SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ વારાહીથી નીકળી ગયેલા ને ચરોતર પ્રદેશમાં બોરસદ તાલુકાના કિનખિલોડ ગામે આવીને હાટડી માંડેલી. આવા સેવાભાવી ને ધરમનીમ પાળનારા અખાણી શાખાના રઘુવંશી લોહાણા કલ્યાણ ઠક્કરને ત્યાં સદગુરુ ભાણ સાહેબે અવતાર લીધો. આજથી બરોબર ત્રણસો ને અગિયાર વરસ પહેલાંની વાત છે. વિક્રમ સંવત ૧૭૫૪, મહા મહિનાની અંજવાળી અગિયારસ આવી, મંગળવારનો શુભ દિવસ છે. શુભ ઘડી ને શુભ નક્ષત્રમાં કલ્યાણ ઠક્કરને ત્યાં એક અવતારી પુરુષનો જન્મ થયો. જનમતાં–વંત મોઢામાં બે દાંત લઈને દત્ત ગુરુએ પોતાનો અંશાવતાર પ્રગટ કર્યો. જનમ થયો તયેં આ બાળક રોવાને બદલે દાંત કાઢે છે. મહાપુરુષની લીલા તો અલૌકિક જ હોય ને? કલ્યાણ ભગતે ગામના છોકરાંવને ખજૂર ને સાકરના ખોબા ભરીને દીધા. ગામ આખામાં વાયરે વાતું થઈ કે કલ્યાણ શેઠને ત્યાં બે દાંત સોતો છોકરો જભ્યો, ભારે કૌતૂક થયું છે. છોકરો દાંત કાઢે છે! ઈ જમાનો ય કેવો? આજથી ત્રણસો વરસ પેલાંનો! ઈ કાળે વેમ, અંધશ્રદ્ધા ને બીક મોટી. એને આ સિદ્ધ પુરુષની ઓળખાણ કેમ થાય? ભાગ્ય હોય તો થાય ને? દેવાંશી જીવ, અમર ભોમનો આતમો ઈ કાંઈ ચોરાશીના ફેરામાં થોડો ભટકે? માયામાં બંધાય એવો પ્રાણિયો આ નો'તો, જનમતાંવેત એણે તો લીલાયું કરવા માંડેલી, પણ લોકમાં વાતું હાલી...કોક કયે કલ્યાણ શેઠને ત્યાં કોક ચરિતર આવ્યું છે, કોક કયે ભગવાનનો અવતાર લાગે છે. કોક કયે ના ભાઈ ના, ભગવાન કેવા! ઈ તો રાક્ષસનો જનમ થયો છે. કોક વળી વાતું કરે એને ભોમાં ભંડારી ઘો. કોક સલાહ દયે કે કૂવામાં પધરાવી દ્યો નકર આખા ગામને ભરખી જાશે. ગામને માથે ઘાત આવી. હવે રોગચાળો હાલી નીકળશે. આ તો કળજુગનાં એધાણ લાગે છે. એવામાં એક દિ દિગંબર ખાખી અખાડાના સંતોની જમાત કિનખિલોડને પાદરે ઊતરી છે. ચિત્રકૂટથી સંતોનો સંઘ કિનખિલોડ ગામના પાદરમાં ઊતર્યો છે. નરવી કાઠીના સોટા જેવી કાયા, ભૂખરી ને ધૂળાળી હાથ હાથની લટરિયાંની જટા, હિંગોળ આંજેલી લાલ ગલોલા જેવી આંખ્યું, માથે દોઢ તસુના કપાળમાં વિધાતાએ ત્રણ ત્રણ ચાહના ત્રણ ટીહલાંય ભરીને ભેખ–લેખ માંડી દીધેલો, ઘાટ વળોટે નમણી કાયાની માથે એક વેતની લંગોટી સિવાય આખોય મનખાદેહ ઉઘાડો ઠઠ. ઊઘડતે પોરે ડીલને માથે ધૂણાની ભભૂત ચોળેલી, આંખની સ્વપ્ન શિલ્પીઓ ટશરું આભને માંડીને અગોચરની એંધાણિયુંને આંબવા મથતી હોય એવી મદભર ઘેઘૂર આંખડિયું..... હાલા રે સંતોને મારા જે જે સીતારામ....ભજન ગાતાં ગામને પાદરે ઉતારો કીધો છે...રાવટીયું નંખાણી છે, શમિયાણા બંધાણા છે, ભજન, ધૂન કીર્તનની ભલકું બોલે છે. એવામાં એક જણે જઈને મહંતજીને વાત કરી કે-“બાપુ! અમારા ગામના શેઠને ત્યાં ભારે કૌતક થયું છે. દીકરો જભ્યો પણ જન્મતાં વેંત મોઢામાં બે દાંત સોતો ; ને જનમથી રોવાને બદલે દાંત કાઢે છે...” મહંતે આ વાત સાંભળી. તરત જ ઊભા થઈ ગ્યા. બોલ્યા : “ચલ મુજે દેખના હૈ, કૈસા લડકા પૈદા હુવા હૈ?” બોલતાં બોલતાં આવ્યા કલ્યાણ ઠક્કરને ઘીરે.... મૈયા! તેરે બાલકકા દર્શન કરાવો.” અંબાબાઈ બાળકને તેડીને ફળિયામાં આવ્યા, પણ બાળકનું તેજ કેવું ભાઈ! આરસની પૂતળીને માથે ચંદનનો લેપ કર્યો હોય એવો વાન...વાંકડિયા વાળ...નટખટ આંખ્યું–પૂનમના ચાંદા જેવું મોટું ને ખિલખિલાટ કરે છે..જાણે બાળ કનૈયો જ જોઈ લ્યો હો! મહંતજીએ બાળકના હાથપગની રેખાયું જોઈ...મસ્તકની રેખાયું જોઈ, ને પછી બોલ્યા : “મૈયા! યે તો દત્તબાબાના અવતારી સંત હૈ....સૂરજકી તરહા અપના નામ રોશન કરેગા...તૂ ઇસકા નામ ભાણ રખના સમજી ન! સૂર્યદેવકા એક નામ ભાણ ભી હૈ...યે બચ્ચા સમર્થ સિદ્ધ હોગા. સૂરજ કી તરહ અંધેરા મિટાયેગા.” આમ સંતના આશીર્વાદ મળ્યા ને અમ્મર નામની ઓળખાણ થઈ ગઈ... સદ્દગુરુ મળે ને અમ્મર નામની ઓળખાણ કરાવે તો માયાનાં બંધન વછૂટી જાય ને જીતનાં ડંકા-નિશાન વાગી ઊઠે. આમ સંતના આશીર્વાદ મળ્યા, પારણામાંથી જ ભક્તિ પદારથની કંઠી ભાણગુરુને મળી ગઈ. કલ્યાણ ભગત ને અંબાબાઈના મનનો ઉચાટ ભાંગી ગ્યો. ધીરેધીરે બાળક ભાણ મોટા થાય છે...પણ ઘરના સંતસેવાના સંસ્કાર લાગી ગ્યા છે. આવ્યા–ગ્યા સાધુ-સંતની સેવા કરવી ને ભજન મંડળીઓમાં જઈને સત્સંગ કરવો ઈ જ એનો શોખ. જીવ માત્રની સેવાનો મહામંત્ર લઈને ભાણનું બાળપણ વીતે છે. આઠ વરસના ભાણ થ્યા ને કલ્યાણ ઠક્કરે કિનખિલોડ ગામ છોડ્યું. પોતાના મૂળ વતન વારાહીમાં આવ્યા. ત્યાં હાટડી માંડીને વેપાર શરૂ કર્યો...વેપારમાં મોટો દીકરો કાનો મદદ કરે છે ને ભાણ જીવતરની નિશાળમાં સેવા સતસંગના એકડા ઘૂંટે છે. યુવાની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy