SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ર સ્વપ્ન શિલ્પીઓ જોઈ છેoછેo 09 09 0 0ઈ છેow ઈ છે 9999 of * “સંસ્કાર અને સંસ્કૃતિના સંવર્ધકો એ લેખમાં શારીરિક રોગોના ચિકિત્સક Gણ અને સંશોધક વજુભાઈ વ્યાસ અને ગાંધીવિચારક મનુભાઈ પંડિતે આઝાદીની લડતોમાં અગ્રિમ 'ભાગ ભજવનાર શ્રી દેવીબહેન પટ્ટણી, મહિલા બાળ ઉદ્ધારક શ્રી પુષ્પાબહેન મહેતા, ગાંધીભક્ત આત્મારામ ભટ્ટ, ઉછરંગરાય ઢેબર, વજુભાઈ શાહ, રતુભાઈ અદાણી, કવિ ઝવેરચંદ મેઘાણી, ડૉ. એચ.એલ. ત્રિવેદી, હૃદયરોગ નિષ્ણાત ડૉ. રમેશ કાપડિયા જેવા મહાન પરમાર્થ સેવકો વિશે માહિતી પ્રસ્તુત કરી છે. * ગુજરાતના જાણીતા કવિ, સાહિત્યકાર, સંશોધક, લોકવિદ્યાવિદ્ અને લોકગાયક ડૉ. નિરંજન રાજ્યગુરુના લેખ “શબ્દબ્રહ્મના સાધકો, અલખના આરાધકો, સ્વરના ઉપાસકો'માં સંતકવિ ભાણસાહેબ, દાસી જીવણ, સંતકવિ જેઠારામ, ઈસરદાનજી જેવા સર્જકો અને ગાયકોનું પ્રદાન દર્શાવ્યું છે. * લોકસંસ્કૃતિવિદ્દ કેશુભાઈ બારોટના “લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકલાના રખેવાળો' લેખમાં લોકગીત- કલાકાર અરવિંદ બારોટ, લોકસાહિત્ય, લોકકલાના ઉપાસક જોરાવરસિંહ જાદવ, માણભટ્ટ કલાકાર ધાર્મિકલાલ પંડ્યા, હાસ્યકલાકાર છે - શાહબુદ્દીન રાઠોડ, જાદુ–કલાકાર સમજુનાથ મદારી વગેરેનો આછેરો પરિચય 5 આપ્યો છે. * ઇતિહાસ-સંસ્કૃતિના તજ્જ્ઞ ડૉ. ભારતી શેલતના લેખ “વિવિધ ક્ષેત્રની વંદનીય વિભૂતિઓ'માં શ્રીમદ્ રાજચંદ્રની સાહિત્યસાધના, જૈન શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરી, પરમ દાનવીર જૈન શ્રેષ્ઠી જગડૂ શાહ, પ્રકાંડ સંશોધક મોહનલાલ દેસાઈની આછી ઝલક આપવામાં આવી છે. * “ગુજરાતમાં કલા-સંસ્કૃતિના સ્તંભો અને ઉત્સવપ્રિય રાજવીઓ' લેખમાં શ્રી જોરાવરસિંહ જાદવે ગુજરાતી લોકજીવનના સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજનૈતિક ઇતિહાસને ઉજાગર કરતા લોકસાહિત્યના ઘડવૈયા પી. ખરસાણી, લોકસંસ્કૃતિના ઉપાસક ખોડીદાસ પરમાર, કચ્છના મહારાવો, ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી, જામનગરના રાજવી વિભાજી જામ, વડોદરાના કલાપ્રિય મહારાજા સયાજીરાવ ગાયકવાડ વગેરે વિશે પ્રોત્સાહક રજૂઆત કરી છે. * કૃષ્ણકાંત વખારિયાએ “વિદેશમાં ખ્યાતિપ્રાપ્ત ગુજરાતીઓ' લેખમાં વિશ્વ આ ગુજરાતી સમાજના પ્રતિષ્ઠિત મહાનુભાવો વિશે નોખી શૈલીમાં પ્રસ્તુતી કરી છે. - * પત્રકારત્વના ક્ષેત્રે સંશોધન કરનાર ડૉ. પુનિતા હણેએ “આપણા પત્રકારો અને કટાર લેખકો' એ લેખમાં ગુજરાતના પત્રકારિત્વના ક્ષેત્રે નવો ચીલો પાડનાર, ૧૯મી 2JKOT સદીના ઉત્તરાર્ધમાં થયેલા ભિક્ષુ અખંડ આનંદ, અલ્લારખ્ખા, હાજી મહંમદ, શિવજી, નિર્ભિક પત્રકાર આસ્તા દિનશા ગોરવાલા, ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ, કરસન મૂળજી, અમૃતબજાર' પત્રિકાના ગુજરાતના પ્રતિનિધિ કૃષ્ણલાલ શ્રીધરાણી, પારસી પત્રકાર કેખુશરો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy