદ્ધ ડિંગળી શૈલીનું ચારણી સાહિત્ય, વ્રજભાષાનું સાહિત્ય કે રામચરિત માનસની ચોપાઈઓ રજૂ કરતા હોય ત્યારે ચારણી સાહિત્ય, સંતસાહિત્ય, લોકસાહિત્ય અને લોકપ્રિય સાહિત્ય એ ચારેય એકમેકથી તદ્દન જુદી જ સ્વતંત્ર ધારાઓ છે, એનાં લક્ષણો જુદાં છે, એની ભાષા શૈલી રજૂઆતમાં અનેકગણો તફાવત છે એવું પોકારી પોકારીને કેટલીક જગ્યાએ કહેવું? ડાયરાઓ અને જાહેર કાર્યક્રમોમાં આજે રજૂ થતા ટુચકાઓ, સસ્તી મનોરંજક જોક્સ, મન ફાવે તેવાં અર્થઘટન કરીને ભારતીય હિન્દુ સંસ્કૃતિના દેવીદેવતાઓનાં સ્વરૂપ, કાર્યો કે તત્ત્વદર્શનની ઉડાવાતી ઠેકડીને જ આજનો શ્રોતાવર્ગ લોકસાહિત્ય તરીકે ઓળખે છે. શુદ્ધ લોકવાર્તા, લોકગીતો કે લોકજીવનની મર્માળી વાતોનો દુષ્કાળ વરતાય છે ત્યારે લોકસાહિત્યની અને સંતસાહિત્યની સમૃદ્ધ પરંપરાને નુકસાન પહોંચાડવાનો આરોપ પણ આજના કેટલાક કલાકારોના શિરે જાય છે. જે જાતિ વિશેષ દ્વારા લોકવાડ્મયની તમામ શાખા–પ્રશાખાઓના પ્રચાર–પ્રસાર, સંવર્ધન, જતન, સંરક્ષણ, પોષણ અને રજૂઆતોનું ગૌરવવંતું કાર્ય થતું રહ્યું છે. એ જ જાતિવિશેષના કલાકારો દ્વારા પાર વિનાની વિકૃતિઓ આવે એવા સમયગાળામાં આપણે બેઠાં છીએ ત્યારે આ અંગે આત્મચિંતન પણ જરૂરી છે જ... For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy