SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૨૮૫ આપણી ગુજરાતની ધરતી ઉપર અનેક ધર્મ-પંથ-સંપ્રદાયની સાથે જોડાયેલા તથા કેટલાક કોઈ પણ ધર્મ| પંથ-સંપ્રદાયની કંઠી બાંધ્યા વિના મુક્ત રીતે જ આધ્યામસાધના કરીને પોતાનો આગવો નીતિ-મૌલિક સાધનપરંપરા પ્રવાહ શરૂ કરનારા સાધકો-સિદ્ધ પુરષો થઈ ગયા છે. કેટલાકે પોતાની મૂળ ગુરુપરંપરાની સાધના કે પંથ, સંપ્રદાયમાં આગવી ઢબે ફેરફારો પણ કરીને પોતાના નવા સિદ્ધાંતો સ્થાપ્યા છે. પ્રથમ પોતાની જાતની ઓળખ કરીને, પોતાની જાતને સુધારીને, સાધના દ્વારા પિંડશોધન કરીને, જગતના કલ્યાણ માટે આગવા સાધનામાર્ગની કેડી કંડારી છે. અવધૂત-મસ્તદશાના મહાપુરુષો કે જે પોતાનો પંથ-સંપ્રદાય ઊભો નથી કરતા પણ સમસ્ત જગતને પોતાના જીવન અને કર્મદર્શન તથા સેવાકાર્યોથી માર્ગદર્શન આપતા રહે છે તો કેટલાક ઉપદેશ-આદેશના પ્રચાર માટે પંથ, સંપ્રદાયની સ્થાપના કરે છે અને પોતાના સાધનામાર્ગને વિશાળ શિષ્યસમુદાય સુધી પહોંચાડે છે. આવા સિદ્ધપુરષોમાં ઘણા પ્રકારભેદ જોવા મળે. અત્યંત પ્રાચીન એવી શેષશાકત-તંત્ર ઉપાસના સાથે, શિવ, શક્તિ, મહાકાલી વગેરે દશ મહાવિદ્યાઓ કે અન્ય દેવીદેવતાના ઉપાસકો, વેદાન્તી-જ્ઞાનવર્તી આત્મચિંતન કરનારા મહાપુરુષો, હઠયોગી સાધના કરનારા કબીરપંથી કે અન્ય સંતસાધનાને અનુસરનારા સંતકવિઓ, લોક દેવોદેવીઓની ઉપાસના કરનારા, ભૈરવ આદિ ઉગ્ર તાંત્રિક સાધના કરનારા, પ્રાણની સાધના, મનની સાધના, શબ્દની સાધના, નામવચનની સાધના, ક્રિયાયોગ, નામ-જ૫ કે સંકીર્તન કરનાર, સૂફી-મુસ્લિમધારાના સંતો આમ અનેક સાધના-પરંપરાઓ દ્વારા આત્મચિંતન અને પરમાત્મા સાક્ષાત્કાર સુધી પહોંચનારા મહાપુરુષોમાંથી અહીં માત્ર કેટલાક-તાત્કાલિક રીતે–સાવ ઉપરછલ્લી રીતે જેના વિશે માહિતી મળી છે એવા શબ્દબ્રહ્મના ઉપાસકો વિશે અત્યંત ટૂંકી જીવનનોંધ આપી છે. આવા તો અગણિત સંતો, મહંતો, સિદ્ધપુરુષો આ ધરતી પર થયા છે. એ સૌનો વિગતવાર | અભ્યાસ કરવા જઈએ તો વિશાળ પુરાણગ્રંથ જેવા પાંચ-સાત ગ્રંથો લખવા પડે, છતાં ભવિષ્યના સંશોધકો કે જિજ્ઞાસુઓને એમાં રસ લેવામાં થોડુંક દિશાસૂચન થાય એ હેતુથી સહજપ્રાપ્ય એવી સામગ્રી અહીં આપી છે. સંતસાહિત્ય સંશોધન કેન્દ્ર, આનંદઆશ્રમ, ઘોઘાવદરમાં આવા કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતના અને ભારતના અન્ય ના સિદ્ધ પરષો-મહાપરષો. જતિ-સતી, જ્ઞાની, વેદાન્ત યોગી, મૌની. સંતકવિઓ વિશેના સંદર્ભગ્રંથો અને હસ્તપ્રતો સચવાયેલી છે. એમાંથી અત્યંત મર્યાદિત શબ્દોમાં કેટલાક મહાપુરુષો વિશે અહીં ટૂંકમાં જીવનપરિચય અપાયો છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના મહત્ત્વના સંતકવિઓ તથા સાધનાધારાના મશાલચીઓ તથા ભજનિકો વિશે નંદલાલ દેવલુક સંપાદિત “બ્રહદ્ ગુજરાત પ્રતિભાદર્શન', “પથપ્રદર્શક પ્રતિભાઓ” અને “ધન્યધરા શાશ્વત સૌરભ' જેવા સાંસ્કૃતિક સંદર્ભગ્રંથોમાં આ લેખક દ્વારા ઠીક પરિચયનોંધ અપાયેલી છે. રવિ-ભાણ સંપ્રદાયના આધપુરષ : સંત માતરનું ભલું થાય, સારું થાય, કલ્યાણ થાય એની રાત-દિ ચિંતા કર્યા કરે. નાનકડી એવી હાટડી માંડેલી-પરચુરણ વેપાર કવિ ભાણસાહેબ કરે પણ મૂળથી જ જીવ ભગતિ ને સતસંગવાળો. એટલે પંખીના માળા જેવું ચરોતર પ્રદેશનું કિનખિલોડ ગામ. આવ્યા ગ્યા સાધુ-સંતોને આશરો આપે છે, આદરમાન આપે ઈ ગામમાં એક વેપારી રયે. નાની એવી હાટડી ને છે, અભિયાગતને સાચવે. પંખીડાંને ચણ્ય નાખે ને કૂતરાંને ભગતીવાળો જીવ. નામ એનું કલ્યાણ ઠક્કર, રઘુવંશી લોહાણા રોટલો દેવાના–ને ગાયુંને લીલું નાંખવાનાં એનાં કાયમનાં નીમ કોમમાં એનો જનમ. ગળથુથીમાં જ રામ-ભગતિના સંસ્કાર છે ભાઈ! મળેલા ને એમાં ભંડારી અંબાબાઈ પણ મળ્યા સતસંગી. મૂળ વતન તો એનું મોટી જતવાડમાં. પાટણ જિલ્લાના કલ્યાણને સહુ લોક ભગતના નામથી ઓળખતા, પણ ભાઈ! નામ જેવા જ એના ગુણ હો! નામ કલ્યાણ ભગત....ઈ જીવ રાધનપુર પાંહેનું વારાહી ગામ, પણ વેપાર-ધંધા અરથે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy