________________
સ્વપ્ન શિલ્પીઓ
આપેલો એટલો જ ભર્યો છે. દવારામ વિનવણી કરે છે, “ભાઈ! મને રજા ઘો, મારાથી વેપાર મૈં થાય, હવે તો હરિનામનું હાટ માંડવું છે...” અને દવારામે ત્યારથી દુકાન છોડી. સવારના પહોરમાં ખભે કાવડ લઈ લોટ માગવા નીકળે. જે કંઈ ભિક્ષા મળે એમાંથી દવારામના મા રોટલા ઘડી આપે. સદાવ્રત ફરી ચાલુ થયું છે, સાધુ-સંતોની વણઝાર આવ્યા જ કરે. એવામાં માનું અવસાન થયું. ભાભીએ રોટલા ઘડી આપવાની ના પાડી એટલે દવારામે ગામની બહાર એક ઝૂંપડી બાંધી ધરમની ધજા ખોડી.
દવારામ પોતે અનાજ માગી લાવે, દળણાં દળે, પાણી ભરે ને સાધુ-સંતોની સેવા કરે. અનેક સંતો-મહાત્માઓનો પરિચય થતો જાય. સેવાની સાથોસાથ ભક્તિ ને જ્ઞાન વધતાં જાય છે. ત્યાં ભાણવડથી એકાદ ગાઉ આઘે વરત. વેરડી ને સોનમતી નદી જ્યાં ભેળી થાય છે, ત્યાં ત્રિવેણીએ એક ખાખી સાધુ નરસંગદાસજી પધાર્યા. નરસંગદાસજીએ દવારામની ખ્યાતિ સાંભળેલી, અવારનવાર દવારામને મળવા ભાણવડ આવે. દવારામ પણ નરસંગદાસજી સાથે સત્સંગ કરવા ત્રિવેણી પહોંચી જાય. એકવાર નરસંગદાસે દવારામને હાથે રોટલા ઘડતાં દળણાં દળતાં જોઈ મનમાં વિચારી લીધું કે આનું ઘર અજવાળે એવા ભંડારી મળે તો દવારામ વધુ સાધુ-સંતોની સેવા કરી શકે. જ્ઞાતિ દ્વારા તો દવારામનો બહિષ્કાર થયેલો પણ નરસંગદાસજીએ દવારામના મોટાભાઈને મળીને જામજોધપુર ગામના કાનાણી કુટુંબના એક ભક્ત લોહાણાની દીકરી જમનાબાઈ સાથે દવારામને પરણાવ્યા. પછી તો ભગત ને ભંડારી, જતિને સતીએ સેવા કરવામાં પાછું વળીને જોયું નહીં. લાલજી મહારાજનું સ્મરણ કરીને હરિહરની હાકલું થાવા માંડી. થોડો વખત જતાં નરસંગદાસજીએ સમાધિ લીધી. ભાણવડ ગામ એ સમયે જામનગર રાજય નીચે, એકવાર જામસાહેબ ભાણવડ આવ્યા. ભગતની ઝૂંપડીએ આવી એમની સંતસેવા જોઈ. પોતે સંતો સાથે પ્રસાદ લેવા બેસી ગયા. અંગરક્ષકોએ આનાકાની કરી, “બાપુ! રાજના નિયમ પ્રમાણે આપનાથી બહારની વસ્તુ ચકાસ્યા વિના ન ખવાય.” પણ જામ વિભાજી (ઈ. ૧૮૫૨–૧૮૫)એ પ્રેમથી પ્રસાદી લીધી. એ પછી દર વરસે બે ગાડી અનાજ જગ્યામાં મોકલતા. ગામગરાસ આપવા જામસાહેબે પ્રયત્ન કરેલો, પણ દવારામે તેનો અસ્વીકાર કર્યો. દવારામની ખ્યાતિ વધતી ચાલી. જામનગર નજીક રંગમતી નદીને કાંઠે રહેતા મૂંડિયા સ્વામીએ
૨૮૯ સંતમેળો કર્યો ત્યારે યાત્રાળુઓ માટે સાકરવાળા મીઠા પાણીનું પરબ દવારામજીએ ખોલાવ્યું. ત્રણ દિવસ સુધી અનેક સંતભક્ત-મહંત-યોગી-સિધ્ધ ને યાત્રાળુઓને દવારામે શરબત પાયું. દવારામજીને ત્યાં સંતાન તરીકે વલ્લભરામનો જન્મ થયેલો. તેઓ પણ પિતાને પંથે ચાલીને સદાવ્રતની સેવા કરતા. આમ કરતાં વિ.સં. ૧૯૮૨ની સાલ આવી. કારતક મહિનો પૂરો થવાનો હતો, ત્યાં દવારામજીએ મહાત્મા ત્રિકમાચાર્યજીને બોલાવ્યા. સત્સંગ કરી, પોતાના પુત્ર-ભાઈ-ભત્રીજાઓ અને સંત-સેવકોને બોલાવી દ્વારકાની છેલ્લી યાત્રા કરી લીધી. ગોમતીમાં સ્નાન કરી છેલ્લાં રામરામ કરતાં આટલું બોલ્યા : “મારા મૃત્યુ પછી મારા દેહને ભૂસમાધિ દેતા નહીં, મારા અસ્થિ (ફૂલ)ને પણ સમાધિ દેવાની નથી. શરીરને અગ્નિસંસ્કાર પણ ન કરવો, કારણ કે લાકડાં સાથે હજારો જીવ બળી મરે. પણ દેહને દરિયામાં પધરાવી જલદાહ આપજો.” વિ.સં. ૧૯૮૨ના માગશર સુદ ૪ને ગુરુવારે દવારામજીએ ૭૭ વર્ષનું આયુષ્ય ભોગવી પોતાની જીવનલીલા સંકેલી લીધી. એમના વંશજોએ એમની આજ્ઞા પ્રમાણે જલદાહ આપ્યો અને તેમની સેવા–ભક્તિની પરંપરા જાળવી રાખી. જે આજ સુધી સતધરમની ધજા ફરકાવતી ભાણવડને આંગણે દવારામની સેવાસુવાસ ફેલાવી રહી છે. દૂધરેજ વડવાળા ધામના સ્થાપક સંત
કવિ આંબા છઠ્ઠા ઝાલાવાડ પ્રદેશ તરીકે ઓળખાતા આજના સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રગરથી માત્ર કિલોમીટરના અંતરે દૂધરેજ ગામ આવેલું છે. માલધારી જાતિના પૂજનીય સ્થાન તરીકે આવેલું ‘વડવાળા ધામ' સૌરાષ્ટ્રનાં સંતસ્થાનોમાં આગવું સ્થાન અને માન ધરાવે છે. આ સ્થાનક નીલકંઠસ્વામી નામના સિદ્ધ મહાપુરુષની પરંપરામાં સ્થાપવામાં આવેલું. તેમનો મૂળ આશ્રમ ઝીંઝુવાડા-ઝંઝાવાટખાતે કચ્છના નાના રણને કાંઠે હતો. ઝીંઝુવાડાના ઝાલા રાજવી યોગરાજજી અને રાણી ગંગાદેવીને ત્યાં સામંતસિંહજી નામે કુમારનો જન્મ વિ.સં. ૧૬૬૮ની સાલમાં થયો. એ પછી આંબાજી, અજયસિંહ, મંગળજી અને મેળાજી એ ચાર પુત્રો અને ચાંપાબાઈ નામે એક પુત્રીનો જન્મ થયો. નીલકંઠસ્વામીનો આશ્રમ એ સમયે એમના પ્રશિષ્ય યાદવસ્વામી સંભાળતા. અંબાજી અને સામંતસિંહજી એકવાર શિકાર માટે નીકળ્યા અને આશ્રમની
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org