SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ -|-|-- ¡¿ÏVIVIVIMIVIVIVIVIVIVIVIVIMIVIVIMIVO સંશોધકો, ઉદ્યોગપતિઓ, સમાજસેવકો, શબ્દબ્રહ્મના સાધકો, દાનવીર શ્રેષ્ઠીઓ, પત્રકારો, લેખકો, સાહિંસક વેપારીઓ અને નારી પ્રતિભાઓ જેવા અનેકવિધ મહાનુભાવોનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે. આવી મહાન હસ્તીઓનાં જીવન અને કાર્ય આપણા માટે માર્ગસૂચક સ્તંભરૂપ બન્યાં છે. સ્વપ્ન શિલ્પીઓ જૈનધર્મ અને સમાજના પ્રતિષ્ઠાવંત, સાહિત્યપ્રેમી, પ્રવૃત્તિનો પમરાટ અને જ્ઞાનેચ્છુ શ્રી નંદલાલભાઈ દેવલુકે ગુજરાતની અસ્મિતાની દીવાદાંડી સમા વિરલ મહાનુભાવોના પ્રેરક અને પ્રેમોજ્જ્વલ વ્યક્તિત્વનો સંક્ષેપમાં પરિચય કરાવતા મહાકાય ગ્રંથો ગુજરાતની પ્રજાને આપીને પ્રેરણાનાં દ્વાર ઉદ્ઘાટિત કર્યાં છે અને પ્રાદેશિક, રાષ્ટ્રીય તથા વિશ્વસ્તરે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી છે. તેઓશ્રીએ આવા ૨૪ જેટલા ગ્રંથોનું એકનિષ્ઠાપૂર્વક સંપાદન અને પ્રકાશન કર્યું છે અને પોતાની આ સાધના દ્વારા ગુજરાતના સાહિત્યજગતમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. તેમની આ નિરાલી પ્રવૃત્તિના એક ભાગરૂપે આ ગુર્જરભૂમિની પ્રતિભાઓનું વિવિધરંગી દર્શન કરાવતો આ સમૃદ્ધ પરિચયકોશ ‘સ્વપ્નશિલ્પીઓ' પ્રગટ થઈ રહ્યો છે, જેમાં ઉપયોગી, સરળ અને વ્યાવહારિક વિશ્વસ્તરીય પાથેય પૂરું પાડવાનો અભિગમ રખાયો છે. આ ગ્રંથમાં જીવનભરની ઉત્કટ ઉપાસના, અવિરત આરાધના, સતત સાધના, તલસ્પર્શી તપસ્યા તથા અવિચ્છિન્ન અનુષ્ઠાનની ધારક એવી મહાન વિભૂતિઓના ચારિત્ર્યાંશોને આલેખવામાં આવ્યા છે : એમાંનાં કેટલાંક ચિરંજીવ વ્યક્તિત્વોને અવલોકીએ... * ગુજરાતી કથાસાહિત્યમાં ઊંચી પ્રતિભા ધરાવનાર પ્રતિષ્ઠિત લેખક દોલત ભટ્ટના ‘ઇતિહાસની યાદગાર વિભૂતિઓ' એ લેખમાં માનવમૂલ્યોથી સમાજને મહેકતો કરનાર ચારિત્ર્યવાન સમાજસેવક ડૉ. ઠાકોરલાલ પંડ્યા, આદર્શ શિક્ષક છોટાલાલ સેવકરામ, દાનવીર વેપારી મગનલાલ જયચંદ, એવા જ પ્રભાવી દાનવીર કચ્છના ઠક્કર વિસનજી, લોકલોડીલા નેતા ઇન્દુલાલ યાજ્ઞિક, પારસી ડૉક્ટર બહેરામજી નાણાવટી, પત્રકાર સોરાબજી શાપુરજી બંગાળી, રણજિતરામ વાવાભાઈ મહેતા, વિવેચક, સર્જક, સુધારક નવલરામ પંડ્યા, ગુજરાતી ભાષાના પ્રખર વિદ્વાન વ્રજલાલ શાસ્ત્રી જેવા અનેક મહાનુભાવોના ચરિત્રાંશો પ્રસ્તુત કરવામાં આવ્યા છે. * બાળસાહિત્ય, વાર્તા-નાટક અને નવલકથાક્ષેત્રે ઘણું ખેડાણ કરનાર શ્રી યશવંત કડીકરે ‘યશસ્વી નારી પ્રતિભાઓ' વિશેના લેખમાં ગુજરાતનાં નારીરત્નોની ઊજળી પરંપરામાં નારીનાં જીવનગાન, એનાં મૂલ્યો અને આદર્શો વિશે સુંદર લેખમાળા રજૂ કરી છે. * ‘ગુજરાતી ભાષામાં સીમાચિહ્નરૂપ પગલાં પાડનારાં' એ લેખમાં બિપિનચંદ્ર ત્રિવેદીએ ગુજરાતી ભાષાના મહાન કવિઓ, લેખકો, પત્રકારો, વિવેચકો, નાટ્યલેખકો, લોકસાહિત્યકારો, ભાષાવિજ્ઞાનીઓ, બાળ સાહિત્યકારોની આછી-પાતળી ઝલક આપી છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy